Bengaluru: વડાપ્રધાન મોદીએ અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો, કહ્યું- હવે ભારતીય રેલવેમાં એરપોર્ટ જેવી સુવિધા

|

Jun 20, 2022 | 7:32 PM

આજે 27 હજાર કરોડ રૂપિયાના ઉદ્ઘાટન અને શિલાન્યાસ થઈ રહ્યા છે. કર્ણાટકમાં 5 નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સ, 7 રેલવે પ્રોજેક્ટ્સનો (Railway Projects) શિલાન્યાસ કરવામાં આવ્યો છે.

Bengaluru: વડાપ્રધાન મોદીએ અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો, કહ્યું- હવે ભારતીય રેલવેમાં એરપોર્ટ જેવી સુવિધા
PM Narendra Modi
Image Credit source: File Image

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) સોમવારે કર્ણાટકના બેંગલુરુમાં (Bengaluru) અનેક રેલ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પ્રસંગે તેમની સાથે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ પણ હાજર હતા. અહીં પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે આજે 27,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી Ease of Living અને Ease of Doing Business બંનેને ફાયદો થશે. તેમણે કહ્યું, ડબલ એન્જિન સરકારે તમને કર્ણાટકના ઝડપી વિકાસનું આશ્વાસન આપ્યું છે. આજે આપણે બધા ફરી એકવાર એ વિશ્વાસના સાક્ષી છીએ.

આજે 27 હજાર કરોડ રૂપિયાના ઉદ્ઘાટન અને શિલાન્યાસ થઈ રહ્યા છે. કર્ણાટકમાં 5 નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સ, 7 રેલવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. જ્યારે અમે કોંકણ રેલ્વેના 100 ટકા વિદ્યુતીકરણના એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાક્ષી બન્યા છીએ. પીએમ મોદીએ કહ્યું, આ તમામ પ્રોજેક્ટ કર્ણાટકના યુવાનો, મધ્યમ વર્ગ, ખેડૂતો, કામદારો, ઉદ્યોગસાહસિકોને નવી સુવિધાઓ અને તકો આપશે.

16 વર્ષથી પ્રોજેક્ટ્સ ફાઈલોમાં અટવાયેલા રહ્યા

વડાપ્રધાને કહ્યું, તમને જાણીને નવાઈ લાગશે કે 16 વર્ષ સુધી આ પ્રોજેક્ટ્સ ફાઈલોમાં અટવાયેલા રહ્યા. મને ખુશી છે કે ડબલ એન્જિનની સરકાર કર્ણાટક અને બેંગલુરુના લોકોના દરેક સપનાને સાકાર કરવા માટે સખત મહેનત કરી રહી છે. તેમણે કહ્યું, બેંગલુરુને જામથી મુક્ત કરવા માટે રેલ, રોડ, મેટ્રો, અંડરપાસ, ફ્લાયઓવર પર ડબલ એન્જિન સરકાર કામ કરી રહી છે. અમારી સરકાર બેંગલુરુના ઉપનગરીય વિસ્તારોને સારી કનેક્ટિવિટી સાથે જોડવા માટે પ્રતિબદ્ધ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

હવે ભારતીય રેલ્વેમાં એરપોર્ટ જેવી સુવિધા – પીએમ

પીએમએ કહ્યું, ભારતીય રેલ્વે હવે તે સુવિધાઓ અને વાતાવરણ આપવાનો પ્રયાસ કરી રહી છે, જે એક સમયે માત્ર એરપોર્ટ અને હવાઈ મુસાફરીમાં જ મળતી હતી. ભારત રત્ન સર એમ. વિશ્વેશ્વરાયના નામ પર બેંગલુરુમાં આધુનિક રેલ્વે સ્ટેશનનું નામકરણ પણ તેનો સીધો પુરાવો છે. તેમણે કહ્યું, બેંગલુરુ દેશના યુવાનોનું સ્વપ્ન શહેર છે અને તેની પાછળ ઉદ્યોગસાહસિકતા, નવીનતા છે.

બેંગલુરુનો વિકાસ કરોડો સપનાનો વિકાસ – પીએમ

પીએમ મોદીએ કહ્યું, છેલ્લા દાયકાઓમાં દેશમાં કેટલા અબજ ડોલરની કંપનીઓ બની છે, તમે આંગળીઓ પર ગણી શકો છો. પરંતુ છેલ્લા 8 વર્ષમાં 100 બિલિયન ડોલરથી વધુની કંપનીઓ બની છે, જેમાં દર મહિને નવી કંપનીઓ ઉમેરવામાં આવી રહી છે. અમે રેલને દેશના તે ભાગોમાં લઈ ગયા છે જ્યાં તેના વિશે વિચારવું પણ મુશ્કેલ હતું. બેંગલુરુનો વિકાસ કરોડો સપનાનો વિકાસ છે. તેથી, છેલ્લા 8 વર્ષોમાં કેન્દ્ર સરકાર દ્વારા બેંગલુરુનો વધુ વિકાસ કરવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Published On - 5:11 pm, Mon, 20 June 22

Next Article