પેન્ટાગોન પ્રેસ સેક્રેટરી જોન કિર્બીએ તેમની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સેક્રેટરી ઓસ્ટીને યુએસ-ભારત સંબંધોને મજબૂત કરવા અને આપણી સંરક્ષણ ભાગીદારીને મજબૂત કરવા માટે અમેરિકાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત, તેમની પત્ની અને અન્ય તમામ ભારતીયોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.
ઓસ્ટીને જનરલ રાવત સાથેની મુલાકાત યાદ કરી
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેમના યુએસ સમકક્ષે કરેલા ફોન માટે તેમની પ્રશંસા કરી. તેમણે ટ્વીટ કરીને લખ્યુ કે “સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિન દ્વારા ટેલિફોન કૉલની ખૂબ પ્રશંસા કરીએ છીએ, જેમણે CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને 11 અન્ય સશસ્ત્ર દળોના કર્મચારીઓના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો,” તેમણે કહ્યું, ઓસ્ટીને તેમની તાજેતરની યુએસ મુલાકાત દરમિયાન જનરલ રાવત સાથેની મુલાકાતને યાદ કરી.
નોંધનીય છે કે ગયા અઠવાડિયે યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકને કહ્યું હતું કે જનરલ રાવત “ભારત માટે મજબૂત નેતા અને વકીલ હતા અને તેમનું નિધન બંને દેશો માટે મોટી ખોટ છે”.
હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો
જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને બ્રિગેડિયર લિડર ઉપરાંત, Mi-17 V5 હેલિકોપ્ટર દુર્ઘટનામાં 11 લોકોના મૃત્યુ થયા હતા. આ હેલિકોપ્ટર દુર્ઘટના છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતમાં બનેલી મોટી હવાઈ દુર્ઘટનાઓમાંની એક છે જેમાં વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ મુસાફરી કરી રહ્યા હતા.
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અન્ય જવાનોમાં લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, વિંગ કમાન્ડર પીએસ ચૌહાણ, સ્ક્વોડ્રન લીડર કે સિંહ, જેડબલ્યુઓ દાસ, જેડબલ્યુઓ પ્રદીપ એ, હવાલદાર સતપાલ, નાઈક ગુરસેવક સિંહ, નાઈક જિતેન્દ્ર કુમાર, લાન્સ નાઈક વિવેક કુમાર અને લાન્સ નાઈક સાઈ તેજાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો –GANDHINAGAR : ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે રાજ્યના ચૂંટણીપંચ, આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ
આ પણ વાંચો –એક સમય પર વ્લાદિમીર પુતિનને ટેક્સી ચલાવવાની ફરજ પડી હતી! રશિયન રાષ્ટ્રપતિએ પરિસ્થિતિ વિશે કરી વાત