Power Crisis: ગૃહમંત્રી અમિત શાહની દેશભરમાં ચાલી રહેલા વીજ સંકટને લઈને મહત્વની બેઠક, કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર

|

May 02, 2022 | 2:00 PM

હાલમાં કોલસાની અછતને કારણે દેશભરમાં વિજળીની ભારે કટોકટી છે, જે બાદ ગૃહમંત્રી અમિત શાહે મહત્વની બેઠક બોલાવી છે. જેમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓ હાજર છે. બેઠકમાં સામેલ મંત્રીઓમાં ઉર્જા મંત્રી આરકે સિંહ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કોલસા મંત્રી પ્રહલાદ સામેલ છે.

Power Crisis: ગૃહમંત્રી અમિત શાહની દેશભરમાં ચાલી રહેલા વીજ સંકટને લઈને મહત્વની બેઠક, કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર
Union Home Minister Amit Shah
Image Credit source: Image Credit Source: PTI

Follow us on

હાલમાં દેશભરમાં કોલસાની અછતને કારણે મોટા પાયા પર વિજળી સંકટ છે (Power Crisis), જે બાદ ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) મહત્વની બેઠક બોલાવી છે. તેમણે આ બેઠક તેમના નિવાસસ્થાને બોલાવી છે, જેમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓ હાજર છે. બેઠકમાં સામેલ મંત્રીઓમાં ઉર્જા મંત્રી આરકે સિંહ (Power minister RK Singh), રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કોલસા મંત્રી પ્રહલાદ સામેલ છે. આ પહેલા અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ રાજ્યમાં વધી રહેલા વીજ સંકટને લઈને વાતચીત કરી હતી. અહીં સીએમ યોગીએ અન્ય મંત્રીઓ સાથે પણ મુલાકાત કરી હતી.

દેશમાં વધતી જતી ગરમીને કારણે વીજળીની માંગમાં વધારો થયો છે. બીજી બાજુ, રુસ-યુક્રેન યુદ્ધને કારણે આયાતી કોલસાના ખર્ચને કારણે કેટલાક પાવર પ્લાન્ટના ઉત્પાદન પર ઇંધણની અછતને અસર થઈ છે. ઉત્પાદન ઘટવાના કારણે ઘણા રાજ્યોમાં પાવર કટ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ઔદ્યોગિક ગતિવિધિઓ સાથે સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું છે. કોલસાની અછતને કારણે દેશમાં વીજળીની કટોકટી વધી રહી છે ત્યારે પીક ટાઇમ દરમિયાન પાવરની અછત પણ વધી છે. ગયા અઠવાડિયે, જ્યાં સોમવારે પાવરની અછત 5.24 GW હતી, તે ગુરુવારે વધીને 10.77 GW થઈ ગઈ.

વીજળીની માંગ 215-220 GW સુધી પહોંચી શકે છે

નિષ્ણાતો કહે છે કે, આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે, વીજળીની માંગ વધી છે અને તેના કારણે થોડા દિવસોમાં દેશમાં વીજળીનું સંકટ વધુ ઊંડું બન્યું છે. તેમનું કહેવું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોની આગેવાની હેઠળના તમામ હિતધારકોએ થર્મલ પાવર સ્ટેશનોમાં કોલસાના ભંડારને ઘટાડવા, પ્રોજેક્ટ્સ પર રેક્સ ઝડપથી ખાલી કરવા અને તેમની ઉપલબ્ધતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ઉનાળાની શરૂઆતમાં જ્યારે આ સ્થિતિ હોય છે, ત્યારે મે અને જૂનમાં પરિસ્થિતિનો અંદાજ જ લગાવી શકાય છે. ઉર્જા મંત્રાલયે કહ્યું હતું કે, મે-જૂન 2022માં વીજળીની માંગ લગભગ 215-220 ગીગાવોટ સુધી પહોંચી શકે છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

જમ્મુ-કાશ્મીરમાં વીજળી સંકટને લઈને વિરોધ પ્રદર્શન

જમ્મુમાં વીજળી અને પીવાના પાણીની પર્યાપ્ત પુરવઠાની માંગણી કરીને, આમ આદમી પાર્ટીએ રવિવારે વિરોધ પ્રદર્શન કર્યું, જ્યારે નેશનલ પેન્થર્સ પાર્ટી (NPP)એ આક્ષેપ કર્યો કે, અવ્યવસ્થિત પરિસ્થિતિને ઉકેલવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યાં નથી. સંદીપ સિંહ ચિબની આગેવાની હેઠળ AAP કાર્યકરોના એક જૂથે બાગવતી નગર મુખ્યાલયમાં પાવર ડેવલપમેન્ટ વિભાગની બહાર પ્રદર્શન કર્યું.

(ભાષા ઇનપુટ્સ સાથે)

Next Article