મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ રાહત નથી

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. મની લોન્ડરિંગ કેસમાં દેશમુખને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી નથી

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ રાહત નથી
અનીલ દેશમુખ (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 7:44 PM

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ચાલી રહેલી સીબીઆઈ તપાસ કેસમાં પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકારે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટે દેશમુખની અરજી ફગાવી દીધી છે. દેશમુખે સુપ્રીમ કોર્ટમાં તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવા અરજી કરી હતી. આ બાબતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાનૂની ઉપાય માત્ર કાનૂની જોગવાઈઓ હેઠળ જ લઈ શકાય છે.

મહારાષ્ટ્ર સરકારે કહ્યું હતું કે સીબીઆઈએ માત્ર રેસ્ટોરન્ટ્સ અને બારમાંથી લેવામાં આવેલા વસૂલાતના આરોપોની તપાસ કરવી જોઈએ અને પોલીસ અધિકારીઓની નિમણૂક અને ટ્રાન્સફર સંબંધિત મામલાની તપાસ કરવી જોઈએ નહીં.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ એમઆર શાહની ખંડપીઠે કહ્યું કે તેઓ મુંબઈ હાઈકોર્ટના 22 જુલાઈના ચુકાદામાં દખલ કરવા નથી માંગતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સીબીઆઈએ આરોપોના તમામ પાસાઓની તપાસ કરવાની છે અને અમે તેમને મર્યાદિત કરી શકતા નથી. કોર્ટે એમ પણ કહ્યું કે અરજીને જોતા એવું લાગે છે કે રાજ્ય સરકાર પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને સીબીઆઈ તપાસમાંથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે.

અનિલ દેશમુખે મની લોન્ડરિંગ એક્ટની વિવિધ કલમો હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોંધાયેલા ફોજદારી કેસમાં કોઈ જબરદસ્ત કાર્યવાહી ટાળવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ અને તેમના પુત્રને મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અનેક વખત સમન્સ પાઠવવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્ર પોલીસ એસ્ટાબ્લિશમેન્ટમાં 100 કરોડના કથિત લાંચ-કમ-ખંડણી રેકેટના સંબંધમાં મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નોંધાયેલા ફોજદારી કેસમાં સમન્સ જારી કરવામાં આવ્યા હતા, જેના કારણે દેશમુખે એપ્રિલમાં તેમના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.

આ સાથે જ દેશમુખના મુંબઇ અને નાગપુરના પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તેના સહયોગીઓ અને સંબંધીઓના ઘરો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. જે બાદ તેના બે સહયોગીઓ, ખાનગી સચિવ સંજીવ પાલાંદે અને અંગત મદદનીશ કુંદન શિંદેની પણ ધરપકડ કરવામાં આવી હતી.

અગાઉ, મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે દેશમુખ પર 100 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો, જેના આધારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ તેમની સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધાવ્યો હતો. આ પછી, ED એ દેશમુખ અને અન્યો સામે કેસ નોંધ્યો હતો. ED એ અનિલ દેશમુખ અને તેના પરિવારની 4.20 કરોડની સંપત્તિ પણ જપ્ત કરી છે.

ઇડીએ દાવો કર્યો હતો કે તપાસમાં જાણવા મળ્યું છે કે દેશમુખ, મહારાષ્ટ્રના ગૃહમંત્રી હતા ત્યારે, મુંબઇ પોલીસના તત્કાલીન મદદનીશ પોલીસ નિરીક્ષક (સસ્પેન્ડેડ) સચિન વાજે મારફતે વિવિધ ઓર્કેસ્ટ્રા બાર માલિકો સાથે બેઇમાનીથી 4.70 કરોડ રૂપિયા રોકડ વસૂલ્યા હતા.

આ પણ વાંચો : Gujarat Top News: રાજ્યમાં વરસાદ, રાજકીય હલચલ કે વેક્સિનેશનને લગતા મહત્વના સમાચાર, વાંચો એક જ ક્લિકમાં

આ પણ વાંચો : Afghanistanમાં સરકાર બનવાનું શરુ, ઝબીહુલ્લાહ મુજાહિદને બનાવાયા સંસ્કૃતિ અને સૂચના મંત્રી

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">