“શું આ કહેવાતા પશુપ્રેમીઓ એ બાળકોને પાછા લાવી શકશે જેમના હડકવાના કારણે જીવ ગયા છે?”- સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાનને લઈને છોડ્યા આદેશ
સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCRમાં તમામ રખડતા કુતરાઓને હટાવવાનો મોટો આદેશ કર્યો છે. આ નિર્ણય કુતરાના કરડવાથી હડકવાના વધતા કેસને પગલે લેવાયો છે. કોર્ટે કહ્યુ છે કે જે કહેવાતા પશુપ્રેમીઓ છે, તેઓ શું એ બાળકોને પાછા લાવી શકશે ? જેઓ હડકવાનો શિકાર બન્યા છે.

સુપ્રીમ કોર્ટે સોમવાર એક ઐતિહાસિક આદેશમાં દિલ્હી-NCR માં તમામ રખડતા શ્વાનોને માનવ વસ્તીવાળા વિસ્તારોમાંથી હટાવવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટનો આ મહત્વપૂર્ણ આદેશ કુતરા કરડવાના અને તેનાથી વધતી હડકવાની બીમારીના ખતરા બાદ આવ્યો છે. જેમા અનેક બાળકો અને વૃદ્ધો ન માત્ર ઈજાગ્રસ્ત થયા છે પરંતુ કેટલાકના તો મૃત્યુ પણ થયા છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જેબી પારડીવાલાએ અને જસ્ટીસ આર મહાદેવનની બેંચે તેમના આદેશને કોઈપણ પ્રકારના સમાધાન કે બાંધછોડ વિના પાલન કરવાનો આદેશ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે 8 સપ્તાહમાં માગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટના આદેશમાં જણાવાયું છે કે જો કોઈ વ્યક્તિ કે સંગઠન આ પ્રક્રિયાનો વિરોધ કરશે તો તે તેમની સામે કાર્યવાહી કરશે. કોર્ટે કહ્યું કે કૂતરા કરડવા અને હડકવાની સમસ્યા પર તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, ‘NCT દિલ્હી પ્રદેશ, MCD અને NDMC ને કૂતરાઓ માટે આશ્રયસ્થાનો બનાવવા અને આવા માળખાગત બાંધકામ અંગે 8 અઠવાડિયાની અંદર આ કોર્ટને રિપોર્ટ કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. કૂતરાઓના આશ્રયસ્થાનોમાં નસબંધી અને રસીકરણ માટે પૂરતો સ્ટાફ હોવો જોઈએ. કૂતરાઓના આશ્રયસ્થાનો પર CCTV દ્વારા દેખરેખ રાખવામાં આવશે.’ રખડતા કૂતરાઓની સમસ્યાથી જનતાને મુક્તિ આપવા માટે સુપ્રીમ કોર્ટે આપેલા આદેશના પાંચ મહત્વપૂર્ણ મુદ્દાઓ ધ્યાનમાં લેવા જરૂરી છે.
સુપ્રીમ કોર્ટના આદેશના 5 મોટા મુદ્દા
- બાર અને બેન્ચ અનુસાર, સુપ્રીમ કોર્ટે પોતાની મૌખિક ટિપ્પણીમાં કહ્યું હતું કે ‘અમે આ આપણા માટે નથી કરી રહ્યા, તે જાહેર હિતમાં છે. તેથી, કોઈપણ પ્રકારની લાગણીઓ સામેલ ન હોવી જોઈએ. શક્ય તેટલી વહેલી તકે કાર્યવાહી કરવી જોઈએ. બધા વિસ્તારોમાંથી કૂતરાઓને ઉપાડો અને દૂરના વિસ્તારોમાં લઈ જાઓ.’દરરોજ પકડાયેલા રખડતા કૂતરાઓનો રેકોર્ડ મેઈન્ટેન કરો.
- જો કોઈ વ્યક્તિ કે સંગઠન રખડતા કૂતરાઓને ઉપાડવાની કે એકત્રિત કરવાની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરશે, તો અમે આવા કોઈપણ પ્રતિકાર સામે કાર્યવાહી કરીશું. આ કાર્યવાહીમાં કોર્ટના તિરસ્કારનો કેસ પણ સામેલ હશે. એક પણ રખડતા કૂતરુ ભટક્તુ ન દેખાવુ જોઈએ.
- જસ્ટિસ પારડીવાલાએ કહ્યું કે ‘આ બધા કહેવાતા પ્રાણી પ્રેમીઓ, શું તેઓ એવા બાળકોને પાછા લાવી શકશે જેમણે (હડકવાને કારણે) પોતાનો જીવ ગુમાવ્યો છે?’
- શિશુઓ અને નાના બાળકોને કોઈપણ સંજોગોમાં હડકવાનો ભોગ બનવા દેવા જોઈએ નહીં. આ કાર્યવાહીથી તેમનામાં વિશ્વાસ જગાડવો જોઈએ કે તેઓ રખડતા કૂતરાઓ કરડવાના ડર વિના મુક્તપણે ફરી શકે છે.
- ખાનગી હોસ્પિટલોમાં હડકવાની રસી આપી શકાતી નથી. આ કાર્ય ફક્ત સરકારી હોસ્પિટલોમાં જ થવું જોઈએ. કૂતરા કરડવાની ઘટનાઓના અહેવાલો નોંધાવવા માટે એક અઠવાડિયામાં એક હેલ્પલાઇન બનાવો. હડકવાની રસીઓ ઉપલબ્ધ હોય તેવા સ્થળોની સંપૂર્ણ વિગતો પ્રકાશિત કરો.
રખડતા કૂતરા કેવી રીતેબની રહ્યા છે ખતરનાક?
તાજેતરમાં એક સમાચારપત્રમાં માં એક અહેવાલ પ્રકાશિત થયો હતો, જેમાં ફક્ત દિલ્હીમાં જ કૂતરા કરડવાના 2,000 બનાવોના અહેવાલો હતા. જ્યારે, દેશમાં આ સંખ્યા દરરોજ 20,000 હોવાનો અંદાજ હતો. આ અહેવાલ મુજબ, 2016 માં હાથ ધરવામાં આવેલા છેલ્લા કૂતરા સર્વેમાં, ફક્ત તત્કાલીન પૂર્વ કોર્પોરેશનમાં 1,89,285 રખડતા કૂતરા હતા. 2023 માં, દિલ્હીમાં 57,173 લોકોને કૂતરા કરડ્યા હતા, જ્યારે ઓગસ્ટ 2024 સુધીમાં, આ આંકડો 44,995 પર પહોંચી ગયો હતો.
