Ludhiana Blast: NIA એ જસવિંદર સિંહ મુલ્તાની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી, આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ થવા બદલ કેસ દાખલ કર્યો

NIAના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, આ ખાલિસ્તાન તરફી સમર્થકો પંજાબમાં યુવાનોને કટ્ટરપંથી બનાવી રહ્યા હતા અને તેમના એજન્ડા અને આતંકવાદી પ્રવૃત્તિઓનો પ્રચાર કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા હતા.

Ludhiana Blast: NIA એ જસવિંદર સિંહ મુલ્તાની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી, આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ થવા બદલ કેસ દાખલ કર્યો
Punjab - Ludhiana Court Blast Case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 1:25 PM

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ લુધિયાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બ્લાસ્ટ કેસમાં (Ludhiana District Court) પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) સાથે જોડાયેલા આતંકવાદી જસવિંદર સિંહ મુલ્તાની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. ટીમે તેની સામે આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ થવા બદલ કેસ નોંધ્યો છે. તેની પૂછપરછ કરવા માટે ટીમ ટૂંક સમયમાં જર્મની જવા રવાના થશે. તાજેતરમાં જર્મન પોલીસે તેની અટકાયત કરી હતી.

સમાચાર એજન્સી સાથે વાત કરતા, NIAના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, આ ખાલિસ્તાન તરફી સમર્થકો પંજાબમાં યુવાનોને કટ્ટરપંથી બનાવી રહ્યા હતા અને તેમના એજન્ડા અને આતંકવાદી પ્રવૃત્તિઓનો પ્રચાર કરવા માટે સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા હતા. પંજાબની ચૂંટણી પહેલા, રાજ્યમાં શાંતિને અસ્થિર કરવા માટે તેમની પ્રવૃત્તિઓમાં અચાનક વધારો થયો છે.

પાકિસ્તાન સાથે જોડાણ એક અધિકારીએ જણાવ્યું હતું કે મુલ્તાની તાજેતરમાં પાકિસ્તાની ઓપરેટિવ્સની મદદથી સરહદ પારથી વિસ્ફોટક, ગ્રેનેડ અને પિસ્તોલના હથિયારોના કન્સાઇનમેન્ટની વ્યવસ્થા કરવા માટે સુરક્ષા એજન્સીઓના રડાર પર હતો. અગાઉ 7 ફેબ્રુઆરીએ પંજાબ પોલીસે તરનતારન, અમૃતસર અને ફિરોઝપુરમાંથી ચાર લોકોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી આઠ પિસ્તોલ અને દારૂગોળો મળી આવ્યો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ધરપકડ કરાયેલા લોકોએ પંજાબમાં કટ્ટરપંથી પ્રવૃત્તિઓ કરવા માટે ગેરકાયદેસર હથિયારો ખરીદ્યા હતા. પોલીસે પાછળથી બીજા એક વ્યક્તિ, જીવન સિંહની ધરપકડ કરી હતી, જેને જર્મનીના ખાલિસ્તાન નેતા મુલ્તાનીએ સોશિયલ મીડિયા પર અગ્રણી ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલને નિશાન બનાવવા માટે કટ્ટરપંથી બનાવવામાં આવ્યો હતો.

આ કારણે 15 વર્ષ પહેલા જર્મની ગયો હતો નોંધનીય છે કે લુધિયાણા બોમ્બ વિસ્ફોટનો માસ્ટર માઈન્ડ જસવિંદર 15 વર્ષ પહેલા પૈસા કમાવવા માટે જર્મની ગયો હતો, પરંતુ ત્યાં જઈને તે આતંકી બની ગયો હતો. સાત વર્ષ પહેલા મુલ્તાની પોતાના ગામ મંસૂરપુર પરત ફર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, એક સપ્તાહ રોકાયા બાદ તે ફરીથી જર્મની પરત ફર્યો હતો, તે પછી પાછો આવ્યો નથી.

આતંકવાદી પ્રવૃત્તિઓમાં તેની સંડોવણીના સમાચાર સાંભળીને મંસૂરપુર ગામના લોકો ગભરાઈ ગયા છે. જો કે અહીં મુલ્તાની સામે કોઈ ફોજદારી કેસ નથી. ગામ લોકોએ જણાવ્યું કે જસવિંદરની માતા કમલજીત કૌરનું ગામમાં નિધન થઈ ગયું છે. તેના પિતા અજીત સિંહ એકલા રહે છે.

આ પણ વાંચો : UP Elections: વિધાનસભા ચૂંટણી પહેલા અખિલેશ યાદવને મોટો ઝટકો, મુલાયમના નજીકના સહયોગી શતરૂદ્ર પ્રકાશ ભાજપમાં જોડાયા

આ પણ વાંચો : Omicron Update: દેશમાં ઓમિક્રોનના 1270 કેસ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 450 કેસ, જાણો અન્ય રાજ્યોની સ્થિતિ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">