AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

kalicharan Maharaj: મહાત્મા ગાંધી માટે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરનારા કાલીચરણને લઈ કોર્ટમાં 55 મિનિટ ચર્ચા, જાણો શું થઈ સજા

કોર્ટમાં લગભગ 55 મિનિટ સુધી ચર્ચા ચાલી, ત્યારબાદ કાલીચરણ મહારાજને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા. 1 જાન્યુઆરીએ તેને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

kalicharan Maharaj: મહાત્મા ગાંધી માટે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરનારા કાલીચરણને લઈ કોર્ટમાં 55 મિનિટ ચર્ચા, જાણો શું થઈ સજા
Sant Kalicharan was arrested from Khujraho in Madhya Pradesh
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 8:12 AM
Share

રાયપુરની એક કોર્ટે કાલીચરણ મહારાજ(kalicharan Maharaj)ને મહાત્મા ગાંધી(Mahatama Gandhi) વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ બે દિવસની પોલીસ કસ્ટડી(Police Custody)માં મોકલી દીધા છે. છત્તીસગઢ પોલીસે ગુરુવારે મધ્યપ્રદેશના ખજુરાહો(Khajuraho in Madhya Pradesh)થી કાલીચરણની ધરપકડ કરી હતી. તેને ગુરુવારે સાંજે રાયપુરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. કોર્ટમાં લગભગ 55 મિનિટ સુધી ચર્ચા ચાલી, ત્યારબાદ કાલીચરણને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો. 1 જાન્યુઆરીએ તેને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 

મહાત્મા ગાંધી માટે અપશબ્દો, રાયપુરમાં કેસ નોંધાયો

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આયોજિત ધર્મ સંસદના કાર્યક્રમમાં કાલીચરણે મહાત્મા ગાંધી વિશે વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા અને આ દરમિયાન અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. કાલીચરણના મહાત્મા ગાંધી વિશેના નિવેદનની દેશભરમાં ટીકા થઈ હતી અને તેમની સામે રાયપુરના ટિકરાપારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. રાયપુરમાં કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રમોદ દુબેએ કાલીચરણ વિરુદ્ધ બિનજામીનપાત્ર કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. 

આ મામલે કાર્યવાહી કરતા છત્તીસગઢ પોલીસે ગુરુવારે મધ્યપ્રદેશના ખજુરાહોથી કાલીચરણની ધરપકડ કરી હતી. કાલીચરણની ધરપકડ બાદ મધ્યપ્રદેશ અને છત્તીસગઢના નેતાઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. 

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ છત્તીસગઢ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કાલીચરણની ધરપકડને ખોટી ગણાવી હતી. મિશ્રાએ આ કાર્યવાહીને સંઘીય માળખા વિરુદ્ધ ગણાવી હતી. જોકે, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પોલીસ કાર્યવાહીના સમર્થનમાં દેખાયા હતા. બઘેલે પોલીસના આ પગલાને યોગ્ય ઠેરવતા નરોત્તમ મિશ્રાની પૂછપરછ કરી. ભૂપેશ બઘેલે મિશ્રાને સવાલ કર્યો અને પૂછ્યું કે, મિશ્રા બાબાની ધરપકડથી ખુશ છે કે નારાજ? પહેલા આનો જવાબ આપે.

આ પણ વાંચો : અમદાવાદના મોટા બિલ્ડરનું અપહરણ: ફિલ્મી સ્ટાઈલમાં ઉઠાવી ગયા અને માંગી અધધધ ખંડણી, જાણો વિગત

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">