AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એસ જયશંકરે બેંગકોકમાં કહ્યું, -‘આ સૌભાગ્યની વાત છે કે દેશમાં વડાપ્રધાન મોદી છે.’ જુઓ VIDEO

બેંગકોકમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે વિદેશ મંત્રી એસ જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ વિશે ઘણી વાતો કરી હતી. જયશંકરે કહ્યું કે પીએમ મોદીની અસાધારણ બાબત એ છે કે તેઓ ઘણી વસ્તુઓની ઉંડાણથી અનુભવી શકે છે

એસ જયશંકરે બેંગકોકમાં કહ્યું, -'આ સૌભાગ્યની વાત છે કે દેશમાં વડાપ્રધાન મોદી છે.' જુઓ VIDEO
S Jaishankar
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2023 | 11:36 AM
Share

S Jaishankar:  થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે વિદેશ મંત્રી એસ જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ વિશે ઘણી વાતો કરી હતી. જયશંકરે કહ્યું કે પીએમ મોદીની અસાધારણ બાબત એ છે કે તેઓ ઘણી વસ્તુઓની ઉંડાણથી અનુભવી શકે છે અને તેમની નીતિઓ અને કાર્યક્રમોમાં તેનો ઉપયોગ કરી શકે છે. જયશંકર કહે છે કે રાજદ્વારીથી રાજકારણી સુધીની તેમની સફરમાં તેમણે ઘણા નેતાઓ સાથે કામ કર્યું છે, પરંતુ દિવસના 24 કલાક, અઠવાડિયાના સાતેય દિવસ રજા વગર કામ કરવું મોટી વાત છે.

પીએમ મોદીના વ્યક્તિત્વના કર્યા વખાણ

આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘આ ખૂબ જ સદ્ભાગ્યની વાત છે કે આ સમયે દેશમાં PM મોદી જેવો કોઈ વ્યક્તિ છે અને હું આવું એટલા માટે નથી કહી રહ્યો કારણ કે તેઓ આજે વડાપ્રધાન છે અને હું તેમની કેબિનેટનો સભ્ય છું. હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે જો કોઈને આરોગ્યની સમસ્યા હોય તો તેને શું થયુની ચીંતા કરનાર એક ઉચા હોદ્દા પર રહીને પણ પીએમ જ કરી શકે છે તેમજ કોવિડ સમયે ઘરે પાછા ફરતા લોકો માટે શું કરવું, તેઓ શું કરશે? ખવડાવવા માટે, તમે તેમના ખાતામાં પૈસા કેવી રીતે મોકલવા, મહિલાઓ પૈસાનું વધુ સારી રીતે સંચાલન કરી શકે છે, આવો વિચાર દરેકના મનમાં ન આવી શકે.

વડાપ્રધાન મોદીને સદીમાં એક વાર આવનાર વ્યક્તિત્વ તરીકે ગણાવતા વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે જમીન સાથે જોડાયેલા અને ખૂબ જ અનુભવી હોવાની સાથે સારા નેતાઓમાં દેશને વિવિધ આયામો પર લઈ જવાનો પીએમ મોદીમાં જુસ્સો પણ છે.

જયશંકરની નજરમાં શ્રેષ્ઠ રાજદ્વારી હનુમાનજી

આ દરમિયાન વિદેશ મંત્રી, જે પોતે રાજદ્વારી રહી ચૂક્યા છે, તેમણે કહ્યું કે તેમના મતે શ્રેષ્ઠ રાજદ્વારી ભગવાન હનુમાન હતા. પોતાના પુસ્તકનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય રાજકારણનો સામનો કરવા માટે મહાભારતનો માર્ગદર્શક તરીકે કેવી રીતે ઉપયોગ કરી શકાય તે હેતુથી તેમણે આ પુસ્તક લખ્યું છે.

તેમણે કહ્યું કે મહાભારત શાસન કરવાની કળા છે, પરંતુ જો તમે મને પૂછો કે શ્રેષ્ઠ રાજદ્વારી કોણ છે, તો મારો જવાબ ભગવાન હનુમાન હશે. તે ભગવાન રામ માટે કામ કરી રહ્યા હતા, પરંતુ આ સ્થિતિને એક દેશની જેમ સમજવી જોઈએ, જે એવા દેશ સાથે વ્યવહાર કરી રહ્યો છે જેના વિશે તમે વધુ જાણતા નથી. તમારે ત્યાં જવું પડશે, માહિતી એકઠી કરવી પડશે, સીતાને શોધવી પડશે. સંપર્ક સાંધવો, તેમજ તેમનું મનોબળ વધ્યુ. જે બાદ તેઓએ લંકાને આગ લગાડી, જેની હું રાજદ્વારીઓને સલાહ આપીશ નહીં, પરંતુ જો તમે એકંદરે જુઓ, તો તેઓ સફળતાપૂર્વક પાછા ફર્યા.

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">