AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coal Crisis: કોલસાની અછતને કારણે વીજળીનું સંકટ, શું શહેરથી ગામ સુધી બતીઓ થશે ગુલ ! જાણો કેવી છે પરિસ્થિતિ?

કોરોનાની બીજી લહેરને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવ્યા બાદ આર્થિક પ્રવૃત્તિઓએ વેગ પકડ્યો છે. લોકડાઉનને કારણે બંધ થયેલી કંપનીઓ હવે તેજીથી ચાલી રહી છે. કંપનીઓનું ઉત્પાદન વધ્યું છે. તેથી, ફેક્ટરીઓમાં કોલસાનો વપરાશ જબરદસ્ત રીતે વધ્યો છે.

Coal Crisis: કોલસાની અછતને કારણે વીજળીનું સંકટ, શું શહેરથી ગામ સુધી બતીઓ થશે ગુલ ! જાણો કેવી છે પરિસ્થિતિ?
વીજ સંકટ. (સાંકેતીક તસવીર)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 6:40 AM
Share

બ્લેક ડાયમંડ તરીકે ઓળખાતા કોલસાની અછતને કારણે આ સમયે સમગ્ર દેશમાં સંકટનાં વાદળો ઘેરાઇ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે કોલસાની અછતને કારણે વીજળીનુ સંકટ ઉભુ થયુ છે, જે આગામી સમયમાં વધુ ગંભીર બનશે. આજે આપણે આખા દેશમાં આ વિષય પર મોટી તપાસ કરી છે. આજે અમે તમારી દિવાળી કાળી હોવાની આ આખી ચિંતા સમજાવીશું. સૌપ્રથમ દેશમાં વીજળીનું સંકટ તોળાઈ રહ્યું છે. બ્લેક આઉટનો ડર વધી રહ્યો છે અને સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું આ વખતે પ્રકાશના તહેવાર દિવાળી પર દેશ અંધકારમાં ડૂબી જશે?

અમે એ સંકટની ચેતવણી આપી રહ્યા છીએ જે આપણા દરવાજે આવીને ઉભુ છે. અમે આ કેમ કહી રહ્યા છીએ? આની પાછળનું કારણ શું છે. આ પ્રશ્ન તમારા મનમાં જરૂર થતો હશે, તો  જાણી લો કે આ સંકટ પાછળનું કારણ છે બ્લેક ડાયમંડ કહેવાતા કોલસાની અછત, જેના કારણે વીજળીનું ઉત્પાદન ઘટી રહ્યું છે.

ભારતમાં વીજ સંકટ !

દેશના આ સંકટનું મુખ્ય કારણ કોલસાની અછત છે, જેના કારણે દેશના પાવર પ્લાન્ટ બંધ થવાની આરે છે. દેશમાં 135 કોલસા પાવર પ્લાન્ટ છે. જેના કારણે દેશમાં 70% વીજળીની માંગ પૂરી થાય છે અને આ પાવર પ્લાન્ટ્સમાં માત્ર 4 દિવસનો કોલસો બાકી રહેલો છે. આમાંથી 16 પાવર પ્લાન્ટ છે જેમાં કોલસાનો સ્ટોક ખતમ થઈ ગયો છે, જેના કારણે વીજ ઉત્પાદન અટકી ગયું છે અથવા ઘણી જગ્યાએ ઘણું ઓછું થઈ ગયું છે અને આ અછતની અસર પણ ઝડપથી દેખાઈ રહી છે. વીજળી વગર જે જીવન અધૂરું લાગે છે, તે ગુલ થઈ ગઈ, તો પછી શું થશે તેની કલ્પના કરવી અઘરી છે.

