Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi News: દિલ્હીમાં મોહરમ પર બગડ્યો માહોલ ! જુલૂસ પર પથ્થરમારો, તો સ્ટેડિયમમાં જવા પર હોબાળો

દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં મોહરમ નિમિત્તે તાજિયા જુલૂસ કાઢવામાં આવી રહ્યું હતું, તે સમયે કેટલાક બદમાશોએ પહેલા રસ્તો બદલી નાખ્યો અને પછી જ્યારે પોલીસે તેમ કરવાની ના પાડી તો તેઓએ પોલીસ પર જ પથ્થરમારો કર્યો.

Delhi News: દિલ્હીમાં મોહરમ પર બગડ્યો માહોલ ! જુલૂસ પર પથ્થરમારો, તો સ્ટેડિયમમાં જવા પર હોબાળો
The atmosphere deteriorated on Muharram in Delhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 9:39 AM

દિલ્હીમાં મોહરમ નિમિત્તે ફરી એકવાર વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દિલ્હીમાં મોહરમના તાજિયા જુલુસ દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જે બાદ વાતાવરણ બગડ્યું હતું. આ દરમિયાન હંગામો ઘણો વધી ગયો હતો, જેથી પોલીસે વાતાવરણને શાંત કરવા બળપ્રયોગ કરવો પડ્યો હતો. ઘટના બાદ વાતાવરણ ફરી ન બગડે તે માટે પોલીસે સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે વાતાવરણ બગાડનારા છોકરાઓની ઓળખ કરવાનું શરૂ કર્યું છે.

દિલ્હીમાં મહોરમ પર બબાલ

મળતી માહિતી મુજબ આ આખો મામલો દિલ્હીના નાંગલોઈનો છે. અહીં શનિવારે મહોરમ નિમિત્તે ઘણી જગ્યાએથી તાજિયા કાઢવામાં આવી રહ્યા હતા. જ્યારે તાજિયા કિરારી પ્રેમનગર થઈને સૂરજમલ મેટ્રો સ્ટેશન પાસે પહોંચ્યા ત્યારે કેટલાક લોકોએ સૂરજમલ સ્ટેડિયમની અંદર જુલૂસ કાઢ્યું. જોકે, સરઘસને સ્ટેડિયમની અંદર જવા દેવામાં આવ્યું ન હતું. દિલ્હી પોલીસ સાથેની બેઠકમાં આયોજકે એક રસ્તો નક્કી કર્યો હતો જેમાં સ્ટેડિયમનો સમાવેશ ન હતો.

સ્ટેડિયમમાં જવા પર હોબાળો

દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં મોહરમ નિમિત્તે તાજિયા જુલૂસ કાઢવામાં આવી રહ્યું હતું, તે સમયે કેટલાક બદમાશોએ પહેલા રસ્તો બદલી નાખ્યો અને પછી જ્યારે પોલીસે તેમ કરવાની ના પાડી તો તેઓએ પોલીસ પર જ પથ્થરમારો કર્યો.

Video : સચિનની લાડલી સારા તેંડુલકરે શાહરૂખ ખાનની કરી કોપી
Jioએ કરોડો યુઝર્સનું ટેન્શન કર્યુ દૂર ! લાવ્યું 90 દિવસનો પ્લાન, IPL જોઈ શકશો ફ્રી
IPLની કોઈપણ સિઝનમાં પહેલા બોલ પર નથી થયો આ કમાલ
ભગવાનની મૂર્તિને ચઢાવેલા ફૂલો નદીમાં કેમ પધરાવવામાં આવે છે?
ગરમીમાં પણ છતની ટાંકીનું પાણી નહીં થાય ગરમ ! અજમાવો આ 3 ટ્રિક
Vitamin B12: ઉનાળામાં વિટામિન B12 ની ઉણપ કેવી રીતે દૂર કરવી?

જ્યારે પોલીસે સરઘસને અંદર જતા અટકાવ્યું ત્યારે સરઘસમાં હાજર કેટલાક બદમાશો હાજર હતા. જેમણે સ્ટેડિયમના ગેટ પર પોલીસ ટીમ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. કેટલાક બદમાશો તલવારો, લાકડીઓ અને દિલ્હી પોલીસના વાહનો અને ડીટીસી બસોના કાચ લઈને શેરીઓમાં ફરતા હતા અને કેટલાક ખાનગી વાહનોના કાચ તોડી નાખ્યા હતા. ઉપદ્રવ એટલો વધી ગયો કે 10થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા. જે બાદ પોલીસે લાઠીચાર્જ કરીને સ્થિતિને કાબુમાં લીધી હતી. હાલમાં સૂરજમલ મેટ્રો સ્ટેશન પાસે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પોલીસ બદમાશોની ધરપકડ કરવામાં વ્યસ્ત

વાતાવરણ શાંત રાખવા માટે અનેક પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર હતા. જેમાં ડીસીપી, જોઇન્ટ સીપી, સ્પેશિયલ સીપી પણ હાજર રહ્યા હતા. પોલીસે બદમાશો સામે રમખાણો ભડકાવવા સહિતની અનેક કલમો હેઠળ કેસ નોંધવાની તૈયારી કરી લીધી છે. પોલીસના હાથમાં વીડિયો દ્વારા ઘણા બદમાશોની ઓળખ થઈ છે, જેમની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">