રશિયાના વિદેશ મંત્રી સાથેની મુલાકાતમાં PM મોદીએ યુદ્ધવિરામ અંગે વાત કરી, કહ્યું- શાંતિના પ્રયાસોમાં ભારત તમારી સાથે

રશિયાના વિદેશ મંત્રી લાવરોવે બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીને યુક્રેનની સ્થિતિ વિશે જાણકારી આપી હતી. આ સિવાય તેમણે પીએમ મોદીને બંને દેશો (યુક્રેન અને રશિયા) વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટો વિશે પણ જણાવ્યું.

રશિયાના વિદેશ મંત્રી સાથેની મુલાકાતમાં PM મોદીએ યુદ્ધવિરામ અંગે વાત કરી, કહ્યું- શાંતિના પ્રયાસોમાં ભારત તમારી સાથે
PM Modi - Sergey Lavrov
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 11:49 PM

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે (Russian Foreign Minister Sergey Lavrov) વિદેશ મંત્રી એસ. જયશંકર (S Jaishankar) સાથે મુલાકાત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ દરમિયાન પીએમ મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન કાર્યાલયે આ જાણકારી આપી. પીએમઓએ જણાવ્યું કે, મીટિંગ દરમિયાન રશિયાના વિદેશ મંત્રી લાવરોવે વડાપ્રધાન મોદીને યુક્રેનની સ્થિતિ વિશે જાણકારી આપી. આ સિવાય લાવરોવે બંને દેશો (યુક્રેન અને રશિયા) વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણા વિશે પણ જણાવ્યું.

વાતચીત દરમિયાન, પીએમ મોદીએ યુદ્ધના વહેલા અંત માટેના તેમના આહ્વાનનો પુનરુચ્ચાર કર્યો અને શાંતિના પ્રયાસોમાં કોઈપણ રીતે યોગદાન આપવા માટે ભારતની તૈયારી દર્શાવી. પીએમઓએ કહ્યું કે રશિયન વિદેશ પ્રધાન લાવરોવે પણ પીએમ મોદીને ડિસેમ્બર 2021 માં આયોજિત ભારત-રશિયા દ્વિપક્ષીય સમિટ દરમિયાન લેવામાં આવેલા નિર્ણયોની પ્રગતિ વિશે અપડેટ કર્યું.

આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકર સાથેની મુલાકાત દરમિયાન રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું હતું કે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા વિવાદને ઉકેલવા માટે ભારત મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે. તેમણે કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચે અત્યાર સુધી જેટલી પણ શાંતિ વાટાઘાટોમાં કોઈ ઉકેલ આવ્યો નથી. આવી સ્થિતિમાં ભારત મોસ્કો અને કિવ વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">