MP: પરીક્ષામાં કરીના કપૂરના પુત્રનું નામ પૂછવામાં આવતા હંગામો મચ્યો, શિક્ષણ વિભાગે ફટકારી નોટિસ

ખંડવાની એક શાળાએ 6ઠ્ઠા ધોરણની પરીક્ષામાં બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર અને અભિનેતા સૈફ અલી ખાનના પુત્રનું નામ પૂછ્યું છે. ત્યારથી રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.

MP: પરીક્ષામાં કરીના કપૂરના પુત્રનું નામ પૂછવામાં આવતા હંગામો મચ્યો, શિક્ષણ વિભાગે ફટકારી નોટિસ
Kareena Kapoor - Bollywood Actress
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 10:54 AM

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ખંડવા(Khandwa)ની એક ખાનગી શાળામાં ધોરણ 6 ની પરીક્ષામાં પૂછવામાં આવેલા પ્રશ્નને લઈને હોબાળો થયો છે. આ પરીક્ષામાં બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર (Bollywood actress Kareena Kapoor) અને સૈફ અલી ખાનના પુત્રનું પૂરું નામ પૂછવામાં આવ્યું હતું. આ અંગે પેરેન્ટ્સ એસોસિએશને (Parents Association) રાજ્યના શિક્ષણ વિભાગ (Education Department)ને આ અંગે ફરિયાદ કરી હતી. આ મામલે હંગામો વધી જતાં શિક્ષણ વિભાગે શાળાને કારણદર્શક નોટિસ ફટકારવાનો નિર્ણય લીધો છે. જો કે, શાળાના અધિકારીઓએ કહ્યું કે પ્રશ્નને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરવાના પ્રયાસ તરીકે જોવો જોઈએ.

ખંડવા શહેરની એક સ્કૂલમાં ધોરણ 6 ના સામાન્ય જ્ઞાન વિષયના પ્રશ્નપત્રમાં ગુરુવારે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના પુત્રનું પૂરું નામ લખવા માટે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્નનો વાંધો ઉઠાવવામાં આ્વ્યો હતો, પ્રશ્નપત્રની નકલ સોશિયલ મીડિયા સાઇટ્સ પર શેર કરવામાં આવી હતી. શુક્રવારે મીડિયા સાથે વાત કરતી વખતે, જિલ્લા શિક્ષણ અધિકારી સંજીવ ભાલેરાવે જણાવ્યું હતું કે આ બાબત તેમના ધ્યાન પર આવી છે અને વિભાગ સંબંધિત શાળાને કારણ બતાવો નોટિસ આપશે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તમને જણાવી દઈએ કે આ પ્રશ્નપત્ર સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આમાં કરીના કપૂર ખાનના પુત્રના નામ સિવાય વિદ્યાર્થીઓને 2019ની IPL વિજેતા ટીમનું નામ પણ પૂછવામાં આવ્યું છે. આ સાથે ઉત્તર કોરિયાના તાનાશાહનું નામ પણ વિદ્યાર્થીઓને જણાવવા માટે કહેવામાં આવ્યું છે. આ બાબતે ચિંતા વ્યક્ત કરતાં જિલ્લા પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખે કહ્યું- “શાળા પ્રશાસન વિદ્યાર્થીઓને આવા ગંભીર પ્રશ્નો કેવી રીતે પૂછી શકે? તેથી વિદ્યાર્થીઓને ઐતિહાસિક ચિહ્નો અને અન્ય દેશપ્રેમીઓ વિશે પૂછવાને બદલે તેઓ બોલિવૂડના દંપતીના પુત્રનું નામ પૂછી રહ્યા છે.

રાજ્યના શિક્ષણ વિભાગે શાળાને નોટિસ ફટકારી છે

નોંધનીય છે કે, જ્યારે આ મામલે હોબાળો વધ્યો ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે શાળાને નોટિસ ફટકારી હતી. સાથે જ આ મામલે શાળા પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જિલ્લા શિક્ષણ અધિકારી સંજીવ ભાલેરાવે જણાવ્યું હતું કે અમે શાળાને કારણદર્શક નોટિસ પાઠવી છે. આ જવાબના આધારે અમે શાળા સામે કાર્યવાહી કરીશું.

આ સિવાય, અમે અન્ય વર્ગોના પ્રશ્નપત્રો પણ તપાસીશું. “અત્યાર સુધી, શાળાના કોઈપણ વિદ્યાર્થીઓના માતાપિતાએ આ બાબતે ફરિયાદ કરી નથી,” તેમણે કહ્યું અને જેઓ વિરોધ કરી રહ્યા છે તેઓ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતાપિતા નથી. સાથે જ કહ્યું કે પ્રશ્નને ધર્મ કે સાંપ્રદાયિકતા સાથે જોડવો ખોટું છે, તેને માત્ર જ્ઞાન વધારવાના પ્રયાસ તરીકે જોવું જોઈએ.

આ પણ વાંચો : Jammu Kashmir Encounter: સુરક્ષા દળોને મળી મોટી સફળતા, ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં 5 આતંકવાદીઓનો બોલાવ્યો ખાત્મો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">