‘દિલ્હીના મોટાભાગના પ્લાન્ટમાં માત્ર 1-2 દિવસનો કોલસો બાકી છે’

દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર મોટાભાગના પ્લાન્ટમાં માત્ર 1-2 દિવસનો કોલસો બાકી છે. આનો મતલબ એ થયો કે દિલ્હીમાં લાઈટ ફેલ્યોર થવાનો ભય છે અને આ સાંભળીને દિલ્હીવાસીઓનું ટેન્શન વધી ગયું છે. લોકો પરેશાન છે. ગભરાયેલા છે, પરંતુ વીજળીને લઈને સરકારો વચ્ચે રાજકારણ પણ ચાલી રહ્યું છે. કોલસાની અછત છે, આ વાતને નકારી શકાય નહીં, પરંતુ તેના કારણે દિલ્હીમાં અત્યાર સુધી વીજ પુરવઠો પ્રભાવિત થયો નથી, આ પણ સાચું છે. પરંતુ ભય આવનારા દિવસોનો છે. કારણ કે કોલસાની કટોકટીની આડઅસર અન્ય રાજ્યોમાં દેખાવા લાગી છે.

કોલસાના પુરવઠા પર અસરને કારણે, ઉત્તર પ્રદેશમાં વીજળીના ઉત્પાદનમાં 7478 મેગાવોટનો ઘટાડો થયો છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં તેમજ શહેરી વિસ્તારોમાં કાપ શરૂ થયો છે. ઘણા જિલ્લાઓમાં 7 કલાક સુધીનો કાપ છે. એક તરફ સામાન્ય લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ કારખાનાઓનું કામ પણ બંધ થઈ ગયું છે. ઘણા ઉદ્યોગોમાં, વીજળી અને કોલસા બંનેની જરૂર પડે છે, પરંતુ વીજળી અને કોલસા બંનેના અભાવને કારણે નુકસાન અને સમસ્યાઓ વધવા લાગી છે.

પંજાબના થર્મલ પાવર પ્લાન્ટ પણ કોલસાની અછતને કારણે સંઘર્ષ કરી રહ્યા છે

પંજાબના થર્મલ પાવર પ્લાન્ટ પણ કોલસાની અછતનો સામનો કરી રહ્યા છે. પંજાબના સરકારી અને ખાનગી થર્મલ પ્લાન્ટ પાસે માત્ર 1 થી 4 દિવસનો કોલસો બાકી છે. પંજાબના થર્મલ પ્લાન્ટ માટે દરરોજ 22 રેક કોલસાની જરૂર પડે છે જે મળી રહ્યો નથી. પરિસ્થિતિમાં સુધારો થવાની આશા છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ ચિંતા ઉભી કરી રહી છે કારણ કે પંજાબમાં 13 ઓક્ટોબર સુધી દિવસમાં ત્રણ કલાક વીજ કાપ ચાલુ રહેશે. કોલસાની અછતને કારણે, કોલસાના પાવર પ્લાન્ટ તેમની ક્ષમતાના 50 ટકાથી ઓછા પર કાર્યરત છે.

કોલસાની અછતને કારણે મહારાષ્ટ્રમાં વીજળીની કટોકટી પણ ઘેરી બનતી જણાય છે. મહારાષ્ટ્રમાં 13 થર્મલ પાવર પ્લાન્ટ બંધ કરવા પડ્યા છે. તેના કારણે 3330 મેગાવોટ વીજળીની અછત છે. મહારાષ્ટ્રને દરરોજ આશરે 1.5 લાખ મેટ્રિક ટન કોલસાની જરૂર પડે છે, પરંતુ હાલની સ્થિતિમાં માત્ર 75 હજાર મેટ્રિક ટન કોલસાની સપ્લાય કરવામાં આવી રહી છે, જે વીજ ઉત્પાદન પર ખરાબ અસર કરી રહી છે.

