જેલમાં બંધ કેદી ચૂંટણી લડી શકે પણ મતદાન નથી કરી શકતો, જાણો આવું કેમ ?
જેલમાં બંધ રહેલ કેદી ચૂંટણી લડી શકે છે પરંતુ ચૂંટણીમાં મતદાન નથી કરી શકતા. આવુ કેમ ? લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈઓ ઘડવામાં આવી છે. તેમા આવી અનેક બાબતોનો ઉલ્લેખ છે. આ લેખ દ્વારા આપણે એ જાણીશુ કે, કેમ જેલમાં કે પોલીસ કસ્ટડીમાં રહેલ આરોપી ચૂંટણીમાં મતદાન નથી કરી શકતો.
લોકસભાની ચૂંટણીના સાત પૈકી પાંચમા તબક્કા માટે હાલમાં ઉમેદવારી પત્રો ભરાઈ રહ્યા છે. અત્યાર સુધીમા ચૂંટણીના બે તબક્કા પૂર્ણ થઈ ચૂક્યા છે. 94 બેઠકો માટેની ત્રીજા તબક્કાની ચૂંટણી આગામી 7મી મેના રોજ યોજાશે. ત્યારે સૌ કોઈ એક વાત જાણવા માગતુ હશે કે, જેલમાં બંધ રહેલ કેદી ચૂંટણી લડી શકે છે પરંતુ ચૂંટણીમાં મતદાન નથી કરી શકતા. આવુ કેમ ? લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈઓ ઘડવામાં આવી છે. તેમા આવી અનેક બાબતોનો ઉલ્લેખ છે. આ લેખ દ્વારા આપણે એ જાણીશુ કે, કેમ જેલમાં કે પોલીસ કસ્ટડીમાં રહેલ આરોપી ચૂંટણીમાં મતદાન નથી કરી શકતો.
આરોપી દોષિત પુરવાર થાય તો ચૂંટણી ના લડી શકે
લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8 મુજબ, જે વ્યક્તિ, કોઈ ગુના માટે દોષિત ઠરેલ હોય અને તેને બે વર્ષ કે તેથી વર્ષથી જેલની સજા ફટકારાયેલ હોય, તો તેઓ સંસદ અને રાજ્ય વિધાનસભાના સભ્યપદ માટે અયોગ્ય છે ? લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8(3) માં કહેવાયું છે, “કોઈપણ ગુના માટે દોષિત ઠરેલા હોય અને બે વર્ષથી ઓછી ના હોય તેવી જેલની સજા પામેલ વ્યક્તિ સજાની તારીખથી ગેરલાયક ઠરે છે અને મુક્તિના છ વર્ષ સુધી ગેરલાયક ઠરે છે, પરંતુ આ કાયદો અન્ડરટ્રાયલ કેદીઓને ચૂંટણી લડતા અટકાવતો નથી.
જો દોષિત સાબિત ના થયા હોવ તો ચૂંટણી લડી શકે ?
સાંસદ, ધારાસભ્યને દોષિત સાબિત થયા પછી જ ગેરલાયક ઠેરવી શકાય છે. એટલે કે આ નિયમ એવા વ્યક્તિ પર લાગુ થતો નથી કે જે માત્ર આરોપસર જેલમાં હોય. જે વ્યક્તિ જેલમાં હોય અને તેની સામે ટ્રાયલ ચાલી રહી હોય અને દોષિત સાબિત ના થયો હોય તો તે વ્યક્તિ ચૂંટણી લડી શકે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં લોક પ્રતિનિધિત્વ અધિનિયમની આ કલમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. 2011 માં, પબ્લિક ઈન્ટરેસ્ટ ફાઉન્ડેશને એક અરજી દાખલ કરી દલીલ કરી હતી કે, જે વ્યક્તિઓ વિરુદ્ધ ગુનાહિત આરોપો દાખલ કરવામાં આવ્યા છે અથવા જેઓ તેમના ગુનાહિત ઈતિહાસ અંગે ખોટા સોગંદનામા દાખલ કરે છે તેમને પણ ગેરલાયક ઠેરવવા જોઈએ. જો કે, સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચે સર્વસંમતિથી જણાવ્યું હતું કે માત્ર વિધાનસભા જ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 માં ફેરફાર કરી શકે છે, તે કોર્ટના હાથમાં નથી. બીજેપી નેતા અશ્વિની ઉપાધ્યાયે પણ કોર્ટમાં આવી જ એક અરજી દાખલ કરી હતી, જેનો કેસ હજુ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે.
કેદી મત કેમ ના આપી શકે?
લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 (5) જણાવે છે કે જો વ્યક્તિ કોઈપણ જેલમાં કેદ હોય અથવા પોલીસની કાયદેસરની કસ્ટડીમાં હોય તો તે મતદાન કરી શકતી નથી. તેનો અર્થ એ કે જેલમાં અંડર ટ્રાયલ કેદી પણ જ્યાં સુધી જામીન પર મુક્ત ના થાય ત્યાં સુધી મતદાન કરી શકે નહીં.
આ નિયમને 1997માં સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, આનાથી એવા લોકોનો મત આપવાનો અધિકાર છીનવાઈ રહ્યો છે જેઓ પૈસાના અભાવે જામીન મેળવી શકતા નથી. જ્યારે જામીન પર બહાર હોય તેવા લોકો મતદાન કરી શકે છે.