Gyanvapi Masjid Survey : અનેક ચોંકાવનારા રહસ્યો આવ્યા સામે, જાણો અંદરથી હિંદુ ધર્મ સાથે જોડાયેલી કઈ કઈ નિશાનીઓ જોવા મળી

Survey of Gyanvapi mosque : ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સતત બીજા દિવસે સર્વે (Survey) અને વિડીયોગ્રાફીની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે બપોરે 12 વાગ્યા સુધીમાં લગભગ 65 ટકા સર્વેનું કામ પૂર્ણ થઈ ગયું છે અને તે આજે સોમવારે ફરી એકવાર શરૂ થશે.

Gyanvapi Masjid Survey : અનેક ચોંકાવનારા રહસ્યો આવ્યા સામે, જાણો અંદરથી હિંદુ ધર્મ સાથે જોડાયેલી કઈ કઈ નિશાનીઓ જોવા મળી
Survey of Gyanvapi Masjid
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2022 | 8:50 AM

ઉત્તર પ્રદેશના વારાણસી (Varanasi) જિલ્લામાં જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Masjid) સંકુલના સર્વે-વીડિયોગ્રાફી દરમિયાન અનેક ચોંકાવનારા રહસ્યો સામે આવ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મંદિરના ઉપરના ભાગ એટલે કે શ્રૃંગાર ગૌરી માતાના મંદિરના ઉપરના ભાગને જોતા એવું લાગે છે કે જાણે તે શિખરની ટોચ પર કોઈએ ઘુમ્મટ બનાવ્યો હોય.. વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. અંદર અને બહાર કુલ પાંચ ભોંયરાઓ છે, જેમાંથી એક ભોંયરાનો દરવાજો દરવાજો તે દરવાજા પાસે મળી આવ્યો છે. અમે આગળ ગયા તો ખબર પડી કે ત્યાં એક દરવાજો બંધ હતો, જે આગળ એક ટનલ જેવો છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે આ સુરંગ સીધી ગંગાના કિનારે જાય છે, કારણ કે ભૂતકાળમાં એવો નજારો હતો કે ગંગામાં સ્નાન કર્યા પછી લોકો સીધા મંદિરમાં પૂજા કરવા આવતા હતા.

અંદર શું શું મળ્યું ?

જ્ઞાનવાપી પરિસરમાં અત્યાર સુધી લોકો જાણતા હતા કે એક જ કૂવો છે, જેનું નામ જ્ઞાનવાપી રાખવામાં આવ્યું છે. જ્યારે હાલ વિડિયોગ્રાફી કરવામાં આવી છે ત્યારે જાણવા મળ્યું છે કે એક નહીં પરંતુ બે કૂવા છે. TV9 ભારતવર્ષને મળેલી માહિતી અનુસાર, વીડિયોગ્રાફી દરમિયાન ત્રિશૂળ, સ્વસ્તિક, દેવી-દેવતાઓના ખંડિત અવશેષો, દેવતાઓને રાખવા માટેની જગ્યાઓ, મસ્જિદની અંદર બે કૂવા, ભોંયરામાં ઘંટ, સંસ્કૃત શ્લોક અને પાણીના સ્ત્રોત મળી આવ્યા છે. ભગવાન ભૈરવની સવારી સહિત કુલ પાંચ ભોયરાં મળી આવ્યા છે. ભોંયરાનો દરવાજો બંધ છે, જે ઇંટોથી ભરેલો છે.

જણાવી દઈએ કે સઘન સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સતત બીજા દિવસે સર્વે અને વિડિયોગ્રાફીની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ગઈકાલ રવિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં લગભગ 65 ટકા સર્વેનું કામ પૂર્ણ થઈ ગયું છે અને તે સોમવારે ફરી એકવાર શરૂ થશે. કોર્ટના આદેશ મુજબ સર્વેની કામગીરી સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી કરવાની છે. રવિવારે સવારે 1.30 વાગ્યે સર્વે ટીમ બહાર આવી હતી. સ્પેશિયલ એડવોકેટ કમિશનર વિશાલ સિંહે જણાવ્યું હતું કે, “કોર્ટના આદેશ પર, સર્વેની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે હાથ ધરવામાં આવી હતી. સર્વેમાં કોઈ અવરોધ ન હતો. સર્વે રિપોર્ટ ગોપનીય છે અને તેને અત્યારે જાહેર કરી શકાશે નહીં. સિંહના જણાવ્યા અનુસાર, સર્વેને સમયસર પૂર્ણ કરવાના તમામ પ્રયાસ કરવામાં આવશે અને 17 મેના રોજ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

સર્વેનું લગભગ 65 ટકા કામ પૂર્ણ – હિન્દુ પક્ષ

હિન્દુ પક્ષના વકીલ મદન મોહન યાદવે જણાવ્યું કે રવિવારે લગભગ 65 ટકા સર્વેનું કામ પૂર્ણ થઈ ગયું છે. યાદવે કહ્યું કે, વકીલોને આ પ્રકારના સર્વે કાર્યની આદત નથી અને તે પુરાતત્વીય સર્વેક્ષણનું કામ છે, તેથી તેમાં થોડો સમય લાગી રહ્યો છે. સર્વેક્ષણ સ્થળ પર પહોંચેલા વારાણસી પોલીસ કમિશનર એ સતીશ ગણેશે કહ્યું, “કોર્ટના આદેશ મુજબ, બીજા દિવસે પણ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સર્વેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને કમિશનના સભ્યોએ અંદર કામ કર્યું હતું.” તેમણે વધુમા કહ્યું કે, “શનિવારે પણ સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ રવિવારે તે સુનિશ્ચિત કરવા માટે વધુ સુધારી દેવામાં આવી છે કે અહી આવનારા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ના પડે.” “આદર્શ વાતાવરણ પૂરું પાડવાની અમારી જવાબદારી છે જેથી સર્વેક્ષણ પ્રક્રિયા કોઈપણ અવરોધ વિના આગળ વધી શકે,”

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">