આજે સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રને પ્રથમ સંબોધન

|

Aug 14, 2022 | 7:43 AM

રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મૂનું (President Draupadi Murmu) રાષ્ટ્રને પ્રથમ સંબોધન હશે. રાષ્ટ્રપતિનું સંબોધન સાંજે 7 વાગ્યાથી ઓલ ઈન્ડિયા રેડિયોના તમામ રાષ્ટ્રીય નેટવર્ક્સ તેમજ તમામ દૂરદર્શન ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે.

આજે સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રને પ્રથમ સંબોધન
President Draupadi Murmu (file photo)

Follow us on

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Draupadi Murmu) સ્વતંત્રતા દિવસની (Independence Day) પૂર્વ સંધ્યાએ રવિવારે રાષ્ટ્રને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રને આ તેમનું પ્રથમ સંબોધન હશે. રાષ્ટ્રપતિ ભવનના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું (President Draupadi Murmu) સંબોધન સાંજે 7 વાગ્યાથી ઓલ ઈન્ડિયા રેડિયોના તમામ રાષ્ટ્રીય નેટવર્ક્સ તેમજ તમામ દૂરદર્શન ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે. તે પહેલા હિન્દીમાં અને પછી અંગ્રેજીમાં પ્રસારિત થશે. એવું કહેવામાં આવ્યું છે કે દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં તેનું પ્રસારણ કર્યા પછી, તેને પ્રાદેશિક ચેનલો દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે.

પ્રાદેશિક ભાષામાં પણ પ્રસારિત કરાશે સંબોધન

ઓલ ઈન્ડિયા રેડિયો તેનું પ્રાદેશિક ભાષામાં રાત્રે 9.30 વાગ્યે તેમના સંબંધિત પ્રાદેશિક નેટવર્ક પર પ્રસારણ કરશે. જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ મુર્મૂ એ 25 જુલાઈએ દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તે સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળનાર પ્રથમ આદિવાસી મહિલા છે. ઉપરાંત, તેઓ એવા પ્રથમ રાષ્ટ્રપતિ છે, જે દેશની આઝાદી પછી જન્મ્યા હતા.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

પીએમ મોદી 15 ઓગસ્ટે સંબોધન કરશે

રાષ્ટ્રપતિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi ) 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે. ભારતની આઝાદીના 75માં વર્ષ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ લોકો ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. નોંધનીય છે કે પીએમ મોદીએ ગયા મહિને ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરી હતી. આ પહેલ પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને ‘જન ભાગીદારી’ની ભાવના સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવાનો છે. વડાપ્રધાને શનિવારે દેશના નાગરિકોને આગામી સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે હર ઘર તિરંગા વેબસાઇટ પર ત્રિરંગા સાથેની તસવીર શેર કરવા વિનંતી કરી હતી.

Next Article