AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajsthan: ભારત-પાકિસ્તાન બોર્ડર પર ગૃહપ્રધાન અમિત શાહ, બોર્ડર પરથી પાકિસ્તાનને આપશે કડક સંદેશ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજસ્થાનની બે દિવસીય મુલાકાત દરમિયાન BSF જવાનો સાથે રહેશે. શાહ બોર્ડર સિક્યુરિટી ફોર્સના 57માં સ્થાપના દિવસ પર આયોજિત ઉજવણીમાં પણ ભાગ લેશે.

Rajsthan: ભારત-પાકિસ્તાન બોર્ડર પર ગૃહપ્રધાન અમિત શાહ, બોર્ડર પરથી પાકિસ્તાનને આપશે કડક સંદેશ
HM Amit Shah
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 9:00 PM
Share

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (HM Amit Shah) આજે રાજસ્થાન (Rajasthan)માં ભારત-પાકિસ્તાન સરહદ પાસે રાત વિતાવશે. BSFના 57માં સ્થાપના દિવસના અવસર પર દેશના ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર તે ફોરવર્ડ બોર્ડર પોસ્ટનું નિરીક્ષણ કરશે. જ્યાં તે સૈનિકો (Soldiers) સાથે વાતચીત પણ કરશે. આ પછી ગૃહમંત્રી રાત્રિના આરામ માટે રોહિતાશ ચોકી જશે.

રવિવારે અમિત શાહ શહીદ પૂનમ સિંહ શહેરના સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. કાર્યક્રમમાં ગૃહમંત્રી બહારગામથી આવેલા સૈનિકોને સંદેશ આપશે. તે પોતાના ભાષણથી સૈનિકોને પ્રોત્સાહિત કરશે.

અમિત શાહ પશ્ચિમ સરહદ પર સુરક્ષાની સમીક્ષા કરશે. તેઓ BSF અધિકારીઓ દ્વારા નાઈટ પેટ્રોલિંગ પર પણ દેખરેખ રાખશે. તે વિસ્તારની સરહદી ચોકી પર બીએસએફ અધિકારીઓ સાથે એક રાત વિતાવશે. આ પહેલીવાર હશે જ્યારે ગૃહમંત્રી બોર્ડર પાસે બીએસએફ અધિકારીઓ સાથે રાત વિતાવશે.

તે 5 ડિસેમ્બરે જેસલમેરમાં પ્રથમ વખત આયોજિત BSFના સ્થાપના દિવસમાં પણ હાજરી આપશે. આ વિસ્તારની મુખ્ય સમસ્યા રેતીના ટેકરાઓ ખસેડવાની છે, બોર્ડર સિક્યોરિટી ફોર્સ ગૃહમંત્રીને વાકેફ કરશે, જેથી કરીને સરહદની સુરક્ષા અને મજબૂતી વધુ મજબૂત કરી શકાય.

શુ છે રેતીના ટેકરાની સમસ્યા?

શાહગંજમાં ઉનાળામાં તાપમાન 50 ડિગ્રી અને શિયાળામાં 2 ડિગ્રી સુધી પહોંચી જાય છે, ત્યારે આ વિસ્તારમાં પાણીની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની જાય છે. ધૂળની ડમરીઓ માટે શાપિત જેસલમેર જિલ્લાના શાહગઢ બુલ્જ વિસ્તારમાં રેતીના ટેકરાઓ ખસવાને કારણે 30 કિમી સુધીના અવરોધના વિસ્તારમાં ઘૂસણખોરીની સંભાવના છે. ક્યાંક રેતીના ટેકરા ત્યાં હોય છે તો ક્યારેક સપાટ જમીન ક્યારેક બીજી સમસ્યા સુરક્ષા જવાનો માટે ખતરો બનતી જાય છે. આ કુદરતી પ્રક્રિયા ઘણા સમયથી ઘૂસણખોરીની શક્યતાઓનું કારણ બની રહી છે.

BSFની સ્થાપના 1 ડિસેમ્બર 1965ના રોજ થઈ હતી

ગૃહમંત્રી 5 ડિસેમ્બરના રોજ સવારે BSF રાઈઝિંગ ડે ઈવેન્ટમાં હાજરી આપશે અને ત્યારબાદ જયપુર જવા રવાના થશે. અગાઉ BSF દિલ્હીમાં તેનો સ્થાપના દિવસ ઉજવતી હતી. 1 ડિસેમ્બર 1965ના રોજ સ્થપાયલુ BSF ભારત-પાકિસ્તાન સરહદ અને ભારત-બાંગ્લાદેશ સરહદોની સુરક્ષા માટે જવાબદાર છે.

આ પણ વાંચોઃ NAVSARI જિલ્લામાં ખુંખાર દીપડાનો ભય, ખેડૂતો ખેતરોમાં જતા અનુભવે છે ડર

આ પણ વાંચોઃ  Jawad Cyclone: પુરીમાં ત્રાટકશે વાવાઝોડું જવાદ, પાકને થઈ શકે છે ભારે નુકસાન, રેલવેએ 75 ટ્રેનો રદ કરી

Follow Us
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">