Udaipur Kiling : મૃતક કન્હૈયાલાલે પોલીસ પાસે માંગી હતી મદદ, દુનિયાની સામે આવ્યો પત્ર

Udaipur Kiling : કન્હૈયાલાલે આ ઘટનાની પહેલેથી જ જાણ હતી. આ અંગે તેણે પોલીસમાં ફરિયાદ પણ કરી છે. હવે મૃતકે પોલીસને લખેલો પત્ર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફરિયાદ પત્રમાં કન્હૈયાલાલે પોતાના જીવને ખતરો હોવાનું જણાવી પોલીસ પાસે રક્ષણની માંગ કરી હતી.

Udaipur Kiling : મૃતક કન્હૈયાલાલે પોલીસ પાસે માંગી હતી મદદ, દુનિયાની સામે આવ્યો પત્ર
Udaipur Kanhaiyalal Murder
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 7:27 PM

Udaipur Kiling : રાજસ્થાનના ઉદયપુરમાં(Udaipur)  મંગળવારે દિવસે દિવસે જે રીતે કન્હૈયા લાલની(Kanhaiyalal)  હત્યા(Murder) કરવામાં આવી છે. ગુનેગારોએ તાલિબાની સ્ટાઈલમાં કન્હૈયાલાલની હત્યા કરીને સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ અપલોડ કર્યો હતો. જેમાં આરોપીએ કન્હૈયાલાલની ગરદન એટલા માટે કાપી નાખી કે તેના 8 વર્ષના પુત્રએ નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરી હતી.કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે. આ ઘટનામાં વિદેશી ષડયંત્રનો તાગ મેળવવા કેન્દ્રમાંથી NIAની એક ટીમને ઉદયપુર મોકલવામાં આવી છે. આ ઘટનાના થોડા જ કલાકોમાં પોલીસે બંને આરોપીઓની રાજસમંદ જિલ્લાના ભીમ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ઉદયપુરના સૂરજપોલ વિસ્તારના રહેવાસી ગોસ મોહમ્મદ પુત્ર રફીક મોહમ્મદ અને અબ્દુલ જબ્બરના પુત્ર રિયાઝ મોહમ્મદ તરીકે થઈ છે.

મૃતકે પોલીસને લખેલો પત્ર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ

જો કે આ દરમ્યાન કન્હૈયાલાલનો એક પત્ર સામે આવ્યો છે. જેમાં કન્હૈયાલાલને આ ઘટનાની પહેલેથી જ જાણ હતી. આ અંગે તેણે પોલીસમાં ફરિયાદ પણ કરી છે. હવે મૃતકે પોલીસને લખેલો પત્ર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફરિયાદ પત્રમાં કન્હૈયાલાલે પોતાના જીવને ખતરો હોવાનું જણાવી પોલીસ પાસે રક્ષણની માંગ કરી હતી. આ અંગે પોલીસે બંને પક્ષોને પોલીસ મથકે બોલાવી પરસ્પર સમાધાન કરાવ્યું હતું. જો કે, હવે સમાધાન માટે વાટાઘાટો કરનાર ASIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Kanhaiyalal seeks help from police complaint goes viral on social media

મૃતક કન્હૈયાલાલે પોલીસ પાસે માંગી હતી મદદ પત્ર આવ્યો સામે

પોલીસે આ કેસમાં કન્હૈયાલાલની ધરપકડ પણ કરી હતી

જો કે આ દરમ્યાન સોશિયલ મીડીયા પર એક પત્ર વાયરલ થઇ રહ્યો છે. જેમાં મૃતકે પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી હતી. તેમજ કન્હૈયા લાલ 11 જૂનના રોજ તેના પાડોશી નાઝિમ દ્વારા મૃતક વિરુદ્ધ એક રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે કન્હૈયાલાલે પયગંબરનું અપમાન કરીને તેની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. પોલીસે આ કેસમાં કન્હૈયાલાલની ધરપકડ પણ કરી હતી. જો કે તેને 11 જૂને જ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. આ પછી કન્હૈયાલાલે પોતે અભણ હોવાથી અન્ય પાસે લખાવીને પોલીસને ફરિયાદ પત્ર આપ્યો હતો, જેમાં તેણે તેના જીવને જોખમ હોવાનું દર્શાવીને પોલીસ પાસે રક્ષણની માંગ કરી હતી.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

પોલીસે સમાધાન કરાવ્યું હતું

કન્હૈયાલાલની ફરિયાદના આધારે પોલીસે બંને પક્ષના 5-5 લોકોને બેસાડીને સમાધાન કરાવ્યું હતું. રાજસ્થાનના ADG કાયદો અને વ્યવસ્થા હવા સિંહ ઘુમરિયાએ જણાવ્યું કે બંનેએ કહ્યું હતું કે અમને કોઈ કાર્યવાહી નથી જોઈતી તેથી આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મૃતકે ફરિયાદમાં લખ્યું છે કે, નાઝીમ અને તેની સાથેના 5 લોકો દિવસભર મારી દુકાનની રેકી કરે છે. તેઓ મને દુકાન ખોલવા દેતા નથી. મારી દુકાનની સામે સવાર-સાંજ 5-7 લોકો ચક્કર લગાવે છે. તેમજ જો હુ દુકાન ખોલીસ તો મને જાનથી મારી નાખવામાં આવશે.

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">