મોદી સરકારની આ ત્રણ યોજનાના 7 વર્ષ પૂર્ણ, 312 રૂપિયામાં મળે છે 4 લાખનો ફાયદો

PMJJBY (Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana) હેઠળ 12 કરોડથી વધુ નોમિનેશન કરવામાં આવ્યા છે. ત્યારે PMSBY હેઠળ કુલ નોંધણી 28.37 કરોડ છે. PMJJBY અને PMSBY હેઠળ, 312 રૂપિયાના પ્રીમિયમ માટે 4 લાખ રૂપિયાનું કવર ઉપલબ્ધ છે.

મોદી સરકારની આ ત્રણ યોજનાના 7 વર્ષ પૂર્ણ, 312 રૂપિયામાં મળે છે 4 લાખનો ફાયદો
Pradhan Mantri Jeevan Jyoti Bima YojanaImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2022 | 3:44 PM

મોદી સરકારની સામાજિક સુરક્ષા પૂરી પાડતી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana),પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી અટલ પેન્શન યોજનાને આજે સાત વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ યોજનાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ 9 મે 2015ના રોજ શરૂ કરી હતી. આ યોજનાઓ સસ્તા દરે વીમા અને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા સાથે લોકોને પેન્શન આપવામાં સફળ રહી છે. PMJJBY હેઠળ 12 કરોડથી વધુ નોમિનેશન કરવામાં આવ્યા છે. ત્યારે PMSBY હેઠળ કુલ નોંધણી 28.37 કરોડ છે. PMJJBY અને PMSBY હેઠળ, 312 રૂપિયાના પ્રીમિયમ માટે 4 લાખ રૂપિયાનું કવર ઉપલબ્ધ છે.

7મી વર્ષગાંઠ પર, નાણામંત્રી નિર્મલા સીતારમણે(Finance Minister)જણાવ્યું હતું કે, છેલ્લા 7 વર્ષમાં આ યોજનાઓમાં નોંધાયેલા અને લાભ મેળવનારા લોકોની સંખ્યા તેમની સફળતાનો પુરાવો છે. માનનીય વડા પ્રધાન દ્વારા 15મી ઑગસ્ટ 2014ના રોજ જાહેર કરાયેલ નાણાકીય સમાવેશ માટેના રાષ્ટ્રીય મિશનના મુખ્ય ઉદ્દેશોમાંનો એક મુખ્ય ઉદ્દેશ્ય સમાજના ગરીબ અને વંચિત વર્ગને સસ્તું ઉત્પાદનો દ્વારા જરૂરી નાણાકીય સુરક્ષા પ્રદાન કરવા માટે વીમા અને પેન્શનના કવરેજને વિસ્તારવાનો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ ઓછી કિંમતની વીમા યોજનાઓ અને બાંયધરીકૃત પેન્શન યોજનાઓ એ સુનિશ્ચિત કરે છે કે નાણાકીય સુરક્ષા, જે પહેલા અમુક પસંદગીના લોકો માટે ઉપલબ્ધ હતી, તે હવે સમાજના છેલ્લા માણસ સુધી પહોંચે છે.

જાહેર સુરક્ષા યોજનાઓના 7 વર્ષ પૂર્ણ થયા

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) હેઠળ તેની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 12.76 કરોડ નોંધણી કરવામાં આવી છે અને 5,76,121 દાવાઓ માટે રૂ. 11,522 કરોડની રકમ ચૂકવવામાં આવી છે. PMJJBY વાર્ષિક રૂ. 330ના પ્રીમિયમ પર 18-50 વર્ષની વય જૂથના નાગરિકોને રૂ. 2 લાખનું એક વર્ષનું ટર્મ લાઇફ કવર ઓફર કરે છે, જે દર વર્ષે રિન્યૂ કરી શકાય છે.

જે વ્યક્તિઓ પાસે બેંક ખાતું છે તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. જીવન વીમો બેંકો અને પોસ્ટ ઓફિસોમાં સામાન્ય વીમા કંપનીઓ સાથે મળીને ઉપલબ્ધ છે. વીમાનો સમયગાળો 1લી જૂનથી 31મી મે સુધીનો છે. ગ્રાહકે 31 મે સુધીમાં નોંધણી કરાવીને ઓટો ડેબિટનો વિકલ્પ સ્વીકારવો પડશે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના

9મી મે 2015ના રોજ શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના એક અકસ્માત વીમા યોજના છે, જે મૃત્યુ અથવા સંપૂર્ણ/આંશિક કાયમી અપંગતા માટે વીમા કવચ પ્રદાન કરે છે. તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા છે. 18 થી 70 વર્ષની વય જૂથના તમામ બેંક ખાતા ધારકો આ યોજનાનો લાભ લઈ શકે છે.

જેમાં અકસ્માતમાં મૃત્યુ અને સંપૂર્ણ/આંશિક કાયમી અપંગતાને આવરી લે છે. આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ કાયમી અપંગતા પર 2 લાખ રૂપિયા મળે છે. આંશિક કાયમી અપંગતા પર 1 લાખ રૂપિયા મળે છે. વીમાની મુદત 1 જૂનથી 31 મે સુધી છે.

અટલ પેન્શન યોજના (APY)

9મી મે 2015ના રોજ શરૂ કરાયેલ, અટલ પેન્શન યોજના દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારોને વૃદ્ધાવસ્થા દરમિયાન નાણાકીય સુરક્ષા પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. NPS ના એકંદર માળખા હેઠળ APY નું સંચાલન પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)દ્વારા કરવામાં આવે છે.

APY સબસ્ક્રાઇબરના યોગદાનના આધારે 60 વર્ષની ઉંમરથી દર મહિને રૂ. 1,000 થી રૂ. 5,000 સુધીના લઘુત્તમ પેન્શનની બાંયધરી આપે છે. આજની તારીખે APY યોજના હેઠળ 4 કરોડથી વધુ ગ્રાહકો નોંધાયેલા છે. પેન્શનની કુલ સંપત્તિ રૂ. 20,922 કરોડ છે, જે વાર્ષિક ધોરણે 33.37 ટકા વધી છે.

પ્રીમિયમ માસિક, ત્રિમાસિક અથવા અર્ધવાર્ષિક ચૂકવી શકાય છે. યોગદાનની રકમ પસંદ કરેલ પેન્શનની રકમ અને વ્યક્તિની ઉંમરના આધારે નક્કી કરવામાં આવશે. 18 થી 40 વર્ષની વય જૂથના માન્ય બચત ખાતા ધારકો આ યોજના માટે પોતાને નોંધણી કરાવી શકે છે.

ખાતાધારકના મૃત્યુ પર, જીવનસાથીને સમાન પેન્શનની ખાતરી આપવામાં આવે છે. ખાતાધારક અને તેના/તેણીના જીવનસાથી બંનેના મૃત્યુની સ્થિતિમાં, નોમિનીને સંપૂર્ણ રકમ મળે છે. સબ્સ્ક્રાઇબરના અકાળ મૃત્યુના કિસ્સામાં (60 વર્ષની વય પહેલાં મૃત્યુ), સબસ્ક્રાઇબરના જીવનસાથી બાકીના સમયગાળા માટે સબસ્ક્રાઇબરના APY ખાતામાં યોગદાન આપવાનું ચાલુ રાખી શકે છે, જ્યાં સુધી મૂળ ગ્રાહક 60 વર્ષની ઉંમરે પહોંચે નહીં.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">