Republic Day : પીએમ મોદીએ એનસીસી કેડેટ અને કલાકારોને કહ્યું, કોરોનાએ તમારા ઉત્સાહને ઘટવા નથી દીધો
Republic Dayના અવસરે કાર્યક્રમોમાં ભાગ લેવા આવેલા એનસીસી કેડેટ્સ-કલાકારોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે
Republic Day ના અવસરે રાજપથ પર અનેક કાર્યક્રમોમાં ભાગ લેવા આવેલા એનસીસી કેડેટ્સ અને કલાકારોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે કોરોનાએ અનેક વસ્તુઓ બદલી નાંખી છે. માસ્ક કોરોના ટેસ્ટ, બે ફૂટનું અંતર આ તમામ બાબત દૈનિક જીવનનો હિસ્સો બની ગયું છે. તેની બાદ પણ તમારા ઉત્સાહ, ઉમંગમાં કોઇ કમી આવી નથી. પીએમ મોદીએ કહ્યું કે Republic Day ની પરેડ દુનિયામાં સૌથી મોટા લોકતંત્રને જીવંત કરનારા અમારા સંવિધાનને નમન કરે છે.
પીએમ મોદીએ યુવાઓને સંબોધિત કરતાં કહ્યું કે રાજપથ પર જ્યારે જોશ સાથે કદમ તાલ મેળવો છો ત્યારે દરેક દેશવાસી ઉત્સાહથી ભરાઇ જાય છે. તમે જ્યારે ભારતની સમૃદ્ધ કલા, સંસ્કૃતિ, પરંપરા અને વિરાસતની જાંકી દેખાડે છે જે દરેક વાસીનું શીશ ગર્વથી ઊચું થઈ જાય છે. તેમણે કહ્યું કે આપણા રસ્તા અલગ અલગ છે પરંતુ મંજિલ એક છે અને તે એક ભારત અને શ્રેષ્ઠ ભારત છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારત એટલે રાજ્ય અનેક રાષ્ટ્ર એક, ભારત એટલે સમાજ અનેક ભાવ એક , ભારત એટલે પંથ અનેક લક્ષ્ય એક, ભારત એટલે રિવાજ એક મૂલ્ય એક, ભારત એટલે ભાષાઓ અનેક અભિવ્યક્તિ એક, ભારત એટલે રંગ અનેક તિરંગો એક
તેમણે કહ્યું કે અમે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપનારાને અવસર ના મળ્યો. પરંતુ દેશે આપણને સર્વશ્રેષ્ઠ અર્પિત કરવાનો મોકો ચોક્કસ આપ્યો છે. આપણે દેશ દેશને મજબુત કરવા જે કરી શકીએ તે કરવું જોઇએ.
પીએમ મોદીએ ક્હ્યું કે આ વર્ષે દેશ આઝાદીની 75 માં વર્ષમાં પ્રવેશ કરી શકે છે. આ વર્ષ ગુરુ ટેગ બહાદુરજીનું 400 મું પ્રકાશ પર્વ છે. આ વર્ષે અમે નેતાજી સુભાષચંદ્ર બોજની 125 મી જન્મ જયંતિ પણ મનાવવામાં આવી રહી છે. હવે દેશે એ નક્કી કર્યું છે કે નેતાજીના જન્મ દિવસને પરાક્રમ દિવસ તરીકે મનાવવામાં આવશે.