AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાગતા રહ્યા સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારાઓ, કરી એક ભૂલને પોલીસે દબોચી લીધા

સુખદેવ સિંહ ગોગામેડીના ઘરે હાજર હતા ત્યારે ત્રણ બદમાશોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. બદમાશો અચાનક આવ્યા અને તરત જ સુખદેવ સિંહને નિશાન બનાવ્યા અને તેમને ગોળીઓથી વિંધી નાખ્યા હતા. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ભાગતા રહ્યા સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારાઓ, કરી એક ભૂલને પોલીસે દબોચી લીધા
| Updated on: Dec 10, 2023 | 9:39 AM
Share

રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીને બદમાશોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. હવે દિલ્હી અને રાજસ્થાનની પોલીસે ચંદીગઢની એક હોટલમાંથી આ ઘટનામાં સામેલ બે શૂટર્સ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. તેમના નામ રોહિત રાઠોડ, નીતિન ફૌજી અને ઉધમ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે પોલીસ હોટલ પર પહોંચી ત્યારે ગુનામાં સામેલ બે આરોપીઓ રોહિત અને નીતિન સાથે ઉધમ પણ હાજર હતો.

ગુનો કર્યા બાદ રોહિત રાઠોડ અને નીતિન ફૌજી પોલીસને ચકમો આપવા સતત પોતાનું લોકેશન બદલતા રહ્યા હતા. જયપુરમાં સુખદેવ સિંહની હત્યા કર્યા બાદ બંને હરિયાણાના હિસાર પહોંચ્યા હતા. આ પછી ફરી બસમાં મનાલી ભાગી ગયા હતા. પરંતુ, બંને અહીંથી ન અટક્યા, તેઓ અહીંથી ચંદીગઢ પહોંચ્યા હતા. જો કે, બંને બદમાશોએ એક ભૂલ કરી હતી. આ બદમાશોએ તેમના મોબાઈલ ચાલુ રાખ્યા હતા. તેમના મોબાઈલ લોકેશનની મદદથી પોલીસ ચંદીગઢ પહોંચી અને બંનેની ધરપકડ કરી હતી.

17 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું

પોલીસના જણાવ્યા અનુસાર બદમાશોએ કુલ 17 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ બદમાશોએ તેમની બંદૂક પણ છુપાવી દીધી હતી. રસ્તામાં તેમની પાસે માત્ર રોકડ અને મોબાઈલ હતો. તેમણે આવું એટલા માટે કર્યું જેથી કોઈને તેમના પર શંકા ન કરી શકે. કહેવામાં આવી રહ્યું છે કે આ બંને ગુનેગારો વીરેન્દ્ર ચાહન અને દાનારામના સતત સંપર્કમાં હતા. આ બંનેના કહેવા પર તેણે સુખદેવ સિંહની હત્યા કરી નાખી હતી.

સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ કેદ થયા હતા

સુખદેવ સિંહ ઘરે હાજર હતા ત્યારે ત્રણ બદમાશોએ આ ગુનો કર્યો હતો હતો. આરોપીઓ અચાનક આવ્યા અને તરત જ સુખદેવને નિશાન બનાવ્યા હતા અને તેમને ગોળીઓથી વિંધી નાખ્યા હતા. આ બદમાશોમાંથી એકનું નામ નવીન શેખાવત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્રોસ ફાયરિંગમાં તેને પણ ગોળી વાગી હતી, જેના કારણે તેનું મોત થયું હતું.

આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. સુખદેવ સિંહ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ હતા. તેઓ અગાઉ કરણી સેના સાથે લાંબા સમય સુધી જોડાયેલા હતા, પરંતુ બાદમાં મતભેદોને કારણે તેમણે પોતાનું અલગ સંગઠન બનાવ્યું હતું, જેનું નામ તેમણે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના રાખ્યું હતું.

આ પણ વાંચો: ગોગામેડી હત્યાકાંડ: પોલીસને મળી મોટી સફળતા, ચંદીગઢમાંથી બે શૂટર સહિત ત્રણ આરોપીની ધરપકડ

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">