AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘અજિત પવાર અમારા નેતા NCPમાં કોઈ ભાગલા નથી’, શરદ પવારના નિવેદનથી વધ્યો હોબાળો

NCP છોડીને અજિત પવાર (Ajit Pawar)ની સાથે ગયેલા પ્રફુલ્લ પટેલે શરદ પવાર સાથે આવવા વિશે કહ્યું કે, હું તેમના વિશે શું કહું, જો તેઓ અમારી સાથે આવશે તો સારી વાત થશે.

'અજિત પવાર અમારા નેતા NCPમાં કોઈ ભાગલા નથી', શરદ પવારના નિવેદનથી વધ્યો હોબાળો
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2023 | 2:36 PM
Share

મહારાષ્ટ્રમાં રાજકીય ઉતાર-ચઢાવ ચાલુ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ (NCP)ના નેતા શરદ પવારના નિવેદન બાદ રાજ્યનું રાજકારણ ગરમાય તેવી શક્યતા છે. પવારે આજે શુક્રવારે કહ્યું કે અજિત પવાર અમારા નેતા છે. પાર્ટીમાં કોઈ ભાગલા નથી. તેમના આ નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા અલગ-અલગ પ્રકારના દાવાઓ થવા લાગ્યા છે.

શરદ પવાર આજ સતારા અને કોલ્હાપુરના પ્રવાસે છે પરંતુ આ પ્રવાસ પર નિકળ્યા પહેલા તેમણે બારામતીમાં પોતાના નિવેદનથી રાજકીય ક્ષેત્રે હલચલ મચાવી દીધી છે. શરદ પવારે કહ્યું, “પાર્ટીમાં વિભાજન ક્યારે થાય છે, જ્યારે દેશ સ્તરે એક મોટો જૂથ અલગ પડે છે. આજે પરિસ્થિતિ એવી નથી. અજિત પવાર અમારા નેતા છે.

આ પણ વાંચો : મમતાએ ભાંગરો વાટ્યો, Rakesh Roshanને પહોંચાડી દીધા ચંદ્ર પર, સોશિયલ મીડિયા પર મીમ્સ થયા VIRAL

અલગ નિર્ણય લેવાનો તેનો અધિકાર : શરદ પવાર

તેમણે કહ્યું, પાર્ટીમાં કોઈ કેટલાક લોકોએ પોતાની અલગ ભુમિકા અપનાવી લીધી છે. તેનો મતલબ એ નથી કે, પાર્ટીમાં ભાગલા પડ્યા છે. અલગ નિર્ણય લેવો લોકતંત્રમાં તેનો અઘિકાર છે. અજિત પવારની બીડમાં થનારી જનસભા પર શરદ પવારે કહ્યું કે, આ તેનો લોકતાંત્રિક અધિકાર છે. એક દિવસ પહેલા એનસીપી સાંસદ અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ પણ કહ્યું હતુ કે, અજીત પવાર હજુ પણ એનસીપીનો જ ભાગ છે અને પાર્ટીમાં એકજુથતા બનેલી છે.

આ પણ વાંચો :  Breaking News: ચંદ્ર પર સોફ્ટ લેન્ડિગ બાદ રોવર આવી રીતે આવ્યું બહાર, ISROએ શેર કર્યો VIDEO

શરદ પવારે આ નિવેદન બાદ ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે કહ્યું કે, આખું વર્ષ ભાજપે ખુબ કામ કર્યું છે. આગામી એક વર્ષમાં હજુ પણ કામ કરશે. 2024માં લોકસભા ચૂંટણી પહેલા શરદ પવારનું પણ મન પરિવર્તન થશે અને પીએમ નરેન્દ્ર મોદીના વિકાસમાં સાથે આવશે.

સાથે આવે તો સારી વાતઃ પ્રફુલ્લ પટેલ

NCP છોડીને અજિત પવારની સાથે ગયેલા પ્રફુલ્લ પટેલે શરદ પવાર સાથે આવવા વિશે કહ્યું કે, હું તેમના વિશે શું કહું, તેઓ અમારી સાથે આવે તો સારી વાત હશે.

રાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ
કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ
AAPના ઈમાનદારીના દાવા પોકળ! કરોડોનું હવાલા નેટવર્ક પકડાયું
AAPના ઈમાનદારીના દાવા પોકળ! કરોડોનું હવાલા નેટવર્ક પકડાયું
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
g clip-path="url(#clip0_868_265)">