રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ ટ્રેનના અપગ્રેડેડ ટોયલેટનું નિરીક્ષણ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં અપગ્રેડ પહેલા અને પછીના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. રેલ્વે મંત્રીએ વીડિયોના કેપ્શનમાં લખ્યું, હાલના કોચ માટે નવા અપગ્રેડેડ ટોયલેટ ડિઝાઇનનું નિરીક્ષણ કર્યું.
અશ્વિની વૈષ્ણવ દ્વારા શેર કરવામાં આવેલ આ વીડિયોમાં અપગ્રેડ પહેલા અને પછી ટ્રેનની અંદરના અરીસા, વોશ બેસિન અને ટોયલેટ સીટોની હાલત જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો લગભગ ચાર લાખથી પણ વધારે વખત જોવામાં આવ્યો છે. આ વીડિયોમાં ઘણા લોકોના રિએક્શન આવી રહ્યા છે. સાથે જ તેની પ્રશંસા પણ થઈ રહી છે.
Inspected the new upgraded toilet designs for existing coaches. pic.twitter.com/2v426YZiEy
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 31, 2023
એક યુઝરે કહ્યું, ‘આ મહાનુભાવો પૂર્વ-નિર્ધારિત જગ્યાએ આવ્યા છે, જ્યાં બધું અગાઉથી તૈયાર, સાફ કરવામાં આવ્યું છે. હવે લોકો હાથ લગાવીને જોઈ રહ્યા છે. વાસ્તવિકતા નીચે છે. જ્યાં સંપૂર્ણ સેટ વગર ન તો કચરો સાફ કરવામાં આવે છે અને ન તો વોશરૂમ સાફ કરવામાં આવે છે. અન્ય એક યુઝરે કહ્યું પહેલા યુઝરને જવાબ આપતા જણાવ્યું કે, તેની યોગ્ય જાળવણી અને ઉપયોગ કરવો એ આપણી જવાબદારી છે.
અન્ય એક યુઝરે કહ્યું, ભારતીય રેલ્વેમાં શૌચાલયોની જાળવણી અને સ્વચ્છતા સૌથી મોટી સમસ્યા છે. ભલે આપણે કોઈ પણ વર્ગના કોચમાં મુસાફરી કરીએ છીએ. આ મુદ્દા પર પણ ધ્યાન આપવું જોઈએ. એક યુઝરે લખ્યું કે, રેલવેની હાલત પહેલાની સરખામણીમાં સુધરી રહી છે.
દાવોસ કોન્ફરન્સમાં ભારતના પક્ષમાંથી સંભવિત વક્તા તરીકે યોગી આદિત્યનાથ, પીયૂષ ગોયલ અને દેવેન્દ્ર ફડણવીસ જેવા મોટા નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ આખરે અશ્વિની વૈષ્ણવ, સ્મૃતિ ઈરાની અને મનસુખ માંડવિયાની પસંદગી કરવામાં આવી હતી. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને મોદી સરકારમાં ઉભરતા સ્ટાર માનવામાં આવે છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સુશાસન પર પસંદગીના પત્રકારોને સંક્ષિપ્તમાં તેમની કામગીરીને કારણે મોદી સરકારમાં સારૂ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એવો વિષય કે જે તેમના રેલવે, કોમ્યુનિકેશન્સ અને ઈલેક્ટ્રોનિક્સના મંત્રી પોર્ટફોલિયોનો ભાગ નથી. પીએમ મોદીએ ઘણા મંત્રીઓની પોતપોતાના મંત્રાલયોની બહારના વિષયો પર પકડ મેળવવાની ક્ષમતાની ચકાસણી કરી હતી.