પત્ર પર રાજનીતિ: હર્ષ વર્ધને આપ્યો મનમોહનસિંહને જવાબ, કહ્યું- તમારા સુચનો કોંગ્રેસીઓ પાળે તો પણ બહુ

|

Apr 19, 2021 | 3:19 PM

કોંગ્રેસ પાર્ટીના ઘણા નેતાઓ જાહેરમાં કોરોનાની રસીકરણની ( Corona vaccine ) ટીકા કરી રહ્યા છે પરંતુ ખાનગીમાં રીતે પોતે રસી લઈ લેતા હોય છે.

પત્ર પર રાજનીતિ: હર્ષ વર્ધને આપ્યો મનમોહનસિંહને જવાબ, કહ્યું- તમારા સુચનો કોંગ્રેસીઓ પાળે તો પણ બહુ
Health Minister Harsh Vardhan

Follow us on

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ( Dr. Manmohan Singh, ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ( Prime Minister Narendra Modi ) ઉદ્દેશીને લખેલા પંચસૂત્રીય પત્રના ( five-point letter ) મુદ્દે રાજકારણ ગરમાયુ છે. મનમોહન સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રનો ( letter )  જવાબ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને ( Dr. Harshvardhan ) આપ્યો છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનએ કહ્યું કે તમારી પાર્ટીમાં એવા નેતાઓ ઓછા છે જે તમારા જેવા વિચારો કરે છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનને પણ પત્ર દ્વારા જ મનમોહનસિંહને પત્રનો જવાબ આપ્યો છે.

તેમણે ડૉ. મનમોહન સિંહને ( Dr. Manmohan Singh, ) કહ્યું છે કે તમે જે રચનાત્મક સહયોગની સલાહ આપી છે, તેનું પાલન તમારા પક્ષના નેતાઓ કરે તો પણ સારુ કહેવાશે. તમારા કોંગ્રેસ પક્ષના નેતાઓ પણ, તમે સુચવેલા સુચનોને ગંભીરતાથી ધ્યાનમાં લે. ડો.હર્ષવર્ધનએ ( Dr. Harshvardhan ) કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના ઘણા નેતાઓ જાહેરમાં રસીકરણની ( Corona vaccine ) ટીકા કરી રહ્યા છે પરંતુ ખાનગીમાં રીતે પોતે રસી લઈ લેતા હોય છે. અમને જણાવી દઈએ કે રવિવારે પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે પીએમ મોદીને કોરોના રોગચાળાને પહોંચી વળવા રસીકરણની ઝુંબેશમાં વેગ લાવવા પત્ર લખ્યો હતો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આરોગ્ય પ્રધાન કોંગ્રેસના નેતાઓથી નારાજ છે
આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનએ ( Dr. Harshvardhan ) કહ્યું કે ભારતની વેક્સિનની ચર્ચા આજે વિશ્વભરમાં થઈ રહી છે. રોગચાળા સામે રક્ષણ આપતી બે રસીઓ છે અને તે ભારત માટે ગૌરવની વાત છે, પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ રસી શોધનારા વૈજ્ઞાનિકોને બિરદાવવા કે તેમની પ્રશંસા માટે એક પણ શબ્દ બોલ્યો નથી. તે જ બતાવે છે કે કોંગ્રેસ પાર્ટીમાં ટોચ પર બેઠેલા નેતા કેવા દેખાય છે. તમને જણાવી દઈએ કે 15 એપ્રિલ સુધી 10 કરોડ લોકોને એક જ ડોઝ રસી આપવામાં આવી છે. જ્યારે લગભગ 1.5 કરોડ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં દરરોજ સરેરાશ 3 મિલિયન રસી ડોઝ આપવામાં આવે છે.

Next Article