Presidential Election 2022 : દ્રૌપદી મુર્મુ કે યશવંત સિંહા ! રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન સમાપ્ત, 21 જુલાઈએ દેશને નવા રાષ્ટ્રપતિ મળશે, વાંચો 10 મોટા અપડેટ્સ

|

Jul 18, 2022 | 7:45 PM

દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Election 2022) માટે આજે મતદાન થયું. જ્યારે દ્રૌપદી મુર્મુ એનડીએ તરફથી મેદાનમાં ઉતર્યા છે, ત્યારે યશવંત સિંહા તેમની સાથે સ્પર્ધા કરવા વિપક્ષ તરફથી મેદાનમાં છે.

Presidential Election 2022 : દ્રૌપદી મુર્મુ કે યશવંત સિંહા ! રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન સમાપ્ત, 21 જુલાઈએ દેશને નવા રાષ્ટ્રપતિ મળશે, વાંચો 10 મોટા અપડેટ્સ
Presidential Election 2022

Follow us on

દેશની 15મી રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Election 2022) માટે આજે મતદાન થયું. જ્યારે દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu)એનડીએ (NDA) તરફથી મેદાનમાં ઉતર્યા છે, ત્યારે યશવંત સિંહા (Yashwant Sinha)તેમને લડત આપવા માટે વિપક્ષ તરફથી મેદાનમાં છે. ચૂંટણીની મતગણતરી હવે 21મી જુલાઈએ થશે. આજે લગભગ 4800 સાંસદો અને ધારાસભ્યોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન, દેશભરમાં વિવિધ સ્થળોએ વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે મતદાન કરનારાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પૂર્વ પીએમ મનમોહન સિંહનો સમાવેશ થાય છે. આવો નજર કરીએ રાષ્ટ્રપતિ ચૂંટણી સાથે જોડાયેલા 10 મોટા અપડેટ્સ પર

1) રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થતાં જ, NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુના ઘર એવા ઉત્તરી ઓડિશાના નાનકડા શહેર રાયરંગપુરમાં ધ્યાન, પ્રાર્થના અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં ઉત્સવનો માહોલ છે અને તેના રહેવાસીઓ ટેલિવિઝન જોતા જોવા મળ્યા હતા. વિવિધ સમાચાર ચેનલોએ દેશના VVIP લોકો જેવા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ નવા રાષ્ટ્રપતિને ચૂંટવા માટે પોતાનો મત આપતા બતાવ્યા.

2) દેશના અગ્રણી નેતાઓએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની ભાગીદારી દર્શાવી હતી અને મતદાન કર્યું હતું. મતદાન કરનારાઓમાં પીએમ મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાનીનો સમાવેશ થાય છે. આ સિવાય રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુ, કોંગ્રેસ સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાએ પણ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કર્યું હતું.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

3) રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન એક આશ્ચર્યજનક ઘટના જોવા મળી હતી, જ્યાં સીતામઢીના ધારાસભ્ય મિથિલેશ કુમાર પોતાનો મત આપવા માટે સ્ટ્રેચર પર પડેલા વિધાનસભા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે તેઓ ભાજપના ગ્રાસરુટ કાર્યકર છે અને તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેમના મતાધિકારનું મહત્વ સમજે છે. આ સાથે તેમણે કહ્યું કે દેશ માટે લાખો જવાનોના બલિદાનની સામે તેમના અકસ્માતથી કોઈ ફરક પડતો નથી.

4) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ગુજરાતના ધારાસભ્ય કાંધલ જાડેજાએ સોમવારે કહ્યું કે તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની તરફેણમાં મત આપ્યો છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજકીય પક્ષો તેમના સાંસદો અને ધારાસભ્યો માટે વ્હીપ જારી કરી શકતા નથી. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અહીં વિધાનસભા સંકુલમાં મતદાન કર્યા બાદ જાડેજાએ એક વીડિયો નિવેદનમાં જણાવ્યું હતું કે, “મેં મારો મત ભાજપના ઉમેદવારની તરફેણમાં આપ્યો છે.” આ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતાઓએ ક્રોસ વોટિંગ કર્યું છે. આ સિવાય કોંગ્રેસ, સપા તરફથી ક્રોસ વોટિંગના સમાચાર પણ સામે આવ્યા છે.

5) બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવાની તક મળી ન હતી. વાસ્તવમાં નીતીશ કુમાર વોટ આપવા નથી આવ્યા કારણ કે તેમને વોટ આપવાનો અધિકાર નથી. મુખ્યમંત્રી નીતિશ કુમાર વિધાન પરિષદના સભ્ય છે, બિહાર વિધાનસભાના નહીં અને વિધાન પરિષદના સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર નથી.

6) તમિલનાડુમાં કોરોના વાયરસ સામે લડી રહેલા પૂર્વ ડેપ્યુટી સીએમ ઓ પનીરસેલ્વમ PPE કીટ પહેરીને વોટ આપવા પહોંચ્યા હતા. તે હજુ પણ કોવિડ પોઝીટીવ છે. પનીરસેલ્વમે ચેન્નાઈમાં રાજ્ય સચિવાલય ખાતે દેશની 15મી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનો મત આપ્યો. તેઓ રાજ્યમાં મતદાન કરનાર છેલ્લા ધારાસભ્યોમાંના એક હતા.

7) શિરોમણી અકાલી દળ (એસએડી)ના ધારાસભ્ય મનપ્રીત સિંહ અયાલીએ સોમવારે રાષ્ટ્રપતિની ચૂંટણીનો બહિષ્કાર કરતાં કહ્યું હતું કે પંજાબને લગતા ઘણા મુદ્દા હજુ પણ વણઉકેલ્યા છે અને એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાનો નિર્ણય લેતા પહેલા પાર્ટી નેતૃત્વએ તેમની સાથે સલાહ લીધી નથી. 117 સભ્યોની પંજાબ વિધાનસભામાં શિરોમણી અકાલી દળના ત્રણ ધારાસભ્યો છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનો મુકાબલો સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા સામે છે.

8) રાષ્ટ્રપતિની ચૂંટણી ઇલેક્ટોરલ કૉલેજના સભ્યો દ્વારા કરવામાં આવે છે, જેમાં સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિત તમામ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે. કુલ 4800 ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યો મતદાન કરવા પાત્ર છે. રાષ્ટ્રપતિની ચૂંટણી ઇલેક્ટોરલ કૉલેજના સભ્યો દ્વારા કરવામાં આવે છે, જેમાં સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિત તમામ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે.

9) રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હાએ સોમવારે કહ્યું કે આ ચૂંટણી દેશની દિશા એ અર્થમાં નક્કી કરશે કે લોકશાહી રહેશે કે નહીં. તેમણે સાંસદો અને ધારાસભ્યોને તેમના અંતરાત્માની વાત સાંભળવા અને તેમને સમર્થન આપવા પણ આહ્વાન કર્યું. તે જ સમયે, બીજેપી કાર્યકર્તાઓ અને આદિવાસી સમુદાયના લોકોએ રવિવારે ઓડિશામાં વિવિધ પૂજા સ્થાનો પર માટીના દીવા પ્રગટાવ્યા અને યજ્ઞોનું આયોજન કર્યું, એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને જીતની શુભેચ્છા પાઠવી.

10) રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત ગણતરી સંસદ ભવનમાં થાય છે. મતગણતરી 21 જુલાઈના રોજ થશે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ન હોવાને કારણે આ વખતે સાંસદોના વોટનું મૂલ્ય 708થી ઘટીને 700 પર આવી ગયું છે. દરેક રાજ્યોમાં ધારાસભ્યોના મતનું મૂલ્ય અલગ-અલગ હોય છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય અન્ય રાજ્યના ધારાસભ્ય કરતાં વધુ છે.

Next Article