AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MP Santokh Singh Chaudhary Death: કોંગ્રેસ સાંસદ સંતોખ સિંહનું નિધન, ભારત જોડો યાત્રા દરમિયાન આવ્યો હાર્ટ એટેક

લોકસભાના સાંસદ ઓમ બિરલાએ પણ સંતોખ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમને ટ્વીટ કરીને સાંસદના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદનાઓ. ભગવાન તેમના આત્માને શાંતી આપે.

MP Santokh Singh Chaudhary Death: કોંગ્રેસ સાંસદ સંતોખ સિંહનું નિધન, ભારત જોડો યાત્રા દરમિયાન આવ્યો હાર્ટ એટેક
Congress MP Santokh Singh Chaudhary Image Credit source: LokSabha TV
| Updated on: Jan 14, 2023 | 10:22 AM
Share

કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલમાં પંજાબમાં છે. થોડા દિવસ પહેલા યાત્રામાં સાથે ચાલી રહેલા કોંગ્રેસ સાંસદ સંતોખ સિંહને હાર્ટ એટેક આવ્યો, તબિયત બગડતી હોવાથી તેમને તાત્કાલિક ફગવાડાના વિર્ક હોસ્ટપિલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે. તે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સાથે ચાલી રહ્યા હતા. ત્યારે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાને અટકાવી અને તરત જ હોસ્પિટલ માટે રવાના થયા. સંતોખ સિંહ ચૌધરી જલંધર સંસદીય વિસ્તારથી 2014 અને 2019માં ચૂંટણી જીતી હતી.

પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને ટ્વીટ કર્યુ

તેમના નિધન બાદ પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને ટ્વીટ કરીને લખ્યું કે જલંધરથી કોંગ્રેસના સાંસદ સંતોખ સિંહ ચૌધરીના અચાનક નિધનથી હું ખુબ દુ:ખી થયો છું. ભગવાન તેમની આત્માને શાંતિ પ્રદાન કરે.

લોકસભાના સાંસદ ઓમ બિરલાએ શોક વ્યક્ત કર્યો

લોકસભાના સાંસદ ઓમ બિરલાએ પણ સંતોખ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમને ટ્વીટ કરીને સાંસદના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદનાઓ. ભગવાન તેમના આત્માને શાંતી આપે.

2 દિવસની મુસાફરી પછી એક દિવસનો વિરામ

રાહુલ ગાંધીએ 10 જાન્યુઆરીથી પંજાબમાં ભારત જોડો યાત્રાની શરૂઆત કરી છે. પ્રથમ દિવસે ફતેહગઢ સાહેબથી લુધિયાણાના ખન્ના સુધીની યાત્રા કરી હતી. બીજા દિવસે સમરાલાથી શરૂ થયેલી યાત્રા સમરાલા ચોક ખાતે જાહેરસભા સાથે સમાપ્ત થઈ હતી. આ દિવસે રાહુલ ગાંધી સાંજે ચાલ્યા ન હતા અને ત્યાંથી દિલ્હી જવા રવાના થયા હતા. લોહરીના કારણે 13 જાન્યુઆરીએ યાત્રા નીકળી ન હતી. હવે રાહુલ આવતીકાલે ફરી પંજાબ આવશે અને યાત્રા કાઢશે.

પંજાબમાં રાહુલ ગાંધીને સૌથી વધારે સિક્યોરિટી

પંજાબમાં રાહુલ ગાંધીને સૌથી વધારે પોલીસ સિક્યોરિટી આપવામાં આવી છે. રાહુલ ગાંધીની ચારે બાજુ પોલીસનો ઘેરો બનેલો છે. રાહુલ ગાંધીને ત્રી લેયર સિક્યોરિટી આપવામાં આવી રહી છે. જ્યારે આ પહેલા હરિયાણામાં ભારત જોડો યાત્રામાં તેમની ચારે બાજુ સાથે ચાલી રહેલા યાત્રીઓ હતા. તેના કારણે જ રાહુલ ગાંધી પંજાબમાં 350 KMની યાત્રાનો અડધો સફર કારમાં કરશે, તેનું કારણ છે કે ખાલિસ્તાની સંગઠનોએ આપેલા ચેતાવણીનો સુરક્ષા એજન્સીઓને ઈનપુટ મળ્યો છે. શિખ ફોર જસ્ટિસ(SFJ)ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ ધણીવાર રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા રોકવા માટે ચેતાવણી આપી ચુક્યો છે.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">