કેન્દ્ર સરકારે આજે બજેટ રજૂ કર્યુ. આ બજેટ ઘણી રીતે ખાસ માનવામાં આવી રહ્યું છે. ખેડૂતોને સૌથી મહત્વના સમજતી મોદી સરકારે તેમના બીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ મીટિંગમાં જ બે મોટા નિર્ણય લીધા હતા. નાણાપ્રધાને બજેટમાં ખેડૂતો માટે ઘણા ફોર્મ્યુલાની જાહેરાત કરી, જેનાથી તેમની સરકારે ખેડૂતોને ફાયદો પહોંચાડવાની વાત કહી.
નાણાપ્રધાને કહ્યું કે હોર્ટિકલ્ચર 311 મિલિયન ટનની સાથે આ અન્ન ઉત્પાદનની આગળ નીકળી ચૂક્યુ છે. અમે રાજ્યોની મદદ કરીશું. વન પ્રોડક્ટ, વન ડિસ્ટ્રિક્ટની સ્કીમ બનાવીશું. ઈન્ટિગ્રેટેડ ફાર્મિગ સિસ્ટમ, નેચરલ ફાર્મિગ, જૈવિક ખેતી માટે પોર્ટલ, ઓનલાઈન માર્કેટને મજબૂત બનાવવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જાણો બજેટમાં ખેડૂતો માટે કરવામાં આવેલી મુખ્ય વાતો
1. 2022 સુધી ખેડૂતોની આવક બેઘણી કરવાનું લક્ષ્ય.
2. જૈવિક ખેતી દ્વારા ઓનલાઈન માર્કેટને વધારવામાં આવશે.
3. 2021 સુધી વધશે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના.
4. ખેતી, મત્સ્યપાલન પર ભાર અને કૃષિને પ્રતિસ્પર્ધાત્મક બનાવવામાં આવશે.
5. કિસાન પાક વીમા યોજના માટે 11 કરોડ રૂપિયા.
6. મોર્ડન એગ્રીકલ્ચર લેન્ડ એક્ટને રાજ્ય સરકાર દ્વારા લાગૂ કરવામાં આવશે.
7. 100 જિલ્લામાં પાણીની વ્યવસ્થા માટે યોજના ચલાવવામાં આવશે, જેથી ખેડૂતોને પાણીની મુશ્કેલી ના થાય.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
8.PM કુસુમ યોજના હેઠળ 20 લાખ ખેડૂતોને સોલરપંપ આપવામાં આવશે. સાથે જ 15 લાખ ખેડૂતોના ગ્રિડ પંપને પણ સોલરથી જોડવામાં આવશે.
9. કૃષિ ઉડાન યોજના શરૂ થશે અને આંતરરાષ્ટ્રીય- રાષ્ટ્રીય રૂટ પર તેને ચાલુ કરવામાં આવશે.
10. દૂધ પ્રોડક્શન માટે સરકાર યોજના ચલાવશે, દીનદયાળ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી મદદમાં વધારો કરવામાં આવશે.
આ પણ વાંચો: Budget 2020: મધ્યમ વર્ગ માટે આવકવેરામાં મોટી રાહત
Published On - 9:32 am, Sat, 1 February 20