AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત કોરોના પોઝિટિવ

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત કોરોના પોઝિટિવ થયા છે, તેમને ટ્વીટ કરી માહિતી આપી હતી.

Breaking News: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત કોરોના પોઝિટિવ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2023 | 5:16 PM
Share

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત કોરોના પોઝિટિવ થયા છે, તેમને ટ્વીટ કરી માહિતી આપી હતી. ફરી એકવાર કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. મંગળવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ સીએમ વસુંધરા રાજેને પણ કોરોના થયો હતો. અડધા કલાકની અંદર બંને નેતાઓએ કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી અને પોતાને ક્વોરેન્ટાઇન કર્યા છે.

આ પણ વાચો: Breaking news : કોરોનાના વધતા કેસોથી હાહાકાર! ત્રણ રાજ્યોમાં માસ્ક ફરજિયાત, શું હવે દિલ્હીનો વારો?

મુખ્યમંત્રીએ કહ્યું છે કે તેમને હળવા લક્ષણો છે. અશોક ગેહલોતે એક દિવસ પહેલા જ સુરતમાં રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. કોર્ટમાં જતા સમયે તેઓ રાહુલ ગાંધીની સાથે હતા અને કોંગ્રેસના ઘણા નેતાઓના સંપર્કમાં આવ્યા હતા.

રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજેએ ટ્વિટ કર્યું અને લખ્યું- કોવિડની તપાસમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ડોક્ટરોની સલાહ પર ક્વોરેન્ટાઇનમાં છું. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ કોરોના ટેસ્ટ કરાવે અને સાવચેતી રાખે.

ભાજપના મોટા નેતાઓ હાજર રહ્યા હતા

તમને જણાવી દઈએ કે વસુંધરા રાજેએ રવિવારે બીજેપી હેડક્વાર્ટરમાં વિધાયક દળ અને કોર કમિટીની બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં પ્રદેશ ભાજપના મોટા નેતાઓ હાજર રહ્યા હતા અને પાર્ટી કાર્યાલય પણ ખીચોખીચ ભરાયેલું હતું. આવી સ્થિતિમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભાજપના અન્ય ઘણા નેતાઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવી શકે છે.

મુખ્યમંત્રી તેમના નિવાસ સ્થાનેથી સરકારી કામકાજ કરશે

આજે સવારથી જ સીએમ અશોક ગેહલોતની તબિયત ખરાબ હતી, ત્યારબાદ તેમનો અમૃતસર જવાનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો. આગામી થોડા દિવસો સુધી મુખ્યમંત્રી તેમના નિવાસ સ્થાનેથી સરકારી કામકાજ કરશે અને વિડીયો કોન્ફરન્સ દ્વારા વિભાગીય બેઠકોમાં હાજરી આપશે.

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">