જો આ એક નિયમમાં નરમાશ ન રખાઈ હોત તો કદાચ આપણા 40 જવાનોને આપણે બચાવી શક્યા હોત

|

Feb 17, 2019 | 8:36 AM

પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં 40 જેટવા જવાનો શહીદ થયા બાદ એ કારણો જાણવાના પ્રયાસો થઈ રહ્યાં છે કે આખરે ચૂક ક્યાં રહી ગઈ.  શું તમને ખબર છે કે એક એવો નિયમ કે જેમાં જો ઢીલાશ ન વરતાઈ હોત તો કદાચ આવા ભયાનક હુમલામાં આપણા જવાનોએ પોતાના પ્રાણની કુરબાની ન આપવી પડી હોત. વર્ષ 2002-03 પહેલા […]

જો આ એક નિયમમાં નરમાશ ન રખાઈ હોત તો કદાચ આપણા 40 જવાનોને આપણે બચાવી શક્યા હોત

Follow us on

પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં 40 જેટવા જવાનો શહીદ થયા બાદ એ કારણો જાણવાના પ્રયાસો થઈ રહ્યાં છે કે આખરે ચૂક ક્યાં રહી ગઈ. 

શું તમને ખબર છે કે એક એવો નિયમ કે જેમાં જો ઢીલાશ ન વરતાઈ હોત તો કદાચ આવા ભયાનક હુમલામાં આપણા જવાનોએ પોતાના પ્રાણની કુરબાની ન આપવી પડી હોત.

વર્ષ 2002-03 પહેલા જવાનોના કાફલાને સઘન સુરક્ષા વચ્ચે લઈ જવાતો હતો પરંતુ 2002-2005 વચ્ચે મુફ્તી મોહમ્મદ સઈદની સરકાર દરમિયાન આ નિયમોમાં ઢીલાશ આપવામાં આવીને કારણ કે તેના કારણે સામાન્ય લોકોને અસુવિધા થઈ રહી હતી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

પહેલા જ્યારે પણ સુરક્ષાબળના કાફલાને હાઈવેથી પસાર થવાનું રહેતું, ત્યારે સિવિલિયન ટ્રાફિકને રોકી દેવાતો. આ દરમિયાન એક પાયલક વેહિકલ સિવિલિયન ગાડીઓને હાઈવેથી દૂર રાખવાનું કામ કરતું. તેનાથી લોકોને અસુવિધા થતી હતી અને સુરક્ષાબળોની ખરાબ છબી લોકો સામે રજૂ થતી.

સઈદ સરકારે એક નિર્ણય કર્યો કે આ નિયમને ખતમ કરી દેવાય. કેન્દ્ર સરકારે પણ સઈદના તર્કને સાચ્ચો માન્યો અને સુરક્ષા નિયમમાં નરમાશ લાવવામાં આવી.

જોકે, તેની સાથે સુરક્ષામાં પણ અન્ય બદલાવ કરવામાં આવ્યા. હવે સિવિલયન ગાડીઓ સુરક્ષાબળની ગાડીઓ સાથે નીકળતી હતી, પરંતુ સમગ્ર રસ્તા પર સુરક્ષાબળ હાજર રહેતું. સેના આતંકીઓને રોકવા માટે વધુ સતર્ક રહેવા લાગી. જોકે, જાણકારોનું માનવું છે કે આખા રસ્તાની ભલે તપાસ કરાતી હોય, પરંતુ જો દરેક ગાડીની તપાસ કરવામાં આવતી ત્યારે કોઈ ગાડીમાં વિસ્ફોટક હોવાની જાણકારી તરત મળી જતી.

જમ્મૂ કાશ્મીરના પૂર્વ ડીજીપી અને ગૃહ મંત્રાલયના સલાહકાર અશોદ પ્રસાદનું કહેવું છે કે હવે માત્ર એક જ ઉપાય છે કે પહેલાની જેમ કાફલાને રસ્તા દરમિયાન સઘન સુરક્ષા વચ્ચે રાખવામાં આવે. તેના માટે જ્યાં સુધી સેનાનો કાફલો નીકળે ત્યાં સુધી સિવિલિયનની ગાડીઓને રસ્તાથી દૂર રાખવી પડશે.

સાથે જ તેમણે અમ પણ કહ્યું કે BSF અને CRPF માટે સ્વતંત્ર વાયુ સેવા હોવી જોઈએ જેનાથી તેમને જરૂર પડ્યે એરલિફ્ટ કરી શકાય.

[yop_poll id=1477]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 7:38 am, Sat, 16 February 19

Next Article