દેશવ્યાપી કોલસા સંકટને કારણે બિહારમાં પણ વીજળીની મોટી સમસ્યા ઉભી થઈ છે. આ દિવસોમાં બિહારના ગ્રામીણ વિસ્તારોમાં 7 થી 9 કલાક સુધી લોડ શેડિંગ થઈ રહ્યું છે. બિહારને એનટીપીસી પાસેથી 4500 મેગાવોટની જગ્યાએ માત્ર 3200 મેગાવોટ વીજળી મળી રહી છે, જેના કારણે બિહારના ઘણા વિસ્તારોમાં સામાન્ય લોકો અને વેપારીઓ પરેશાન છે. દેશભરમાં કોલસાની કટોકટીની અસર હવે સૌથી મોટા કોલસા ખનન રાજ્ય ઝારખંડમાં જોવા મળી રહી છે. અહીં પણ વીજળીની અછત થઈ રહી છે.

આ વીજળીની અછતની અસર રાંચી સહિત તમામ જિલ્લાઓમાં જોવા મળી રહી છે. મધ્યપ્રદેશમાં પણ આગામી દિવસોમાં વીજળીની કટોકટી મુશ્કેલીમાં વધારો કરી શકે છે. રાજ્યમાં વીજળીની માંગ 10,000 મેગાવોટ સુધી પહોંચી છે, જ્યારે માત્ર 3900 મેગાવોટનું ઉત્પાદન થઈ રહ્યું છે.

મધ્યપ્રદેશના પાવર પ્લાન્ટમાં 88 હજાર મેટ્રિક ટન વધારાનો કોલસો બળી ગયો હતો. એક યુનિટ વીજળી ઉત્પન્ન કરવા માટે 620 ગ્રામ કોલસો જોઈએ છે, પરંતુ મધ્યપ્રદેશમાં તેના કરતા વધારે એટલે કે 768 ગ્રામ કોલસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે 1 થી 9 ઓક્ટોબર દરમિયાન 30 કરોડ રૂપિયાનો કોલસો વેડફાયો હતો. એક તરફ વીજળીનું સંકટ છે, આ માટે કોલસાની અછત જવાબદાર છે, પરંતુ બીજી બાજુ વીજળીનો બગાડ પણ એક મોટું કારણ છે.

સમગ્ર વિશ્વની વાત કરીએ તો 6% થી 8% વીજળી વેડફાય છે, પરંતુ આપણા દેશમાં લગભગ 20% વીજળી વેડફાય છે, તેથી વીજળીનો બગાડ અટકાવવો જરૂરી છે, જેથી વીજળીની વધેલી માંગને પહોંચી શકાય. તો તેની સાથે એ પણ જરૂરી છે કે વીજ ઉત્પાદન માટે કોલસા પરની નિર્ભરતા પણ ઓછી કરવી પડશે. દેશમાં 60% વીજળી થર્મલ પાવર પ્લાન્ટમાંથી ઉત્પન્ન થાય છે. હાઇડ્રો પ્રોજેક્ટ્સમાં 12% વીજળી પેદા થાય છે. પવન, સૌર અને અન્ય નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો 26%ઉત્પન્ન કરે છે, પરમાણુ સ્ત્રોતો 2%વીજળી ઉત્પન્ન કરે છે.

તે સ્પષ્ટ છે કે આપણે ઉર્જાના અન્ય સ્ત્રોતો પર વધુ કામ કરવાની જરૂર છે, પરંતુ આ એક કે બે દિવસમાં નહીં થાય. આ માટે સમય લાગશે. નક્કર આયોજન અને ઇરાદા સાથે સરકારે કોલસા પર નિર્ભરતા ઘટાડવા માટે આગળ વધવું પડશે. દરમિયાન, સારા સમાચાર એ છે કે સેન્ટ્રલ કોલફિલ્ડ લિમિટેડ અનુસાર, આગામી એક કે બે અઠવાડિયામાં પરિસ્થિતિ સ્થિર થવાની ધારણા છે.

આ પણ વાંચો :  ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાંથી પોતાનું નામ હટાવવા પર મેનકા ગાંધીએ નિવેદન આપ્યું, જાણો શું કહ્યું

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">