AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાવરકરના બલિદાનને ભૂલવું જોઈએ નહીં પણ.., રાહુલના સાવરકર મુદ્દે નિવેદન બાદ બોલ્યા શરદ પવાર

એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે સાવરકર આ દિવસોમાં રાષ્ટ્રીય મુદ્દો નથી, આ દિવસોમાં દેશમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ છે જેના પર આપણે ધ્યાન આપવું જોઈએ.

સાવરકરના બલિદાનને ભૂલવું જોઈએ નહીં પણ.., રાહુલના સાવરકર મુદ્દે નિવેદન બાદ બોલ્યા શરદ પવાર
Savarkar sacrifice should not be forgotten Sharad Pawar said
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2023 | 9:44 AM
Share

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારે શનિવારે એક ચર્ચા દરમિયાન કહ્યું કે સાવરકર આજના યુગમાં રાષ્ટ્રીય મુદ્દો બની શકે નહીં જ્યારે દેશમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ છે. શરદ પવારની આ ટિપ્પણી એવા સમયે સામે આવી છે જ્યારે રાહુલ ગાંધીએ તાજેતરમાં કહ્યું હતું કે ‘હું સાવરકર નથી’.તેમના નિવેદન બાદથી રાહુલ ગાંધી પર ભાજપ સહિત અનેક પક્ષો દ્વારા પ્રહારો કરવામાં આવ્યા છે. આ નિવેદન સામે આવ્યા બાદ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ નારાજગી વ્યક્ત કરી હતી.

સાવરકર રાષ્ટ્રીય મુદ્દો નથી – શરદ પવાર

આ પછી મહા વિકાસ આઘાડીમાં તેમના સહયોગી શરદ પવારે પણ રાહુલ ગાંધીને સાવરકરની ટીકા ન કરવા કહ્યું હતુ. પવારે ચર્ચા દરમિયાન કહ્યું કે આજના યુગમાં સાવરકર રાષ્ટ્રીય મુદ્દો નથી, જૂની વાત છે. અમે સાવરકર વિશે ઘણી બધી વાતો કહી છે પણ તે અંગત નહોતી. આ બધા હિંદુ મહાસભા વિરુદ્ધ હતા. જોકે, પવારે સાવરકરના બલિદાનને યાદ કરાવ્યું અને કહ્યું કે આપણે તેમના દેશની આઝાદી માટે આપેલા બલિદાનને ભૂલવું ન જોઈએ.

સાવરકરની પૂજા કરે છે

પવારે સાવરકરને પ્રગતિશીલ નેતા ગણાવ્યા છે અને કહ્યું છે કે તેમણે આ વિશે ઘણા વર્ષો પહેલા સંસદમાં પણ વાત કરી હતી. પવારે કહ્યું કે તેણે રત્નાગીરીમાં ઘર બનાવ્યું છે અને તેની સામે એક નાનું મંદિર પણ બનાવ્યું છે. તેમણે મંદિરની પૂજા કરવા માટે વાલ્મિકી સમુદાયના એક વ્યક્તિને રાખ્યો હતો, જે પોતાનામાં ખૂબ જ પ્રગતિશીલ વિચાર હતો.

તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીની સંસદીય સદસ્યતા રદ કર્યા બાદ વિપક્ષી દળોની બેઠક બોલાવી હતી. અહેવાલો અનુસાર, શરદ પવારે આ બેઠકમાં કહ્યું હતું કે સાવરકર આરએસએસ નથી. આ મીટિંગમાં કોંગ્રેસ પાર્ટીએ આ વાત સ્વીકારી લીધી અને સાવરકરને મુદ્દો ન બનાવવાનું મન બનાવ્યું. આનું કારણ મહારાષ્ટ્રમાં તેમના કેટલાક સાથી પક્ષો રાહુલના નિવેદનથી નારાજ હતા.

સાવરકરનો મુદ્દો વારંવાર ઉઠી રહ્યો છે

શરદ પવારે ચર્ચામાં કહ્યું કે બ્રિટનમાં રાહુલ ગાંધીનું ભાષણ એટલો મહત્વનો મુદ્દો નથી. ભૂતકાળમાં પણ સરકારની ટીકા થઈ છે. અગાઉ પણ ઘણા નેતાઓ સરકારની ટીકા કરી ચૂક્યા છે. પરંતુ આજકાલ આવા મુદ્દાઓ વારંવાર ઉઠી રહ્યા છે.

Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">