Shrinathji Temple Nathdwara : કોરોના (corona)એ ગત દોઢ વર્ષમાં ઘણા મંદિર અને ધાર્મિક સ્થાનોને લાંબા સમય સુધી બંધ રાખ્યા. આવામાં બીજી લહેર દરમિયાન પણ મંદિર અને ધાર્મિક સ્થાનો બંધ કરવાની ફરજ પડી હતી. જોકે હવે બીજી લહેર જતાની સાથે જ ધીમે ધીમે મંદિરો ખુલવા લાગ્યા છે.વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી પીઠ નાથદ્વારામાં આવેલું શ્રીનાથ મંદિર છે. ભાવિક ભક્તો આગામી બુધવારને 7 જુલાઈથી શ્રીનાથજીના દર્શન કરી શકાશે.
ભારત દેશમાં વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી પીઠ ગણાતી શ્રીનાથજી (Srinathji)મંદિર શ્રદ્ધાળુઓ માટે ફરી ખુલવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે નાથદ્વારામાં સ્થિત આ પવિત્ર સ્થળે બે મહિનાથી દર્શન બંધ હતા. હવે મંદિર ફરી ખુલ્લું મુકવામાં આવશે. જોકે હાલમાં માત્ર ગ્રીનકાર્ડધારી ભક્તો (Devotees)જ દર્શન કરી શકાશે. આ માટે મંદિર પ્રશાસન ગ્રીન કાર્ડ જાહેર કરશે. હાલમાં માત્ર સોળ સ્થાનિકો વૈષ્ણવો માટે ગ્રીન કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે.
વૈષ્ણવ સંપ્રદાયની સૌથી પીઠ નાથદ્વારા સ્થિત શ્રીનાથજી (Srinathji)મંદિર 2 મહિના બાદ ફરી દર્શન માટે ખોલવામાં આવશે. જેમાં માત્ર ગ્રીન કાર્ડ ધારક ભક્તો જ દર્શન કરી શકશે. આ માટે મંદિર મંડળ મેનેજમેન્ટ ગ્રીન કાર્ડ જાહેર કરશે. હાલમાં મંદિર મંડળે સ્થાનિક સોળ વૈષ્ણવો માટે ગ્રીન કાર્ડ (Green card)જાહેર કર્યા છે. જેમને મંદિરમાં દર્શન માટે ન તો આરટીપીસીઆર રિપોર્ટ તેમજ વેક્સિનેશનનો રિપોર્ટ દેખાડવો પડશે. બહારથી આવતા દર્શનાથીઓ માટે બંન્ને રિપોર્ટ દેખાડવા માટે ગ્રીન કાર્ડ જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની પ્રથમ લહેર દરમિયાન મંદિર પ્રશાસને સ્થાનીક સહિત બહારથી આવેલા દર્શન સુવિધા માટે રજીસ્ટર્ડ કરવાની સુવિધા શરુ કરી હતી, સ્થાનિક લોકોએ દર્શન કરવા માટે પોતાનું નામ અને સરનામું પણ નોંધાવ્યું હતું.