પ્રિયંકા ચોપરા વિરૂદ્ધ UNICEFમાં ફરિયાદ દાખલ કરવા પર પાકિસ્તાનને તગડો ઝડકો, UNICEFએ આપ્યો આ જવાબ
પ્રિયંકા ચોપરાને UN Goodwill Ambassador For Peaceના પદથી હટાવવાના ઓનલાઈન અભિયાનને લઈને યૂનિસેફનો જે જવાબ આવ્યો છે. તેનાથી પાકિસ્તાનને મોટો ઝટકો લાગી શકે છે. યુનિસેફે કહ્યું કે કોઈ પણ Goodwill Ambassador વ્યક્તિગત રીતે શું બોલે છે, તેનાથી તેમને કોઈ લેવા દેવા નથી. યુનિસેફના સેક્રેટરી જનરલ Antonio Guterresના પ્રવક્તા સ્ટીફન ડુબારિકે પ્રિયંકા ચોપરાથી જોડાયેલા પ્રશ્ન પર […]
પ્રિયંકા ચોપરાને UN Goodwill Ambassador For Peaceના પદથી હટાવવાના ઓનલાઈન અભિયાનને લઈને યૂનિસેફનો જે જવાબ આવ્યો છે. તેનાથી પાકિસ્તાનને મોટો ઝટકો લાગી શકે છે. યુનિસેફે કહ્યું કે કોઈ પણ Goodwill Ambassador વ્યક્તિગત રીતે શું બોલે છે, તેનાથી તેમને કોઈ લેવા દેવા નથી.
યુનિસેફના સેક્રેટરી જનરલ Antonio Guterresના પ્રવક્તા સ્ટીફન ડુબારિકે પ્રિયંકા ચોપરાથી જોડાયેલા પ્રશ્ન પર કહ્યું કે જ્યારે યૂનિસેફના ગુડવિલ એમ્બેસેડર ખાનગી વિચાર રાખે છે તો તેમને આવા મુદ્દે બોલવાનો અધિકાર છે. જે તેમને પ્રભાવિત કરે છે. તેમના ખાનગી વિચાર યુનિસેફને પ્રદર્શિત કરતા નથી પણ જ્યારે તે યુનિસેફ તરફથી વાત કરે છે તો અમે વિશ્વાસ રાખીએ છે કે તે યૂનિસેફની પક્ષપાત રહિત અને પ્રામાણિક પોઝિશનનું ધ્યાન રાખે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
યુનિસેફ ગુડવિલ એમ્બેસેડરની ભૂમિકાઓમાં તેમને કહ્યું કે યુનિસેફ ગુડવિલ એમ્બેસેડર ઘણા ખાસ વ્યક્તિઓ હોય છે. જે બાળકોના અધિકારોને પ્રમોટ કરવા માટે તેમનો સમય અને સ્વેચ્છાએ જાહેર છબીને સમર્પિત કરે છે. ઉલ્લેખનીય છે કે બાલાકોટ એરસ્ટ્રાઈક વખતે પ્રિયંકા ચોપરાએ ભારતીય સેનાનો ઉલ્લેખ કરતા પોતાના ટ્વિટર પર જય હિન્દ લખ્યું હતું.
ત્યારે પ્રિયંકાના આ ટ્વિટના આધાર પર તેમને ગુડવિલ એમ્બેસેડર પદથી હટાવવા માટે પાકિસ્તાન તરફથી ઓનલાઈન પિટીશન સાઈન કરાવવામાં આવી રહી છે. ત્યારે પાકિસ્તાનના માનવાધિકાર મંત્રી શિરીન મઝારીએ UNને પત્ર મોકલીને પ્રિયંકા ચોપરાને યુદ્ધ સર્મથક ગણાવીને UN Goodwill Ambassador For Peace પદ પરથી હટાવવાની માંગ કરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[yop_poll id=”1″]
શિરીનના આ પત્ર પછી ભારતીય યુઝર્સે તેમને ટ્રોલ કર્યા અને ઝડબાતોડ જવાબ આપ્યો હતો. એક યુઝર્સે લખ્યું કે યુ.એનમાં પાકિસ્તાનની પ્રતિષ્ઠા શું છે, તે બધાને ખબર છે. આ પત્ર પાકિસ્તાનની હતાશા અને નિરાશા બતાવે છે. એક અન્ય યુઝર્સે લખ્યું કે તેનાથી ખબર પડે છે તમે અને તમારી સરકાર ભારતના આંતરિક મામલાથી કેટલા હચમચી ગયા છો. તમારે તમારા માનવાધિકારની તપાસ કરવી જોઈએ. આનાથી તમને વધુ ફાયદો થશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]