AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news : કોરોનાના વધતા કેસોથી હાહાકાર! ત્રણ રાજ્યોમાં માસ્ક ફરજિયાત, શું હવે દિલ્હીનો વારો?

Corona in India: આંકડા અનુસાર, સોમવારે કોરોનાને કારણે દિલ્હી અને પંજાબમાં બે-બે લોકોના મોત થયા છે. તે જ સમયે, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં 1-1 દર્દીના મોત થયા છે. આ સાથે દેશમાં મૃત્યુઆંક વધીને 5,30,901 થઈ ગયો છે.

Breaking news : કોરોનાના વધતા કેસોથી હાહાકાર! ત્રણ રાજ્યોમાં માસ્ક ફરજિયાત, શું હવે દિલ્હીનો વારો?
coronavirus cases
| Updated on: Apr 04, 2023 | 2:25 PM
Share

Corona in India: દેશમાં સતત વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. આ રાજ્યોમાં દિલ્હીને અડીને આવેલા હરિયાણા, મહારાષ્ટ્ર અને તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં સરકારોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. આવી સ્થિતિમાં, એવી સંભાવના છે કે ટૂંક સમયમાં જ દિલ્હીમાં પણ ફરજિયાત માસ્ક પહેરવાના દિવસો પાછા ફરે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,038 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 21,179 થઈ ગઈ છે.

આંકડા અનુસાર, સોમવારે દિલ્હી અને પંજાબમાં બે-બે લોકોના મોત કોરોનાને કારણે થયા છે. તે જ સમયે, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં 1-1 દર્દીના મોત થયા છે. આ સાથે દેશમાં મૃત્યુઆંક વધીને 5,30,901 થઈ ગયો છે.

આ પણ વાંચોઃ એપ્રિલમાં કોરોનાનો વ્યાપ વધ્યો, 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 550થી વધુ કેસ, સક્રિય કેસોએ વધારી ચિંતા

માસ્ક અંગેના નવા નિયમો શું છે?

હરિયાણાની મનોહર લાલ ખટ્ટર સરકારે રાજ્યમાં 100 થી વધુ લોકોના ભેગા થવાના સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. એટલે કે, જ્યાં 100 થી વધુ લોકોનો મેળાવડો હશે ત્યાં માસ્ક લગાવવું જરૂરી છે. આ સિવાય રાજ્યમાં મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ લોકોએ માસ્ક પહેરવાનું રહેશે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે આ જાણકારી આપી છે. આ ઉપરાંત શરદી અને ઉધરસના દર્દીઓને ફરજિયાતપણે ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં, સરકારે સતારા જિલ્લામાં સરકારી કચેરીઓ અને ટ્રસ્ટની કચેરીઓ તેમજ કોલેજો અને બેંકોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. તમિલનાડુ સરકારે પણ સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને 1 એપ્રિલથી રાજ્યની હોસ્પિટલોમાં માસ્ક ફરજિયાત બનાવ્યા છે. હાલમાં દેશમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા 21,179 છે જેમની સારવાર ચાલી રહી છે.

આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર

ગુજરાતમાં વધતા કોરોના કેસને લઈ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ચીન, સિંગાપુર, હોંગકોંગ, કોરીયા, થાઇલેન્ડ અને જાપાનથી આવનારા મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરાઇ છે. ઉપરોક્ત દેશોમાંથી આવનારા પ્રવાસીઓએ નેગેટિવ RTPCR રિપોર્ટ જરુરી છે. એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. ગુજરાત આરોગ્ય વિભાગનો અમદાવાદ અને સુરત એરપોર્ટ ડાયરેક્ટરને પત્ર લખ્યો છે.

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
g clip-path="url(#clip0_868_265)">