AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news : કોરોનાના વધતા કેસોથી હાહાકાર! ત્રણ રાજ્યોમાં માસ્ક ફરજિયાત, શું હવે દિલ્હીનો વારો?

Corona in India: આંકડા અનુસાર, સોમવારે કોરોનાને કારણે દિલ્હી અને પંજાબમાં બે-બે લોકોના મોત થયા છે. તે જ સમયે, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં 1-1 દર્દીના મોત થયા છે. આ સાથે દેશમાં મૃત્યુઆંક વધીને 5,30,901 થઈ ગયો છે.

Breaking news : કોરોનાના વધતા કેસોથી હાહાકાર! ત્રણ રાજ્યોમાં માસ્ક ફરજિયાત, શું હવે દિલ્હીનો વારો?
coronavirus cases
| Updated on: Apr 04, 2023 | 2:25 PM
Share

Corona in India: દેશમાં સતત વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. આ રાજ્યોમાં દિલ્હીને અડીને આવેલા હરિયાણા, મહારાષ્ટ્ર અને તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં સરકારોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. આવી સ્થિતિમાં, એવી સંભાવના છે કે ટૂંક સમયમાં જ દિલ્હીમાં પણ ફરજિયાત માસ્ક પહેરવાના દિવસો પાછા ફરે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,038 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 21,179 થઈ ગઈ છે.

આંકડા અનુસાર, સોમવારે દિલ્હી અને પંજાબમાં બે-બે લોકોના મોત કોરોનાને કારણે થયા છે. તે જ સમયે, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં 1-1 દર્દીના મોત થયા છે. આ સાથે દેશમાં મૃત્યુઆંક વધીને 5,30,901 થઈ ગયો છે.

આ પણ વાંચોઃ એપ્રિલમાં કોરોનાનો વ્યાપ વધ્યો, 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 550થી વધુ કેસ, સક્રિય કેસોએ વધારી ચિંતા

માસ્ક અંગેના નવા નિયમો શું છે?

હરિયાણાની મનોહર લાલ ખટ્ટર સરકારે રાજ્યમાં 100 થી વધુ લોકોના ભેગા થવાના સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. એટલે કે, જ્યાં 100 થી વધુ લોકોનો મેળાવડો હશે ત્યાં માસ્ક લગાવવું જરૂરી છે. આ સિવાય રાજ્યમાં મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ લોકોએ માસ્ક પહેરવાનું રહેશે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે આ જાણકારી આપી છે. આ ઉપરાંત શરદી અને ઉધરસના દર્દીઓને ફરજિયાતપણે ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં, સરકારે સતારા જિલ્લામાં સરકારી કચેરીઓ અને ટ્રસ્ટની કચેરીઓ તેમજ કોલેજો અને બેંકોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. તમિલનાડુ સરકારે પણ સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને 1 એપ્રિલથી રાજ્યની હોસ્પિટલોમાં માસ્ક ફરજિયાત બનાવ્યા છે. હાલમાં દેશમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા 21,179 છે જેમની સારવાર ચાલી રહી છે.

આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર

ગુજરાતમાં વધતા કોરોના કેસને લઈ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ચીન, સિંગાપુર, હોંગકોંગ, કોરીયા, થાઇલેન્ડ અને જાપાનથી આવનારા મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરાઇ છે. ઉપરોક્ત દેશોમાંથી આવનારા પ્રવાસીઓએ નેગેટિવ RTPCR રિપોર્ટ જરુરી છે. એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. ગુજરાત આરોગ્ય વિભાગનો અમદાવાદ અને સુરત એરપોર્ટ ડાયરેક્ટરને પત્ર લખ્યો છે.

અમદાવાદ ફાયર વિભાગને મળ્યો પાણીમાં ઉતરે તેવો રોબોટ
અમદાવાદ ફાયર વિભાગને મળ્યો પાણીમાં ઉતરે તેવો રોબોટ
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
g clip-path="url(#clip0_868_265)">