AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, આ ભરતી પરીક્ષામાં નવા નિયમો થયા લાગુ

હવે સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષાઓમાં એક્ઝિટ વેરિફિકેશન કરવામાં આવશે. આ અંગેની માહિતી SSCની વેબસાઇટ ssc.nic.in પર આપવામાં આવી છે.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, આ ભરતી પરીક્ષામાં નવા નિયમો થયા લાગુ
SSC Exams 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 12:17 PM
Share

SSC Exams 2022 : સ્ટાફ સિલેકશન કમિશનની ભરતી પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ માહિતી છે. SSC તેની ઘણી ભરતી પરીક્ષાઓમાં નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે. આ સંદર્ભમાં સ્ટાફ સિલેક્શન કમિશને તેની વેબસાઇટ ssc.nic.in પર નોટિસ પણ જારી કરી છે. ત્યારે હાલ ઉમેદવારોને SSC(Staff Selection Commission)  એક્ઝિટ વેરિફિકેશન શું છે ? કઈ પરીક્ષાઓ લાગુ થશે? આ એક્ઝિટ વેરિફિકેશન કેવી રીતે કરવું ? આ બધા સવાલ ઉઠી રહ્યા છે.

સ્ટાફ સિલેક્શન કમિશનએ નોટિસમાં જણાવવામાં આવ્યુ છે કે, તમામ ઉમેદવારો માટે એક્ઝિટ વેરિફિકેશન (Exit Verification) કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, આ પ્રક્રિયા ફક્ત તે પરીક્ષાઓમાં જ લાગુ થશે જે કમ્પ્યુટર મોડ પર લેવામાં આવશે. એટલે કે, એસએસસી પરીક્ષામાં બેસનાર તમામ ઉમેદવારોની કોમ્પ્યુટર મોડ ટેસ્ટ (CBT) પર લેવામાં આવશે, આ માટે તમામ ઉમેદવારોએ એક્ઝિટ વેરિફિકેશનની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

એક્ઝિટ વેરિફિકેશન ક્યારે થશે?

SSC એ જણાવ્યુ છે કે, પરીક્ષા પૂર્ણ થયા પછી એક્ઝિટ વેરિફિકેશન કરવામાં આવશે. પરંતુ તે જ સમયે જ્યારે ઉમેદવારો કોમ્પ્યુટર લેબમાં બેઠા હશે. એટલે કે, પરીક્ષા પૂર્ણ કર્યા પછી અને કમ્પ્યુટર લેબમાંથી (Computer Lab) બહાર નીકળતા પહેલા તમારે એક્ઝિટ વેરિફિકેશન કરવું પડશે.

એક્ઝિટ વેરિફિકેશન કેવી રીતે કરવું ?

ઉમેદવારોનો બાયોમેટ્રિક ડેટા SSC એક્ઝિટ વેરિફિકેશનમાં (Exit Verification) લેવામાં આવશે. જેમ કે તેમનો ફોટોગ્રાફ, ડાબા અંગૂઠાની છાપ વગેરે. એટલે કે, એસએસસી કોમ્પ્યુટર મોડ પર પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોનો ડેટા એકત્રિત કરશે. તમને જણાવી દઈએ કે, ઓનલાઈન પરીક્ષાઓમાં છેતરપિંડી રોકવા માટે આયોગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્ટાફ સિલેક્શન કમિશને તમામ ઉમેદવારોને (Candidates) આ પ્રક્રિયામાં સહકાર આપવા જણાવ્યું છે. આ એક ફરજિયાત પ્રક્રિયા હશે, જે ઓનલાઈન પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોએ પૂર્ણ કરવાની રહેશે.

આ પણ વાંચો: DRDO Recruitment 2021: DRDOમાં એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી, નહીં આપવી પડે કોઈ પરીક્ષા

આ પણ વાંચો: BOI Recruitment 2021: બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી મેળવવાની તક, ફેકલ્ટી અને ઓફિસ આસિસ્ટન્ટથી લઈને ચોકીદાર સુધીની જગ્યાઓ પર ભરતી

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">