AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AAPના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી કરાયા સસ્પેન્ડ, જાણો શું છે કારણ

આમ આદમી પાર્ટીના વધુ એક સાંસદ રાઘવ ચઢ્ઢાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાઘવ ચઢ્ઢા પર નકલી હસ્તાક્ષર કરવાનો આરોપ હતો, ત્યારબાદ આ મામલો વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવ્યો હતો.

AAPના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી કરાયા સસ્પેન્ડ, જાણો શું છે કારણ
Raghav Chadha suspended from Rajya Sabha
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 3:57 PM
Share

આમ આદમી પાર્ટીના વધુ એક સાંસદ રાઘવ ચઢ્ઢાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાઘવ ચઢ્ઢા પર નકલી હસ્તાક્ષર કરવાનો આરોપ હતો, ત્યારબાદ આ મામલો વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાએ ગુરુવારે પાંચ રાજ્યસભા સાંસદોના “બનાવટી સહી”ના આરોપોને લઈને ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું હતું. તેમની સ્પષ્ટતામાં, ચઢ્ઢાએ ભાજપને પડકાર ફેંક્યો કે તેઓ તેમને કાગળનો ટુકડો બતાવે જ્યાં તેઓ નકલી સહી હોવાનો દાવો કરી રહ્યા છે.

રાઘવ ચઢ્ઢા રાજ્ય સભામાંથી સસપેન્ડ

પાંચ સાંસદોએ AAP સાંસદ રાઘવ ચઢ્ઢા પર આરોપ લગાવ્યો હતો કે રાઘવ ચઢ્ઢાએ તેમની સંમતિ વિના પ્રસ્તાવિત પેનલમાં તેમનું નામ જોડી દીધુ હતું. અધ્યક્ષ જગદીપ ધનખડે બુધવારે સાંસદોની ફરિયાદોની તપાસ વિશેષાધિકાર સમિતિને મોકલી હતી. સ્પીકરને ચઢ્ઢા દ્વારા વિશેષાધિકારના ભંગની ફરિયાદો મળી હતી, જેમાં 7 ઓગસ્ટના રોજ એક ઠરાવમાં, અન્ય આરોપો ઉપરાંત, તેમની સંમતિ વિના સાંસદોના નામ, પ્રક્રિયાના નિયમો અને કારોબારના નિયમોનું ઉલ્લંઘન કરવાનો સમાવેશ થાય છે.

ખોટા હસ્તાક્ષરનો આરોપ

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે રાઘવ ચઢ્ઢાએ સિલેક્ટ કમિટીના પ્રસ્તાવમાં સાંસદોના નામ તેમની સંમતિ વિના સામેલ કરીને ગૃહની મર્યાદાનું અપમાન કર્યું છે. સાંસદોના વિશેષાધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. સંસદની બહાર પત્રકાર પરિષદમાં આ વાત કહી હતી. રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં સુધી વિશેષાધિકાર સમિતિ તેનો રિપોર્ટ ન આપે ત્યાં સુધી સસ્પેન્શન ચાલુ રહેશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે નિલંબિત સાંસદ સંજય સિંહ પણ ‘હેબુચલ ઓફેંડર’ (સમાન અપરાધી) છે. સંજય સિંહને ચોમાસુ સત્ર સુધી રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદના ચોમાસુ સત્રનો આજે છેલ્લો દિવસ છે. જે દિવસે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તે દિવસે પણ તે બહાર ગયા ન હતા જે બાદ કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. ગોયલે કહ્યું કે સંજય સિંહે અફસોસ પણ નથી કર્યો અને પોતાના વર્તનને યોગ્ય ઠેરવતા રહ્યા. ઘણા દિવસો સુધી સંસદ પરિસરમાં બેઠા. સંજય સિંહ સત્રમાં 56 વખત કૂવામાં આવી ચૂક્યા છે. અગાઉ બે વખત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સુવેન્દુ અધિકારીની અપીલ: બંગાળમાં 5000 કાર્યકરોના જીવ બચ્યાનો દાવો
સુવેન્દુ અધિકારીની અપીલ: બંગાળમાં 5000 કાર્યકરોના જીવ બચ્યાનો દાવો
ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ઠપ્પ: ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર
ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ઠપ્પ: ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર
મોરબી મનપામાં હાજરી કૌભાંડનો 'પર્દાફાશ', 8 કર્મચારી સામે નોંધાઈ ફરિયાઈ
મોરબી મનપામાં હાજરી કૌભાંડનો 'પર્દાફાશ', 8 કર્મચારી સામે નોંધાઈ ફરિયાઈ
બાબરા હત્યા કેસમાં મોટો ખુલાસો: સમાધાનના બહાને બોલાવી યુવકની હત્યા
બાબરા હત્યા કેસમાં મોટો ખુલાસો: સમાધાનના બહાને બોલાવી યુવકની હત્યા
રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા હોવાનો 'વાયરલ વીડિયો'માં આક્ષેપ
રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા હોવાનો 'વાયરલ વીડિયો'માં આક્ષેપ
મોરબીમાં સાવર તળાવ પાસે ચાલશે બુલડોઝર: 180 ગેરકાયદે દબાણોને આખરી નોટિસ
મોરબીમાં સાવર તળાવ પાસે ચાલશે બુલડોઝર: 180 ગેરકાયદે દબાણોને આખરી નોટિસ
PM મોદી, આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગરમાં કરશે રાત્રીરોકાણ
PM મોદી, આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગરમાં કરશે રાત્રીરોકાણ
PM મોદીની હાજરીમાં ગુંજશે ‘હર હર મહાદેવ’, યોજાશે ભવ્ય એર શો, જુઓ Video
PM મોદીની હાજરીમાં ગુંજશે ‘હર હર મહાદેવ’, યોજાશે ભવ્ય એર શો, જુઓ Video
Breaking News : યાત્રાધામ ડાકોરમાં લાગો વધારવાનો નિર્ણય મોકૂફ
Breaking News : યાત્રાધામ ડાકોરમાં લાગો વધારવાનો નિર્ણય મોકૂફ
લંડન જતાં અમદાવાદનો પરિવાર વિદેશમાં બંધક, Watch Video
લંડન જતાં અમદાવાદનો પરિવાર વિદેશમાં બંધક, Watch Video
g clip-path="url(#clip0_868_265)">