AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine War: બુચામાં થયેલી હત્યાઓની સખત નિંદા કરીએ છીએ, સ્વતંત્ર તપાસ થવી જોઈએ’ યુક્રેન પર ચર્ચા દરમિયાન બોલ્યા એસ જયશંકર

Russia-Ukraine War: વિદેશ મંત્રીએ કહ્યું કે અમે તમામ પ્રકારની હિંસાની વિરુદ્ધ છીએ. યુક્રેનના બુચા શહેરમાં બનેલી ઘટનાની માહિતીથી અમે હેરાન છીએ અને તેની નિંદા કરીએ છીએ.

Russia-Ukraine War: બુચામાં થયેલી હત્યાઓની સખત નિંદા કરીએ છીએ, સ્વતંત્ર તપાસ થવી જોઈએ' યુક્રેન પર ચર્ચા દરમિયાન બોલ્યા એસ જયશંકર
S Jaishankar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 3:42 PM

કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) બુધવારે લોકસભામાં (Lok Sabha) યુક્રેન પરની ચર્ચાનો જવાબ આપ્યો. લોકસભામાં નિયમ 193 હેઠળ, યુક્રેનની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી, જેની સૂચના RSP સાંસદ એનકે પ્રેમચંદ્રન અને કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ આપી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે યુક્રેનની સ્થિતિ પર ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે ભારત શાંતિના પક્ષમાં છે. તેમણે કહ્યું કે અમે તમામ પ્રકારની હિંસા વિરુદ્ધ છીએ. યુક્રેનના બુચા (Bucha) શહેરમાં બનેલી ઘટનાની માહિતીથી અમે હેરાન છીએ અને તેની સખત નિંદા કરીએ છીએ. તેની સ્વતંત્ર તપાસ થવી જોઈએ.

તેમણે કહ્યું કે, લોહી વહેવડાવીને અને નિર્દોષ જીવોની કિંમત પર કોઈ ઉકેલ શોધી શકાતો નથી. સંવાદ અને કૂટનીતી એ કોઈપણ વિવાદનો સાચો જવાબ છે. લોકસભામાં વિદેશ મંત્રીએ કહ્યું કે ઘણા સાંસદોએ બુચાની ઘટનાને ઉઠાવી. અહેવાલોથી અમને ખૂબ જ દુઃખ થયું છે. અમે ત્યાં થયેલી હત્યાઓની સખત નિંદા કરીએ છીએ. આ એક ખૂબ જ ગંભીર બાબત છે, અમે સ્વતંત્ર તપાસના કોલને સમર્થન આપીએ છીએ.

જયશંકરે અગાઉ યુએસ સ્ટેટ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન સાથે ફોન પર યુક્રેનની સ્થિતિ સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વાત કરી હતી. યુએસ સ્ટેટ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે આ જાણકારી આપી. પ્રાઈસે જણાવ્યું કે વિદેશ મંત્રી એન્ટની જે. બ્લિંકને ભારતીય વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર સાથે યુક્રેનની સ્થિતિ સહિત વિવિધ ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર વાત કરી.

ઘરના મુખ્ય દરવાજા પાસે કચરાની ડોલ મુકવી યોગ્ય છે કે નહીં? જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે
છાશમાં સંચળ નાખીને પીવું જોઈએ કે સાદું મીઠું? નિષ્ણાતો પાસેથી જાણો
ક્રિકેટર રોહિત શર્માની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
આજનું રાશિફળ તારીખ : 30-04-2025
IPL દરમિયાન રાષ્ટ્રપતિના હસ્તે આ ખેલાડીને મળ્યો એવોર્ડ
પરિવારની મરજી વિરુદ્ધ કર્યા લગ્ન, દોઢ મહિનામાં બની ગર્ભવતી, પતિ સાથે નર્ક બની આ હસીનાની જિંદગી

બૂચામાં હત્યા, તોડફોડ અને નિર્દયતાએ હદ વટાવી દીધી

યુક્રેનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે રશિયન સૈનિકોએ બુચામાં નરસંહાર કર્યો હતો. મંત્રાલયે કહ્યું કે નાગરિકોને હ્યુમન કોરિડોરમાંથી બહાર નીકળવાની મંજૂરી નથી. રશિયન સૈનિકોએ ઘણા લોકોને ગોળી મારીને તેમના મૃતદેહોને રસ્તા પર ફેંકી દીધા. એટલું જ નહીં, મૃતદેહોને ટેન્કથી કચડી નાખવામાં આવ્યા હતા. મહિલાઓ પર બળાત્કાર કર્યો. શરીર પર નાઝીના નિશાન કરવામાં આવ્યા હતા.

રશિયાએ બુચા પર કબજો કરી લીધા પછી લોકોને ત્રાસ આપ્યો

બુચા શહેર યુક્રેનની રાજધાની કિવથી 60 કિલોમીટર દૂર છે. આ શહેર 1898માં સ્થાયી થયું હતું. રશિયન લડવૈયાઓ માટે પ્રથમ ધ્યેય રાજધાની કિવનો નાશ કરવાનો હતો. આ હેતુ સાથે રશિયન સેનાએ બુચા શહેરમાં પડાવ નાખ્યો કારણ કે અહીંની વસ્તી 35,000 હતી અને આ શહેર તેમના લક્ષ્યની નજીક હતું. તેથી વિનાશ અહીંથી શરૂ થયો.

શહેરને મારઘાટમાં ફેરવ્યા પછી રશિયન સેના અહીંથી પાછી હટી. જ્યારે યુક્રેનની સેના અહીં આવી ત્યારે બરબાદી અને ત્રાસની અનેક કહાનીઓ સામે આવી. બુચાના મેયર કહે છે, રશિયન સેના અહીં એક મહિનાથી છે. તેની અસર સમગ્ર શહેરમાં જોવા મળી રહી છે. કબજો કર્યા પછી લોકોને ત્રાસ આપવામાં આવ્યો હતો. આ સિવાય ઘરો અને રસ્તાઓ પર 400 થી વધુ મૃતદેહો મળી આવ્યા હતા.

આ પણ વાંચો:

આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે સાબરમતી ગાંધી આશ્રમથી કોંગ્રેસની આઝાદી ગૌરવ યાત્રા, 1171 કિમીનું અંતર કાપીને દિલ્હી પહોંચશે

આ પણ વાંચો: 

2 સીટથી 303 સીટ સુધી પહોંચ્યુ ભાજપ, સ્થાપના દિવસે જાણો 42 વર્ષની પાર્ટીની વિકાસગાથા

g clip-path="url(#clip0_868_265)">