AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘અજિત પવાર અમારા નેતા NCPમાં કોઈ ભાગલા નથી’, શરદ પવારના નિવેદનથી વધ્યો હોબાળો

NCP છોડીને અજિત પવાર (Ajit Pawar)ની સાથે ગયેલા પ્રફુલ્લ પટેલે શરદ પવાર સાથે આવવા વિશે કહ્યું કે, હું તેમના વિશે શું કહું, જો તેઓ અમારી સાથે આવશે તો સારી વાત થશે.

'અજિત પવાર અમારા નેતા NCPમાં કોઈ ભાગલા નથી', શરદ પવારના નિવેદનથી વધ્યો હોબાળો
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2023 | 2:36 PM
Share

મહારાષ્ટ્રમાં રાજકીય ઉતાર-ચઢાવ ચાલુ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ (NCP)ના નેતા શરદ પવારના નિવેદન બાદ રાજ્યનું રાજકારણ ગરમાય તેવી શક્યતા છે. પવારે આજે શુક્રવારે કહ્યું કે અજિત પવાર અમારા નેતા છે. પાર્ટીમાં કોઈ ભાગલા નથી. તેમના આ નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા અલગ-અલગ પ્રકારના દાવાઓ થવા લાગ્યા છે.

શરદ પવાર આજ સતારા અને કોલ્હાપુરના પ્રવાસે છે પરંતુ આ પ્રવાસ પર નિકળ્યા પહેલા તેમણે બારામતીમાં પોતાના નિવેદનથી રાજકીય ક્ષેત્રે હલચલ મચાવી દીધી છે. શરદ પવારે કહ્યું, “પાર્ટીમાં વિભાજન ક્યારે થાય છે, જ્યારે દેશ સ્તરે એક મોટો જૂથ અલગ પડે છે. આજે પરિસ્થિતિ એવી નથી. અજિત પવાર અમારા નેતા છે.

આ પણ વાંચો : મમતાએ ભાંગરો વાટ્યો, Rakesh Roshanને પહોંચાડી દીધા ચંદ્ર પર, સોશિયલ મીડિયા પર મીમ્સ થયા VIRAL

અલગ નિર્ણય લેવાનો તેનો અધિકાર : શરદ પવાર

તેમણે કહ્યું, પાર્ટીમાં કોઈ કેટલાક લોકોએ પોતાની અલગ ભુમિકા અપનાવી લીધી છે. તેનો મતલબ એ નથી કે, પાર્ટીમાં ભાગલા પડ્યા છે. અલગ નિર્ણય લેવો લોકતંત્રમાં તેનો અઘિકાર છે. અજિત પવારની બીડમાં થનારી જનસભા પર શરદ પવારે કહ્યું કે, આ તેનો લોકતાંત્રિક અધિકાર છે. એક દિવસ પહેલા એનસીપી સાંસદ અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ પણ કહ્યું હતુ કે, અજીત પવાર હજુ પણ એનસીપીનો જ ભાગ છે અને પાર્ટીમાં એકજુથતા બનેલી છે.

આ પણ વાંચો :  Breaking News: ચંદ્ર પર સોફ્ટ લેન્ડિગ બાદ રોવર આવી રીતે આવ્યું બહાર, ISROએ શેર કર્યો VIDEO

શરદ પવારે આ નિવેદન બાદ ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે કહ્યું કે, આખું વર્ષ ભાજપે ખુબ કામ કર્યું છે. આગામી એક વર્ષમાં હજુ પણ કામ કરશે. 2024માં લોકસભા ચૂંટણી પહેલા શરદ પવારનું પણ મન પરિવર્તન થશે અને પીએમ નરેન્દ્ર મોદીના વિકાસમાં સાથે આવશે.

સાથે આવે તો સારી વાતઃ પ્રફુલ્લ પટેલ

NCP છોડીને અજિત પવારની સાથે ગયેલા પ્રફુલ્લ પટેલે શરદ પવાર સાથે આવવા વિશે કહ્યું કે, હું તેમના વિશે શું કહું, તેઓ અમારી સાથે આવે તો સારી વાત હશે.

રાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">