AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોવા મુક્તિ દિવસ નિમિત્તે સ્વદેશી યુદ્ધ જહાજ ‘મોરમુગાઓ’નું થયું ટ્રાયલ, આવતા વર્ષે ભારતીય નૌકાદળમાં કરવામાં આવશે સામેલ

ગોવા મુક્તિ દિવસના અવસર પર ભારતીય નૌકાદળના બીજા સ્વદેશી વિનાશક યુદ્ધ જહાજ 'મોરમુગાઓ'ને રવિવારે પ્રથમ વખત ટ્રાયલ માટે સમુદ્રમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

ગોવા મુક્તિ દિવસ નિમિત્તે સ્વદેશી યુદ્ધ જહાજ 'મોરમુગાઓ'નું થયું ટ્રાયલ, આવતા વર્ષે ભારતીય નૌકાદળમાં કરવામાં આવશે સામેલ
પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2021 | 4:45 PM
Share

ગોવા મુક્તિ દિવસના અવસર પર ભારતીય નૌકાદળના બીજા સ્વદેશી વિનાશક યુદ્ધ જહાજ ‘મોરમુગાઓ’ને (Mormugao) રવિવારે પ્રથમ વખત ટ્રાયલ માટે સમુદ્રમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સ્વદેશી યુદ્ધ જહાજને 2022ના મધ્યમાં નેવીને સોંપવામાં આવશે. ભારતીય નૌકાદળના પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાલે કહ્યું કે, આજે દેશ પોર્ટુગીઝ શાસનથી ગોવાની આઝાદીના 60 વર્ષની ઉજવણી કરી રહ્યો છે અને કદાચ 19 ડિસેમ્બર આ યુદ્ધ જહાજને લેન્ડ કરવાની શ્રેષ્ઠ તારીખ છે.

યુદ્ધ જહાજ ‘મોરમુગાઓ’ ઘણી સ્વદેશી તકનીકોથી સજ્જ છે, જે પ્રોજેક્ટ 15B (P15B) હેઠળ બનાવવામાં આવી છે. મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDSL) માર્ગદર્શિત મિસાઇલ વિનાશક યુદ્ધ જહાજોનું નિર્માણ કરી રહ્યું છે. મોરમુગાઓ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલથી પણ સજ્જ છે. તે દુશ્મનની મિસાઈલોને પણ ચકમો આપી શકવા સક્ષમ છે.

માધવલે જણાવ્યું હતું કે, ગોવાની આઝાદીમાં ભારતીય નૌકાદળની મહત્વની ભૂમિકા હતી અને યુદ્ધ જહાજને ગોવાના બંદરનું નામ આપવાથી નૌકાદળ અને ગોવાના લોકો વચ્ચેના સંબંધોમાં વધારો થશે એટલું જ નહીં, રાષ્ટ્ર નિર્માણમાં નૌકાદળની મહત્વપૂર્ણ ભૂમિકા પણ છે અને ઓળખ કાયમ રહેશે. યુદ્ધ જહાજ અનેક મિસાઈલો અને એન્ટી સબમરીન રોકેટથી સજ્જ છે, જે સ્ટીલ્થ સ્ટ્રાઈક કરવા સક્ષમ છે. મોર્મુગાઓનું નામ ગોવાના સૌથી જૂના બંદર પરથી રાખવામાં આવ્યું છે.

પ્રોજેક્ટ 15Bના ચાર જહાજો માટેના કરાર પર 28 જાન્યુઆરી 2011ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આને વિશાખાપટ્ટનમ વર્ગના જહાજો તરીકે ઓળખવામાં આવે છે. આ ચાર જહાજોને દેશના ચાર ખૂણાના મુખ્ય શહેરોના નામ પરથી નામ આપવામાં આવ્યું છે, જે છે- વિશાખાપટ્ટનમ, મોર્મુગાઓ, ઇમ્ફાલ અને સુરત.

ગયા મહિને ‘વિશાખાપટ્ટનમ’નો સમાવેશ કરવામાં આવ્યો હતો

ગયા મહિને, આ જ પ્રોજેક્ટ 15B હેઠળ બનેલ INS વિશાખાપટ્ટનમને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. ‘વિશાખાપટ્ટનમ’ ઘાતક શસ્ત્રો અને સેન્સર્સથી સજ્જ છે જેમાં સપાટીથી સપાટી અને સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો, મધ્યમ અને ટૂંકા અંતરની બંદૂકો, સબમરીન વિરોધી રોકેટ અને અદ્યતન ઇલેક્ટ્રોનિક યુદ્ધ અને સંચાર પ્રણાલીનો સમાવેશ થાય છે.

ગોવા મુક્તિ દિવસ દર વર્ષે 19 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતીય સશસ્ત્ર દળોએ 1961માં ગોવાને આઝાદ કર્યું હતું. પોર્ટુગીઝ શાસનમાંથી દરિયાકાંઠાના રાજ્યની મુક્તિના 60 વર્ષ પૂરા થયાની ઉજવણીમાં ભાગ લેવા માટે આજે બપોરે અહીં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને બાદમાં મીરામાર ખાતે ફ્લાયપાસ્ટ અને શિપ પરેડના સાક્ષી બન્યા હતા.

આ પણ વાંચો: Bank of Baroda Recuirtment 2021: આ બેંકમાં ડેવલપર સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: UPSC NDA NA Result: UPSC NDA લેખિત પરીક્ષાનું પરિણામ થયું જાહેર, અહીં કરો ડાઉનલોડ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">