AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એસ જયશંકરે બેંગકોકમાં કહ્યું, -‘આ સૌભાગ્યની વાત છે કે દેશમાં વડાપ્રધાન મોદી છે.’ જુઓ VIDEO

બેંગકોકમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે વિદેશ મંત્રી એસ જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ વિશે ઘણી વાતો કરી હતી. જયશંકરે કહ્યું કે પીએમ મોદીની અસાધારણ બાબત એ છે કે તેઓ ઘણી વસ્તુઓની ઉંડાણથી અનુભવી શકે છે

એસ જયશંકરે બેંગકોકમાં કહ્યું, -'આ સૌભાગ્યની વાત છે કે દેશમાં વડાપ્રધાન મોદી છે.' જુઓ VIDEO
S Jaishankar
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2023 | 11:36 AM
Share

S Jaishankar:  થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે વિદેશ મંત્રી એસ જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ વિશે ઘણી વાતો કરી હતી. જયશંકરે કહ્યું કે પીએમ મોદીની અસાધારણ બાબત એ છે કે તેઓ ઘણી વસ્તુઓની ઉંડાણથી અનુભવી શકે છે અને તેમની નીતિઓ અને કાર્યક્રમોમાં તેનો ઉપયોગ કરી શકે છે. જયશંકર કહે છે કે રાજદ્વારીથી રાજકારણી સુધીની તેમની સફરમાં તેમણે ઘણા નેતાઓ સાથે કામ કર્યું છે, પરંતુ દિવસના 24 કલાક, અઠવાડિયાના સાતેય દિવસ રજા વગર કામ કરવું મોટી વાત છે.

પીએમ મોદીના વ્યક્તિત્વના કર્યા વખાણ

આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘આ ખૂબ જ સદ્ભાગ્યની વાત છે કે આ સમયે દેશમાં PM મોદી જેવો કોઈ વ્યક્તિ છે અને હું આવું એટલા માટે નથી કહી રહ્યો કારણ કે તેઓ આજે વડાપ્રધાન છે અને હું તેમની કેબિનેટનો સભ્ય છું. હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે જો કોઈને આરોગ્યની સમસ્યા હોય તો તેને શું થયુની ચીંતા કરનાર એક ઉચા હોદ્દા પર રહીને પણ પીએમ જ કરી શકે છે તેમજ કોવિડ સમયે ઘરે પાછા ફરતા લોકો માટે શું કરવું, તેઓ શું કરશે? ખવડાવવા માટે, તમે તેમના ખાતામાં પૈસા કેવી રીતે મોકલવા, મહિલાઓ પૈસાનું વધુ સારી રીતે સંચાલન કરી શકે છે, આવો વિચાર દરેકના મનમાં ન આવી શકે.

વડાપ્રધાન મોદીને સદીમાં એક વાર આવનાર વ્યક્તિત્વ તરીકે ગણાવતા વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે જમીન સાથે જોડાયેલા અને ખૂબ જ અનુભવી હોવાની સાથે સારા નેતાઓમાં દેશને વિવિધ આયામો પર લઈ જવાનો પીએમ મોદીમાં જુસ્સો પણ છે.

જયશંકરની નજરમાં શ્રેષ્ઠ રાજદ્વારી હનુમાનજી

આ દરમિયાન વિદેશ મંત્રી, જે પોતે રાજદ્વારી રહી ચૂક્યા છે, તેમણે કહ્યું કે તેમના મતે શ્રેષ્ઠ રાજદ્વારી ભગવાન હનુમાન હતા. પોતાના પુસ્તકનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય રાજકારણનો સામનો કરવા માટે મહાભારતનો માર્ગદર્શક તરીકે કેવી રીતે ઉપયોગ કરી શકાય તે હેતુથી તેમણે આ પુસ્તક લખ્યું છે.

તેમણે કહ્યું કે મહાભારત શાસન કરવાની કળા છે, પરંતુ જો તમે મને પૂછો કે શ્રેષ્ઠ રાજદ્વારી કોણ છે, તો મારો જવાબ ભગવાન હનુમાન હશે. તે ભગવાન રામ માટે કામ કરી રહ્યા હતા, પરંતુ આ સ્થિતિને એક દેશની જેમ સમજવી જોઈએ, જે એવા દેશ સાથે વ્યવહાર કરી રહ્યો છે જેના વિશે તમે વધુ જાણતા નથી. તમારે ત્યાં જવું પડશે, માહિતી એકઠી કરવી પડશે, સીતાને શોધવી પડશે. સંપર્ક સાંધવો, તેમજ તેમનું મનોબળ વધ્યુ. જે બાદ તેઓએ લંકાને આગ લગાડી, જેની હું રાજદ્વારીઓને સલાહ આપીશ નહીં, પરંતુ જો તમે એકંદરે જુઓ, તો તેઓ સફળતાપૂર્વક પાછા ફર્યા.

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">