‘ખેડૂતોનો અહિંસક સત્યાગ્રહ અખંડ, શોષણ કરનારી સરકારને આ પસંદ નથી’, રાહુલ ગાંધીએ ખેડૂતોના ‘ભારત બંધ’ ને ટેકો આપ્યો

કોંગ્રેસ સિવાય વિવિધ વિપક્ષી દળોએ પણ ખેડૂતોના ભારત બંધને ટેકો આપ્યો છે. ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું છે કે, જ્યાં સુધી ત્રણ કૃષિ કાયદા પરત ખેંચાય નહીં ત્યાં સુધી તેઓ પોતાનું આંદોલન સમાપ્ત નહીં કરે.

'ખેડૂતોનો અહિંસક સત્યાગ્રહ અખંડ, શોષણ કરનારી સરકારને આ પસંદ નથી', રાહુલ ગાંધીએ ખેડૂતોના 'ભારત બંધ' ને ટેકો આપ્યો
Rahul Gandhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 12:53 PM

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) સોમવારે કેન્દ્રના ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોના ‘ભારત બંધ’ ને (Bharat Bandh) ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું કે ખેડૂતોનો અહિંસક સત્યાગ્રહ અખંડ છે. કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરનાર તમામ ખેડૂત સંગઠનોએ ફરી એકવાર કેન્દ્રના આ કાયદાઓ સામે અવાજ ઉઠાવ્યો છે.

સંયુક્ત કિસાન મોરચાએ 5 સપ્ટેમ્બરે મુઝફ્ફરનગરની કિસાન મહાપંચાયત ખાતે 27 સપ્ટેમ્બરે ‘ભારત બંધ’ નું આહ્વાન કર્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું, ‘ખેડૂતોનો અહિંસક સત્યાગ્રહ આજે પણ અકબંધ છે, પરંતુ શોષણ કરનારી સરકારને તે પસંદ નથી. એટલે જ આજે ભારત બંધ છે. કોંગ્રેસ સિવાય વિવિધ વિપક્ષી દળોએ પણ ખેડૂતોના ભારત બંધને ટેકો આપ્યો છે. ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) કહ્યું છે કે, જ્યાં સુધી ત્રણ કૃષિ કાયદા પરત ખેંચાય નહીં ત્યાં સુધી તેઓ પોતાનું આંદોલન સમાપ્ત નહીં કરે.

દિલ્હીની સરહદો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ખેડૂત નેતાઓએ તમામ ભારતીયોને બંધમાં જોડાવાની અપીલ કરી છે. તેમણે વિગતવાર માર્ગદર્શિકા આપી છે અને શાંતિપૂર્ણ હડતાલનું એલાન આપ્યું છે. સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) દ્વારા બોલાવાયેલ આ ત્રીજું ભારત બંધ છે અને ખેડૂત સંગઠનોને આશા છે કે આ બંધ અસરકારક સાબિત થશે. કૃષિ કાયદા વિરુદ્ધ સંયુક્ત કિસાન મોરચા દ્વારા બોલાવાયેલા ‘ભારત બંધ’ને જોતા દિલ્હી પોલીસે દિલ્હીની સરહદો પર વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, બંધને ધ્યાનમાં રાખીને સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરની હદમાં વિરોધ કરી રહેલા કોઈ પણ વિરોધીને દિલ્હીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત દેશભરના હજારો ખેડૂતો છેલ્લા દસ મહિનાથી દિલ્હીની સરહદો પર ધરણા પર બેઠા છે, જે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમલમાં આવેલા કૃષિ કાયદાને રદ કરવાની માંગણી કરી રહ્યા છે.

જો માગ પૂરી નહીં થાય તો આંદોલન ઉગ્ર બનશે

રાકેશ ટિકૈતે સંકેત આપ્યો છે કે, જો તેમની માગ સ્વીકારવામાં નહીં આવે તો ખેડૂતો તેમના આંદોલનને ઉગ્ર બનાવશે. તેમણે ખેડૂતોને કહ્યું કે તેમના ટ્રેક્ટર તૈયાર રાખો, તેઓને દિલ્હીમાં ગમે ત્યારે જરૂર પડી શકે છે. વધુમાં કહ્યું કે જો ખેડૂતો દસ મહિનાથી તેમના ઘરે પરત ન આવ્યા હોય તો તેઓ દસ વર્ષ સુધી આંદોલન કરી શકે છે, પરંતુ આ કાયદાઓને અમલમાં મૂકવા દેશે નહીં.

આ પણ વાંચો : Kisan Bharat Bandh: દિલ્હી-NCR, યુપી અને પંજાબ-હરિયાણામાં ઘણી જગ્યાએ ભારે ટ્રાફિક જામ, આજે આ રસ્તાઓ પર જવાનું ટાળો

આ પણ વાંચો : Ayushman Bharat Digital Mission: આયુષ્માન ભારત ડિજિટલ મિશન શું છે? તમને આનાથી કેવી રીતે ફાયદો થશે, જાણો તમામ વિગતો

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">