Gujarati NewsNationalPulwama terror attack pm modi reacts with anger on crpf jawan dead
દેશની એક જ હુંકાર, ‘પુલવામાના જવાનોનું લોહી વ્યર્થ નહીં જાય, એક એક ટીપાનો જોરદાર બદલો લેવામાં આવશે’
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આજે બપોરે મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 30થી વધુ જવાનો શહીદ થયા છે. જેના પર કેન્દ્રીય મંત્રીઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, દેશના શહીદોનું જવાન વ્યર્થ નહીં જાય. દેશના જવાનોના પરિવાર સાથે દેશ ઊભો છે. Attack on CRPF personnel in Pulwama is despicable.I […]
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આજે બપોરે મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 30થી વધુ જવાનો શહીદ થયા છે. જેના પર કેન્દ્રીય મંત્રીઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, દેશના શહીદોનું જવાન વ્યર્થ નહીં જાય. દેશના જવાનોના પરિવાર સાથે દેશ ઊભો છે.
Attack on CRPF personnel in Pulwama is despicable.I strongly condemn this dastardly attack. Sacrifices of our brave security personnel shall not go in vain.The entire nation stands shoulder to shoulder with the families of the brave martyrs.May the injured recover quickly:PM Modi pic.twitter.com/poAoEtqeiO
કેન્દ્રીય રાજ્ય મંત્રી અને પૂર્વ સેનાધ્યક્ષ વીકે સિંહે હુંકાર કર્યો છે કે શહીદ જવાનોના લોહીના એક એક ટીપાનો જોરદાર બદલો લેવામાં આવશે. તો કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે. વી કે સિંહે આ હુમલાની આકરી નિંદા પણ કરી હતી. હુમલા બાદ બાદ ભારતના અનેક રાજકીય પક્ષો પ્રતિક્રિયા આપી છે
National Security Advisor Ajit Doval is monitoring the situation in Kashmir post #PulwamaAttack, Senior CRPF officials are briefing him on the situation. pic.twitter.com/X3ns5ANrRw
કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ પણ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, આતંકવાદીઓને હુમલાનો આકરો જવાબ આપવામાં આવશે. જેટલીએ વધુમાં ઉમેર્યું હતું કે, એવો જવાબ આપવામાં આવશે કે તેઓ યાદ રાખશે.
Arun Jaitley: Attack on CRPF in #Pulwama, J&K is cowardice & condemnable act of terrorists. Nation salutes martyrs&we stand united with families of martyrs. We pray for speedy recovery of the injured. Terrorists will be given unforgettable lesson for their heinous act. (file pic) pic.twitter.com/xUFwadupxT
આ મામલે કેન્દ્રીય રાજ્ય મંત્રી અને પૂર્વ સેનાધ્યક્ષ વીકે સિંહે કહ્યું છે કે, શહીદ જવાનોના એક એક ટીપાનો આકરો બદલો લેવામાં આવશે. જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે દિલ્હી ખાતે મીટિંગ કરી રહ્યા છે અને તેના પર નજર રાખી રહ્યા છે.
આ સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે શહીદ પરિવારો માટે દુ:ખ વ્યક્ત કર્યું છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ CRPFના DG આર આર ભટનાગર સાથે પુલવામા હુમલા બાદ વાત કરી હતી અને સમગ્ર ઘટનાનો માહિતી મેળવી હતી.