AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajsthan: ભારત-પાકિસ્તાન બોર્ડર પર ગૃહપ્રધાન અમિત શાહ, બોર્ડર પરથી પાકિસ્તાનને આપશે કડક સંદેશ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજસ્થાનની બે દિવસીય મુલાકાત દરમિયાન BSF જવાનો સાથે રહેશે. શાહ બોર્ડર સિક્યુરિટી ફોર્સના 57માં સ્થાપના દિવસ પર આયોજિત ઉજવણીમાં પણ ભાગ લેશે.

Rajsthan: ભારત-પાકિસ્તાન બોર્ડર પર ગૃહપ્રધાન અમિત શાહ, બોર્ડર પરથી પાકિસ્તાનને આપશે કડક સંદેશ
HM Amit Shah
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 9:00 PM
Share

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (HM Amit Shah) આજે રાજસ્થાન (Rajasthan)માં ભારત-પાકિસ્તાન સરહદ પાસે રાત વિતાવશે. BSFના 57માં સ્થાપના દિવસના અવસર પર દેશના ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર તે ફોરવર્ડ બોર્ડર પોસ્ટનું નિરીક્ષણ કરશે. જ્યાં તે સૈનિકો (Soldiers) સાથે વાતચીત પણ કરશે. આ પછી ગૃહમંત્રી રાત્રિના આરામ માટે રોહિતાશ ચોકી જશે.

રવિવારે અમિત શાહ શહીદ પૂનમ સિંહ શહેરના સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. કાર્યક્રમમાં ગૃહમંત્રી બહારગામથી આવેલા સૈનિકોને સંદેશ આપશે. તે પોતાના ભાષણથી સૈનિકોને પ્રોત્સાહિત કરશે.

અમિત શાહ પશ્ચિમ સરહદ પર સુરક્ષાની સમીક્ષા કરશે. તેઓ BSF અધિકારીઓ દ્વારા નાઈટ પેટ્રોલિંગ પર પણ દેખરેખ રાખશે. તે વિસ્તારની સરહદી ચોકી પર બીએસએફ અધિકારીઓ સાથે એક રાત વિતાવશે. આ પહેલીવાર હશે જ્યારે ગૃહમંત્રી બોર્ડર પાસે બીએસએફ અધિકારીઓ સાથે રાત વિતાવશે.

તે 5 ડિસેમ્બરે જેસલમેરમાં પ્રથમ વખત આયોજિત BSFના સ્થાપના દિવસમાં પણ હાજરી આપશે. આ વિસ્તારની મુખ્ય સમસ્યા રેતીના ટેકરાઓ ખસેડવાની છે, બોર્ડર સિક્યોરિટી ફોર્સ ગૃહમંત્રીને વાકેફ કરશે, જેથી કરીને સરહદની સુરક્ષા અને મજબૂતી વધુ મજબૂત કરી શકાય.

શુ છે રેતીના ટેકરાની સમસ્યા?

શાહગંજમાં ઉનાળામાં તાપમાન 50 ડિગ્રી અને શિયાળામાં 2 ડિગ્રી સુધી પહોંચી જાય છે, ત્યારે આ વિસ્તારમાં પાણીની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની જાય છે. ધૂળની ડમરીઓ માટે શાપિત જેસલમેર જિલ્લાના શાહગઢ બુલ્જ વિસ્તારમાં રેતીના ટેકરાઓ ખસવાને કારણે 30 કિમી સુધીના અવરોધના વિસ્તારમાં ઘૂસણખોરીની સંભાવના છે. ક્યાંક રેતીના ટેકરા ત્યાં હોય છે તો ક્યારેક સપાટ જમીન ક્યારેક બીજી સમસ્યા સુરક્ષા જવાનો માટે ખતરો બનતી જાય છે. આ કુદરતી પ્રક્રિયા ઘણા સમયથી ઘૂસણખોરીની શક્યતાઓનું કારણ બની રહી છે.

BSFની સ્થાપના 1 ડિસેમ્બર 1965ના રોજ થઈ હતી

ગૃહમંત્રી 5 ડિસેમ્બરના રોજ સવારે BSF રાઈઝિંગ ડે ઈવેન્ટમાં હાજરી આપશે અને ત્યારબાદ જયપુર જવા રવાના થશે. અગાઉ BSF દિલ્હીમાં તેનો સ્થાપના દિવસ ઉજવતી હતી. 1 ડિસેમ્બર 1965ના રોજ સ્થપાયલુ BSF ભારત-પાકિસ્તાન સરહદ અને ભારત-બાંગ્લાદેશ સરહદોની સુરક્ષા માટે જવાબદાર છે.

આ પણ વાંચોઃ NAVSARI જિલ્લામાં ખુંખાર દીપડાનો ભય, ખેડૂતો ખેતરોમાં જતા અનુભવે છે ડર

આ પણ વાંચોઃ  Jawad Cyclone: પુરીમાં ત્રાટકશે વાવાઝોડું જવાદ, પાકને થઈ શકે છે ભારે નુકસાન, રેલવેએ 75 ટ્રેનો રદ કરી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">