AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વધુ બે સરકારી બેંકનું કરાશે ખાનગીકરણ, આગામી સપ્તાહે સંસદમાં રજુ કરાશે બેંકિગ સુધારા બીલ

સરકાર ટૂંક સમયમાં સંસદમાં બેંકિંગ (સુધારા) બિલ રજૂ કરશે. કેબિનેટમાંથી મંજૂરી મળવાનું લગભગ નિશ્ચિત છે. આવતા અઠવાડિયે સંસદના બંને ગૃહોમાં આ અંગે ચર્ચા થવાની શક્યતા છે.

વધુ બે સરકારી બેંકનું કરાશે ખાનગીકરણ, આગામી સપ્તાહે સંસદમાં રજુ કરાશે બેંકિગ સુધારા બીલ
Bank Privatization ( Symbolic image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 8:08 PM
Share

Bank Privatization: સરકાર ટૂંક સમયમાં સંસદમાં બેંકિંગ (સુધારા) બિલ  (Banking (Amendment) Bill) રજૂ કરશે. કેબિનેટમાંથી મંજૂરી મળવાનું લગભગ નિશ્ચિત છે. આવતા અઠવાડિયે સંસદના બંને ગૃહોમાં આ અંગે ચર્ચા થવાની શક્યતા છે. સરકારે જાહેર ક્ષેત્રની (Public sector) બે બેંકોનું ખાનગીકરણ (Bank Privatization) કરવાની જાહેરાત કરી દીધી છે. સરકાર આ બિલને કાયદાકીય સ્વરૂપ આપવા માટે સંસદમાં લાવશે.

આમાં બેંકિંગ સંબંધિત બે કાયદામાં ફેરફાર કરવામાં આવશે, જેના દ્વારા સરકાર પોતાનો હિસ્સો વેચી શકશે. સરકાર આગામી સપ્તાહે બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં કાયદામાં ફેરફારને મંજૂરી આપવાની યોજના ધરાવે છે. જે બાદ તેને સંસદના ટેબલ પર મૂકવામાં આવશે. અને ચાલુ શિયાળુ સત્ર દરમિયાન તેને પાસ કરાવવાની યોજના છે.

સરકાર આ નાણાકીય વર્ષમાં પ્રક્રિયા શરૂ કરવા માંગે છે સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછી બે જાહેર ક્ષેત્રની બેંકોમાં ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા શરૂ કરવાનું લક્ષ્ય ધરાવે છે. એટલે કે સંસદમાંથી મંજૂરી મેળવવી, એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ જારી કરવી, RFP જારી કરવી, આ પ્રક્રિયાઓ થવી જોઈએ. પછી ભલેને ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા પૂરી કરવામાં આવતા વર્ષ સુધીનો સમય લાગે.

સરકારે આ બે બેંકોના નામની ભલામણ કરી દીધી છે, જેનું ખાનગીકરણ કરવામાં આવનાર છે. તેમાંથી ઈન્ડિયન ઓવરસીઝ બેંક(Indian Overseas Bank)મુખ્ય દાવેદાર છે. તેની સાથે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનું (Central Bank of India) નામ પણ તેમાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બિલ સત્ર દરમિયાન રજૂ થનારા 26 બિલોમાંથી એક છે.

સરકારે આ વર્ષના બજેટમાં ખાનગીકરણની જાહેરાત કરી હતી 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરતાં સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટ (Disinvestment) અને ખાનગીકરણ (Privatization) માટે રૂ. 1.75 લાખ કરોડનો લક્ષ્યાંક રાખ્યો હતો. આ સાથે નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે ચાલુ નાણાકીય વર્ષમાં બે જાહેર ક્ષેત્રની બેંકો અને એક વીમા કંપનીનું ખાનગીકરણ કરવામાં આવશે. આ સિવાય LIC IPO લાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે સરકાર BPCLમાં પોતાનો હિસ્સો વેચીને પણ ભંડોળ એકત્ર કરશે.

બીજી તરફ, ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC) એ કહ્યું કે તે બેંકોના ખાનગીકરણનો વિરોધ કરશે. AIBOCના જનરલ સેક્રેટરી સૌમ્ય દત્તાએ કહ્યું કે સરકાર આ શિયાળુ સત્રમાં બેંકોના ખાનગીકરણને લગતું બિલ રજૂ કરશે. તેમનું કહેવું છે કે સરકારનો આ નિર્ણય સંપૂર્ણપણે રાજકીય પ્રેરિત છે. જો સરકાર ખાનગીકરણ કરશે તો પ્રાથમિકતા ક્ષેત્રને સરળતાથી લોન નહીં મળે.

આ પણ વાંચોઃ

Virat Kohli: વિરાટ કોહલીને કેપ્ટન પદે થી હટાવવાના નિર્ણયને લઇ દિગ્ગજને આશ્વર્ય, કહ્યુ, ટીમને બનાવવી મુશ્કેલ છે, તોડી દેવી ખૂબ જ સરળ

આ પણ વાંચોઃ

Summit for Democracy : PM મોદીએ કહ્યું- ભારતમાં લોકશાહી છે અને રહેશે, લોકશાહીની ભાવના આપણી સભ્યતાનો અભિન્ન અંગ છે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">