હિંસા કોઈ સમસ્યાનું સમાધાન નથી, કૃષિ કાયદા પરત લે મોદી સરકાર: રાહુલ ગાંધી

|

Jan 26, 2021 | 10:12 PM

પ્રજાસત્તાક દિવસે રાજધાની દિલ્હીમાં નીકળેલી ખેડૂત રેલી અમુક સ્થળોએ બેકાબુ બની હતી. તેમજ અમુક સ્થળોએ પોલીસ સાથે અથડામણ પણ થઈ હતી.

હિંસા કોઈ સમસ્યાનું સમાધાન નથી, કૃષિ કાયદા પરત લે મોદી સરકાર: રાહુલ ગાંધી
Rahul Gandhi (File Image)

Follow us on

પ્રજાસત્તાક દિવસે રાજધાની દિલ્હીમાં નીકળેલી ખેડૂત રેલી અમુક સ્થળોએ બેકાબુ બની હતી. તેમજ અમુક સ્થળોએ પોલીસ સાથે અથડામણ પણ થઈ હતી. આ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે હિંસા કોી સમસ્યાનો ઉકેલ નથી અને કાયદા પરત લેવાવવા જોઈએ. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે હિંસા કોઈ સમસ્યાનો અંત નથી. ઈજા કોઈને પણ થાય નુકશાન આપણા દેશને થશે. દેશહિતમાં કૃષિ-વિરોધી કાયદા પરત લો.

 

મોદી સરકારના વિવાદિત કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદની સીમાઓ પર છેલ્લા બે માસથી કાયદા પરત લેવા માટે આંદોલન કરી રહ્યા છે. જેમાં આજે ખેડૂતોએ ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં કિસાન ટ્રેક્ટર પરેડનું આયોજન કર્યું હતું. તેમજ ખેડૂતોએ પોલીસે નક્કી કરેલા રૂટ અને સમયની અવગણના કરીને પહેલા ટીકરી અને સિંધુ બોર્ડર લગાવેલા બેરીકેટ તોડી નાખ્યા હતા. તેમજ રાજધાની દિલ્હીમાં પ્રવેશ કર્યો હતો.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

જ્યારે દિલ્હી પોલીસે આપેલી  માહિતી  મુજબ  ટ્રેક્ટર પરેડની હિંસા દરમિયાન કુલ 83 જેટલા પોલીસ જવાનો ઘાયલ થયા છે. પોલીસે કહ્યું  કે ખેડૂતોએ તેમનો રુટ બદલ્યો હતો અને બેરીકેડસ તોડીને રાજધાનીમાં ઘૂસવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેને રોકવા જતાં હિંસા થઈ હતી અને જાહેર સંપત્તિને  ઘણું નુકસાન થયું છે.

 

આ પણ વાંચો: Tractor Rally: જામજોધપુરમાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી, 50 જેટલા ખેડૂતોની અટકાયત

Next Article