AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RSS ચીફ મોહન ભાગવતનો જાતિ પ્રથા પર મોટો હુમલો, કહ્યું જે ભેદભાવનું કારણ બને તેનો અંત લાવવો જોઈએ

ભાગવતે (Mohan Bhagwat)કહ્યું હતું કે ભારતે તમામ સામાજિક જૂથોને સમાન રીતે લાગુ પડતી એક સારી રીતે વિચારણાવાળી, વ્યાપક વસ્તી નિયંત્રણ નીતિ બનાવવી જોઈએ

RSS ચીફ મોહન ભાગવતનો જાતિ પ્રથા પર મોટો હુમલો, કહ્યું જે ભેદભાવનું કારણ બને તેનો અંત લાવવો જોઈએ
RSS chief Mohan Bhagwat
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2022 | 8:36 AM
Share

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે (RSS Chief Mohan Bhagwat) એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે હવે આપણે ‘વર્ણ’ અને ‘જાતિ’ જેવી વિભાવનાઓને સંપૂર્ણપણે છોડી દેવી જોઈએ. એક પુસ્તકનું વિમોચન  કરતી વખતે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્તમાનમાં જ્ઞાતિ વ્યવસ્થાની કોઈ સુસંગતતા નથી. ભાગવત એક કાર્યક્રમમાં ડૉ. મદન કુલકર્ણી અને ડૉ. રેણુકા બોકરે દ્વારા લખાયેલા પુસ્તક વજ્રલિષ્ઠી ટંકના વિમોચનમાં હાજરી આપી રહ્યા હતા. આ પુસ્તકને ટાંકીને તેમણે કહ્યું હતું કે, સામાજિક સમાનતા એ ભારતીય પરંપરાનો (Indian tradition)એક ભાગ હતો જે સંપૂર્ણપણે ભૂલાવી દેવામાં આવી છે જેને લઈને બનેલી સ્થિતિ આજે ગંભીર છે.

ભાગવતે કહ્યું કે વર્ણ અને જાતિ વ્યવસ્થાનું મૂળ સ્વરૂપ ભેદભાવ નથી, પરંતુ તેનો ઉપયોગ છે. જો કે, આજે આ વ્યવસ્થાઓની જરૂર નથી. તેમણે કહ્યું કે આજે જો કોઈ આ સંસ્થાઓ વિશે પૂછે તો જવાબ મળવો જોઈએ કે ‘આ ભૂતકાળ છે, ભૂલી જાઓ’ આ દરમિયાન તેમણે આ સિસ્ટમને ખતમ કરવા પર ભાર મૂક્યો હતો. જે પણ ભેદભાવનું કારણ બને છે તેનો અંત લાવવો જોઈએ.

આ પહેલા બુધવારે ભાગવતે કહ્યું હતું કે ભારતે તમામ સામાજિક જૂથોને સમાન રીતે લાગુ પડતી એક સારી રીતે વિચારણાવાળી, વ્યાપક વસ્તી નિયંત્રણ નીતિ બનાવવી જોઈએ. તે જ સમયે, તેમણે વસ્તી વિષયક ‘અસંતુલન’નો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે વસ્તી અસંતુલન ભૌગોલિક સીમાઓમાં પરિવર્તન તરફ દોરી જાય છે. તેમણે કહ્યું કે સમુદાય આધારિત ‘વસ્તી અસંતુલન’ એક મહત્વપૂર્ણ વિષય છે અને તેની અવગણના ન કરવી જોઈએ. તેમણે કહ્યું કે વસ્તીના અસંતુલનને કારણે ભૌગોલિક સીમાઓમાં ફેરફાર થાય છે.

ભાગવતે કહ્યું, ‘પંચત્તર વર્ષ પહેલાં, અમે અમારા દેશમાં આનો અનુભવ કર્યો હતો. 21મી સદીમાં, અસ્તિત્વમાં આવેલા ત્રણ નવા દેશો – પૂર્વ તિમોર, દક્ષિણ સુદાન અને કોસોવો – ઇન્ડોનેશિયા, સુદાન અને સર્બિયાના કેટલાક પ્રદેશોમાં વસ્તીના અસંતુલનનું પરિણામ છે.

તેમણે કહ્યું કે સંતુલન જાળવવા માટે, નવી વસ્તી નીતિ તમામ સમુદાયો પર સમાનરૂપે લાગુ થવી જોઈએ. તેમણે કહ્યું, ‘આ દેશમાં સમુદાયો વચ્ચે સંતુલન હોવું જોઈએ. આ તમામ પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">