AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shivaji Maharaj Death Anniversary 2021 : જાણો મુગલોને ધૂળ ચટાવનાર છત્રપતિ શિવાજી મહારાજના પરાક્રમો વિશે

છત્રપતિ શિવાજી મહારાજની (Chhatrapati Shivaji Maharaj) આજે 341મી પુણ્યતીથી છે. દેશભરમાં તેમની પુણ્યતીથી મનાવવામાં આવી રહી છે.

Shivaji Maharaj Death Anniversary 2021 : જાણો મુગલોને ધૂળ ચટાવનાર છત્રપતિ શિવાજી મહારાજના પરાક્રમો વિશે
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Apr 03, 2021 | 12:48 PM
Share

છત્રપતિ શિવાજી મહારાજની (Chhatrapati Shivaji Maharaj) આજે 341મી પુણ્યતીથી (Death Anniversary) છે. દેશભરમાં તેમની પુણ્યતીથી મનાવવામાં આવી રહી છે. આજના જ દિવસે 1680માં બિમારીના કારણે તેમનું અવસાન થયુ હતુ. શિવાજી મહારાજે ભારતની ભૂમીને વિદેશી તાકાતથી બચાવવા માટે પોતાની આખી જીંદગી ન્યૌછાવર કરી નાખી હતી. જેને કારણે ઇતિહાસમાં તેમનું નામ સુવર્ણ અક્ષરોથી લખવામાં આવ્યુ. આજે પણ શિવાજી મહારાજની ગૌરવ ગાથા સાંભળવા મળે છે.

શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630માં થયો હતો. તેમના પિતાનું નામ શાહજી ભોંસલે હતુ. જ્યારે તેમની માતાનું નામ જીજાબાઇ હતુ. શિવાજી નાનપણથી જ ઘણી બધી પ્રતિભાઓના માલિક હતા. પોતાના પિતા સાથે તેઓ યુદ્ધના વિષયમાં ચર્ચાઓ કરતા અને પોતાના વિચારો મુકતા. શિવાજી મહારાજ બાળપણથી જ શિખવા સમજવામાં પ્રભાવશાળી હતા.

વર્ષ 1670માં તેમણે મુલગોને (Mughal Empire) ધૂળ ચટાડી હતી. તેમણે મુગલોને હરાવીને સિંહગઢનો કિલ્લો જીત્યો હતો ત્યાર બાદ તેમણે મરાઠા સામ્રાજ્યનો પાયો નાંખ્યો. ભારતના ઇતિહાસમાં કેટલાક વીર યોદ્ધાઓએ પોતાના પ્રાણની આહુતી આપી દીધી હતી તેમાના એક હતા શિવાજી મહારાજ. તેમને એક કુશળ યોદ્ધા અને રણનીતીકાર તરીકે ઓળખવામાં આવે છે. શિવાજી મહારાજે પોતાના કાર્યકાળ દરમિયાન મરાઠી અને સંસ્કૃત ભાષાને પ્રાધાન્ય આપ્યુ. તેમણે વર્ષો સુધી મુગલ શાસક ઔરંગઝેબ સાથે લડાઇ કરી હતી. તેમણે મુગલોની ઘણી બધી સંપત્તિ અને સેંકડો ઘોડા પર કબજો મેળવ્યો હતો. શિવાજી મહારાજ એવા શાસક હતા કે જેમણે મુગલોને ઘૂંટણ ટેકવા પર મજબૂર કરી દીધા હતા.

કેટલાક લોકો શિવાજી મહારાજને મુસલીમ વિરોધી માનતા હતા, પરંતુ તે હકીકત નથી શિવાજી મહારાજની સેનામાં કેટલાક મુસ્લીમ સૈનિકો પણ હતા. જેમાં કેટલાક મુસ્લીમ સરદાર અને સૂબેદાર પણ હતા. 6 જુન 1674ના રોજ એમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો અને શિવાજી મહારાજ મરાઠા સામ્રાજ્યના પ્રથમ રાજા બન્યા હતા. તેઓ ક્યારે જાતિ ભેદભાવમાં માનતા ન હતા. શિવાજી પ્રભાવશાળી યોદ્ધા સાથે એક સારા વહીવટકર્તા પણ હતા. આ ઉપરાંત તેમની સેનામાં પણ અનેક મુસ્લિમો અને અન્ય જાતિઓના યોદ્ધા હતા.

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">