punjab CM: પંજાબના મુખ્યમંત્રી ચન્ની પીએમ મોદીને મળશે, PM મોદી સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરશે

|

Oct 01, 2021 | 1:12 PM

કેન્દ્ર સરકારે ગુરુવારે પંજાબ અને હરિયાણામાં ખરીફ ડાંગરની ખરીદી 11 ઓક્ટોબર સુધી મુલતવી રાખી હતી કારણ કે, તાજેતરના ભારે વરસાદને કારણે પાક પાકવામાં વિલંબ થયો છે.

punjab CM: પંજાબના મુખ્યમંત્રી ચન્ની પીએમ મોદીને મળશે, PM મોદી સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરશે
punjab CM

Follow us on

punjab CM:પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi)આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્લી જઈ રહ્યા છે. પીએમ મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત બાદ ચન્ની કેટલાક કોંગ્રેસ નેતાઓને પણ મળી શકે છે.

1 ઓક્ટોબરથી રાજ્યમાં ડાંગરની ખરીદી (Paddy Procurement) સ્થગિત કરવાના નિર્ણય પર ચન્ની પીએમને પોતાનો પત્ર પાછો ખેંચવાની અપીલ કરે તેવી અપેક્ષા છે. પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ પીએમ મોદી સાથે ચન્નીની આ પ્રથમ મુલાકાત હશે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

 

અમરિંદર સિંહ બાદ પંજાબની કમાન સંભાળનાર નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની(Charanjit Singh Channi) આ બેઠકમાં ડાંગરની ખરીદી 10 દિવસ માટે સ્થગિત કરવાનો કેન્દ્ર સરકાર(Central Government) નો નિર્ણય લઈ શકે છે. જણાવી દઈએ કે ડાંગરની ખરીદી શુક્રવારથી શરૂ થવાની હતી. પંજાબ સરકારના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી ચન્ની વડાપ્રધાન મોદીને મળશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ચન્ની, મોદી સાથેની તેમની મુલાકાતમાં રાજ્યમાં તાત્કાલિક ડાંગરની ખરીદી શરૂ કરવા માટે કેન્દ્રને અપીલ કરી શકે છે.

ચન્નીએ પીએમ મોદી પાસેથી હસ્તક્ષેપની માંગ કરી હતી

પંજાબના મુખ્યમંત્રીએ ગુરુવારે કેન્દ્રને રાજ્યમાં ડાંગર ખરીદી (Paddy Procurement)1 ઓક્ટોબરથી સ્થગિત કરવાનો પત્ર પાછો ખેંચવા વિનંતી કરી હતી. ડાંગરની ખરીદી સામાન્ય રીતે 1 ઓક્ટોબરથી શરૂ થાય છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, ચન્ની(Charanjit Singh Channi) એ સંબંધિત મંત્રાલયને તેમનો પત્ર તાત્કાલિક પાછો ખેંચવાની સલાહ આપવા માટે વડાપ્રધાનના અંગત હસ્તક્ષેપની માંગ કરી હતી.

કેન્દ્રએ ગુરુવારે પંજાબ અને હરિયાણામાં ખરીફ ડાંગરની ખરીદી 11 ઓક્ટોબર સુધી મુલતવી રાખી હતી કારણ કે તાજેતરના ભારે વરસાદને કારણે પાકની પાકતી મુદત વિલંબિત થઈ છે. પાકની ખરીદી ભારતીય ફૂડ કોર્પોરેશન (India Food Corporation), કેન્દ્ર સરકારની નોડલ એજન્સી તેમજ રાજ્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે. દરમિયાન, સૂત્રોએ જણાવ્યું હતું કે પક્ષના પંજાબ એકમમાં ચાલી રહેલા હંગામા દરમિયાન ચન્ની કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને પણ મળે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Ordnance Factory Board dissolved: દારૂગોળો બનાવનાર 200 વર્ષ જૂનું ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ સમાપ્ત થયું, તેમાં કામ કરતા 70000 કર્મચારીઓનું શું થશે?

Next Article