કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુની(Navjot Singh Siddhu) પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂંક થઈ ત્યારથી કોંગ્રેસમાં અંદરોઅંદર ઝઘડા વધવા લાગ્યા અને તે વધતા ગયા. એક બાજુ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ(Punjab CM Captain Amrindar Singh)હતા અને બીજી બાજુ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધુ છે. રાજકીય વિશ્લેષકોના મતે આ ઝઘડાને મહત્વાકાંક્ષાની લડાઈ તરીકે વર્ણવવામાં આવી રહી છે.
વિધાનસભાની ચૂંટણીના બરાબર છ મહિના પહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ, કેપ્ટન વિરુદ્ધ બળવાનું નેતૃત્વ કરતા જોવા મળે છે. કોંગ્રેસના ઘણા ધારાસભ્યોએ પાર્ટીના ટોચના નેતૃત્વને પત્ર લખીને કેપ્ટનને હટાવવાની માંગ કરી છે. તે જ સમયે ઘણા ધારાસભ્યો અને નેતાઓનું જૂથ કેપ્ટનની તરફેણમાં ઉભા છે. શનિવારે સાંજે કોંગ્રેસ ભવન ખાતે વિધાનસભા પક્ષની બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં કેપ્ટન અમરિંદર સિંહે (Punjab CM Captain Amrindar Singh) જવાની ના પાડી દીધી છે.
અનુમાન ગમે તે હોય પરંતુ રાજકીય વિશ્લેષકો માને છે કે પંજાબમાં કોંગ્રેસને જીવ આપનાર ‘કેપ્ટન’ને હળવાશથી ન લેવા જોઈએ. નવજોત સિંહ સિદ્ધુ ભલે બળવાખોર વલણ માટે જાણીતા હોય, પરંતુ કેપ્ટનનો રાજકારણમાં મોટો આધાર છે.
કેપ્ટન અમરિંદર સિંહની ગણતરી કોંગ્રેસના સૌથી મજબૂત પ્રાદેશિક નેતાઓમાં કરવામાં આવી છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેમના નેતૃત્વમાં જ પાર્ટીએ 117માંથી 77 બેઠકો જીતી અને 10 વર્ષ પછી કોંગ્રેસ (Congress)ને પુન:જીવિત કરી. પછી પાર્ટીએ માત્ર શિરોમણી અકાલી દળને જ હરાવ્યો ન હતો પણ આમ આદમી પાર્ટીના સપનાઓને પણ ચકનાચૂર કરી દીધા હતા.
સીએમ અમરિંદર સિંહ (CM Amarinder Singh) પટિયાલાના સ્વર્ગસ્થ મહારાજા યાદવિંદર સિંહના પુત્ર છે. જુલાઈ 1959માં લોરેન્સ સ્કૂલ સનાવર અને દેહરાદૂનની દૂન સ્કૂલમાંથી પોતાનું સ્કુલિંગ પૂરું કર્યા પછી તેમણે એનડીએ એટલે કે નેશનલ ડિફેન્સ એકેડમીમાં પ્રવેશ મેળવ્યો.
ડિસેમ્બર 1963માં ત્યાંથી સ્નાતક થયા અને પછી 1963માં ભારતીય સેનામાં જોડાયા. તે 2જી બટાલિયન શીખ રેજિમેન્ટમાં તૈનાત હતા, જેમાં તેના પિતા અને દાદાએ સેવા આપી હતી. રાજકીય વિશ્લેષકો માને છે કે કેપ્ટન, જે લશ્કરી પૃષ્ઠભૂમિમાંથી આવે છે, તે એટલી ઝડપથી હાર માનનાર નથી.
અમરિંદરે બે વર્ષ સુધી ફિલ્ડ એરિયા-ઈન્ડો-તિબેટીયન બોર્ડર પર સેવા આપી છે. જોકે સેનામાં તેમની કારકિર્દી ટૂંકી હતી. તેમણે પિતાની ઈટલી (Italy)માં રાજદૂત તરીકે નિમણૂક કર્યા પછી 1965ની શરૂઆતમાં સૈન્યમાંથી રાજીનામું આપ્યું કારણ કે તેમને ઘરે જરૂર હતી. જો કે, પાકિસ્તાન (Pakistan)સાથે યુદ્ધ ફાટી નીકળ્યા પછી તરત જ તે ફરીથી સેનામાં જોડાયા અને યુદ્ધ મિશનમાં ભાગ લીધો. યુદ્ધ સમાપ્ત થયા બાદ તેમણે 1966ની શરૂઆતમાં ફરી રાજીનામું આપ્યું.
તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત જાન્યુઆરી 1980માં સાંસદ તરીકે થઈ હતી. સ્વાભિમાની સ્વભાવ ધરાવતા અમરિંદર 1984માં ‘ઓપરેશન બ્લુ સ્ટાર’ (Operation Blue Star) દરમિયાન સુવર્ણ મંદિરમાં સેનાના પ્રવેશથી દુખી થયા હતા. તેમણે વિરોધમાં લોકસભા સભ્યપદ અને કોંગ્રેસ પાર્ટી (Congress Party) બંનેમાંથી રાજીનામું આપ્યું.
તેઓ ઓગસ્ટ 1985માં અકાલી દળમાં જોડાયા અને ત્યારબાદ 1995ની ચૂંટણીમાં લોંગોવાલના ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેઓ સુરજીત સિંહ બરનાલાની સરકારમાં કૃષિ મંત્રી પણ હતા. બાદમાં તેમણે પંથિક અકાલી દળની રચના કરી, જે 1997માં કોંગ્રેસમાં ભળી ગઈ. જોકે, 1998માં તેઓ કોંગ્રેસની ટિકિટ પર પટિયાલાથી સંસદીય ચૂંટણી(Parliamentary elections)હારી ગયા હતા.
1999થી 2002 સુધી તે કોંગ્રેસના પંજાબ એકમના ચીફ હતા. 2002માં પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી (Assembly elections)જીતી અને તેઓ 2002થી 2007 સુધી મુખ્યમંત્રી (CM) રહ્યા. જમીન ટ્રાન્સફર કેસમાં કથિત અનિયમિતતા માટે સપ્ટેમ્બર 2008માં તેમને બરતરફ કરવામાં આવ્યા હતા. જોકે, 2010માં સુપ્રીમ કોર્ટે તેમને રાહત આપતા તેમની હકાલપટ્ટી ગેરબંધારણીય જાહેર કરી હતી.
ત્યારબાદ વર્ષ 2013 સુધી તેઓ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા. 2014માં મોદી લહેર હોવા છતાં તેમણે લોકસભા ચૂંટણીમાં અમૃતસર બેઠક પરથી ભાજપ (BJP)ના નેતા અરુણ જેટલીને એક લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. 2017માં પાર્ટીએ તેમના નેતૃત્વમાં ચૂંટણી લડી હતી અને ત્યારથી તેઓ મુખ્યમંત્રી રહ્યા છે. તેમના યુદ્ધ સંસ્મરણો ઉપરાંત, તેમણે ઘણા પુસ્તકો પણ લખ્યા છે.
આ પણ વાંચો : Punjab CM Captain Amarinder Singh : પંજાબના CM પદેથી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામુ આપ્યુ