વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વધુ એકવાર સ્પષ્ટતા કરતા કહ્યું કે, સંસદમાં પસાર કરાયેલા કૃષિબિલના કારણે, દેશમાં ચાલી આવતી વિવિધ અનાજના ટેકાના ભાવની પ્રથા બંધ નહી થાય. કોંગ્રેસનું નામ લીધા વિના મોદીએ કહ્યું કે, જે લોકો આજે ખેડૂત હિતની વાતો કરી રહ્યાં છે. તેઓએ સ્વામિનાથન કમિટીની ભલામણોને દબાવીને બેઠા હતા. આજે પોતાના હાથમાં હવે કોઈ નિયંત્રણ ના રહેતા ખેડૂતોને ટેકાના ભાવ મુદદ્દે ભરમાવી રહ્યાં છે. એનડીએની સરકારે 2014થી છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતો પાસેથી કરેલ ખરીદી અને 2014 પહેલાના પાંચ વર્ષમાં કરેલ ખરીદીના આંકડાઓ સરખાવી જોએ તો ખબર પડશે કે કોણ ખેડૂતોના હામી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો