
ત્રિનિદાદ અને ટોબેગોના વડા પ્રધાન કમલા પ્રસાદ-બિસ્સેસરે 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને અભિનંદન આપ્યા છે. તેમણે આ જીતને “ઐતિહાસિક અને પ્રચંડ જનાદેશ” ગણાવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપેલા એક સંદેશમાં વડા પ્રધાન પ્રસાદ-બિસ્સેસરે કહ્યું કે આ જીત ભારતના લોકશાહીની મજબૂતાને દર્શાવે છે.
કમલા પ્રસાદ-બિસ્સેસરએ જણાવ્યું કે ભાજપે પહેલી વાર પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી જીતી છે. જે ભારતીય રાજકારણમાં એક મોટો અને નોંધપાત્ર પરિવર્તન દર્શાવે છે. તેમના સંદેશમાં તેમણે કહ્યું કે આ ઐતિહાસિક સિદ્ધિ ભારતની લોકશાહીની તાકાતને દર્શાવે છે. પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યમાં ભાજપ માટે આ પ્રથમ વિજય ભારતીય રાજકારણમાં એક મહત્વપૂર્ણ છે. પશ્ચિમ બંગાળની વસ્તીનો ઉલ્લેખ કરતા કમલા પ્રસાદ-બિસ્સેસરએ કહ્યું કે 10 કરોડથી વધુ વસ્તીવાળા આ રાજ્યમાં મળેલો જનાદેશ અત્યંત મહત્વપૂર્ણ છે.
કમલા પ્રસાદ-બિસ્સેસરએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પણ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું આજે ભારત વિશ્વના સૌથી મોટા લોકશાહી તરીકે ગર્વથી ઊભું છે. વૈશ્વિક પરિવર્તન અને તકના આ યુગમાં વડા પ્રધાન મોદીનું શાંત, શિસ્તબદ્ધ અને મક્કમ નેતૃત્વ સતત ભારતીય લોકોનો વિશ્વાસ જીતી રહ્યું છે. ભાજપે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 207 બેઠકો જીતી. પાર્ટી હવે રાજ્યમાં સરકાર બનાવવાની તૈયારી કરી રહી છે. આ મમતા બેનર્જીની આગેવાની હેઠળની ટીએમસી સરકારનો અંત દર્શાવે છે. જે રાજ્યમાં 15 વર્ષથી સત્તામાં હતી.
The Government of the Republic of Trinidad and Tobago extends sincere congratulations to Shree Narendra Modi, Honourable Prime Minister of the Republic of India, and to the Bharatiya Janata Party (BJP) on its resounding and historic electoral victory in West Bengal on Monday.… pic.twitter.com/sRbcGAo7k3
— Kamla Persad-Bissessar (@PM_Kamla) May 6, 2026
ત્રિનિદાદ અને ટોબેગોના વડા પ્રધાને પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે તેમનો દેશ ભારત સાથે સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ઉત્સાહિત છે. તેમણે વિદેશ પ્રધાન એસ. જયશંકરની આગામી મુલાકાતનું સ્વાગત કરતા કહ્યું કે બંને દેશો પરસ્પર સહયોગ અને સંબંધોને આગળ વધારવા માટે સતત કામ કરી રહ્યા છે. વિદેશ પ્રધાન એસ. જયશંકર હાલમાં 2થી 10 મે દરમિયાન જમૈકા, સુરીનામ અને ત્રિનિદાદ-ટોબેગોની ત્રણ દેશોની સત્તાવાર મુલાકાત પર છે. વડા પ્રધાનના સંદેશ પછી જયશંકરે પણ X ને જવાબ આપ્યો અને તેમનો આભાર માન્યો.
Thank you Prime Minister Kamla Persad-Bissessar for your warm words of welcome. @PM_Kamla
Look forward to being in Trinidad and Tobago soon and working with you and your team to further strengthen relationship. https://t.co/VmHyQGR1Th
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 6, 2026
કમલા પ્રસાદ-બિસેસરના અભિનંદનનો જવાબ આપતા, જયશંકરે લખ્યું કે વડા પ્રધાન કમલા પ્રસાદ-બિસેસર તમારા સ્વાગત સંદેશ બદલ આભાર. હું ટૂંક સમયમાં ત્રિનિદાદ અને ટોબેગો પહોંચવા અને ભારત અને ત્રિનિદાદ-ટોબેગો સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે તમારી સાથે કામ કરવા માટે આતુર છું. પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસેસરે જણાવ્યું હતું કે ભારત અને ત્રિનિદાદ-ટોબેગો વચ્ચેના સંબંધો સંયુક્ત લોકશાહીના મૂલ્યો, મજબૂત સાંસ્કૃતિક અને લોકો-થી-લોકોના સંબંધો, વિકાસ અને આંતરરાષ્ટ્રીય સહયોગ પર આધારિત છે.