kalicharan Maharaj: મહાત્મા ગાંધી માટે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરનારા કાલીચરણને લઈ કોર્ટમાં 55 મિનિટ ચર્ચા, જાણો શું થઈ સજા

કોર્ટમાં લગભગ 55 મિનિટ સુધી ચર્ચા ચાલી, ત્યારબાદ કાલીચરણ મહારાજને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા. 1 જાન્યુઆરીએ તેને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

kalicharan Maharaj: મહાત્મા ગાંધી માટે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરનારા કાલીચરણને લઈ કોર્ટમાં 55 મિનિટ ચર્ચા, જાણો શું થઈ સજા
Sant Kalicharan was arrested from Khujraho in Madhya Pradesh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 8:12 AM

રાયપુરની એક કોર્ટે કાલીચરણ મહારાજ(kalicharan Maharaj)ને મહાત્મા ગાંધી(Mahatama Gandhi) વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ બે દિવસની પોલીસ કસ્ટડી(Police Custody)માં મોકલી દીધા છે. છત્તીસગઢ પોલીસે ગુરુવારે મધ્યપ્રદેશના ખજુરાહો(Khajuraho in Madhya Pradesh)થી કાલીચરણની ધરપકડ કરી હતી. તેને ગુરુવારે સાંજે રાયપુરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. કોર્ટમાં લગભગ 55 મિનિટ સુધી ચર્ચા ચાલી, ત્યારબાદ કાલીચરણને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો. 1 જાન્યુઆરીએ તેને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

મહાત્મા ગાંધી માટે અપશબ્દો, રાયપુરમાં કેસ નોંધાયો

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આયોજિત ધર્મ સંસદના કાર્યક્રમમાં કાલીચરણે મહાત્મા ગાંધી વિશે વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા અને આ દરમિયાન અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. કાલીચરણના મહાત્મા ગાંધી વિશેના નિવેદનની દેશભરમાં ટીકા થઈ હતી અને તેમની સામે રાયપુરના ટિકરાપારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. રાયપુરમાં કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રમોદ દુબેએ કાલીચરણ વિરુદ્ધ બિનજામીનપાત્ર કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. 

આ મામલે કાર્યવાહી કરતા છત્તીસગઢ પોલીસે ગુરુવારે મધ્યપ્રદેશના ખજુરાહોથી કાલીચરણની ધરપકડ કરી હતી. કાલીચરણની ધરપકડ બાદ મધ્યપ્રદેશ અને છત્તીસગઢના નેતાઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. 

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ છત્તીસગઢ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કાલીચરણની ધરપકડને ખોટી ગણાવી હતી. મિશ્રાએ આ કાર્યવાહીને સંઘીય માળખા વિરુદ્ધ ગણાવી હતી. જોકે, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પોલીસ કાર્યવાહીના સમર્થનમાં દેખાયા હતા. બઘેલે પોલીસના આ પગલાને યોગ્ય ઠેરવતા નરોત્તમ મિશ્રાની પૂછપરછ કરી. ભૂપેશ બઘેલે મિશ્રાને સવાલ કર્યો અને પૂછ્યું કે, મિશ્રા બાબાની ધરપકડથી ખુશ છે કે નારાજ? પહેલા આનો જવાબ આપે.

આ પણ વાંચો : અમદાવાદના મોટા બિલ્ડરનું અપહરણ: ફિલ્મી સ્ટાઈલમાં ઉઠાવી ગયા અને માંગી અધધધ ખંડણી, જાણો વિગત

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">