
અમેરિકાના ફોરેન એફર્સ મેગેઝિનમાં છપાયેલા એક આર્ટિકલ મુજબ યુએસ ફોરેન પોલીસી થિંકર્સ એવુ જણાવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પે અનેકવાર એવો દાવો કર્યો કે તેમણે મે 2025માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ અટકાવ્યુ હતુ. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે આ યુદ્ધ અટકાવીને લાખો લોકોના જીવ જતા બચાવ્યા હતા. જો આ બંને દેશો વચ્ચે યુદ્ધ લાંબુ ખેંચાતુ લાખો લોકોના મોત થઈ ગયા હોત. ટ્રમ્પના હિસાબે ભારત પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થવાનુ હતુ જે તેમણે મધ્યસ્થી કરીને રોકાવ્યુ હતુ. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે ભારત પાકિસ્તાનનુ યુદ્ધ અટકાવ્યુ એ તેમની સૌથી મોટી ઉપલબ્ધિ હતી. જો કે ભારતે ટ્રમ્પના આ દાવાને સંપૂર્ણપણે ફગાવ્યો હતો અને ખુદ વડાપ્રધાન મોદીએ અનેકવાર તેમના દેશજોગ સંબોધનમાં જણાવ્યુ હતુ કે અમેરિકાના કહેવાથી ભારતે યુદ્ધ નથી રોક્યુ. ખુદ પાકિસ્તાની DGMO દ્વારા ભારતને યુદ્ધ રોકવા માટે વિનંતિ કરવામાં આવી હતી, જે બાદ યુદ્ધ રોકવામાં આવ્યુ છે. ફોરેન અફેર્સ મેગેઝિનમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાની કરાઈ આગાહી હાલ અમેરિકી ફોરેન અફેર્સ મેગેઝિનમાં...
Published On - 7:21 pm, Fri, 8 May 26