Rajya Sabha Election Results: કોંગ્રેસે ભાજપ પર ‘હોર્સ ટ્રેડિંગ’નો આરોપ લગાવ્યો, જાણો રાજ્યસભા ચૂંટણીના પરિણામો પર કોણે શું કહ્યું ?

Rajya Sabha Election Results: ભાજપના કૃષ્ણલાલ પંવારે હરિયાણામાં રાજ્યસભાની બે બેઠકોમાંથી એક બેઠક જીતી છે. બીજી તરફ બીજેપી સમર્થિત અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્મા બીજી સીટ પર જીત્યા છે.

Rajya Sabha Election Results: કોંગ્રેસે ભાજપ પર 'હોર્સ ટ્રેડિંગ'નો આરોપ લગાવ્યો, જાણો રાજ્યસભા ચૂંટણીના પરિણામો પર કોણે શું કહ્યું ?
રાજ્યસભાની ચૂંટણીના પરિણામો પર નેતાઓએ પ્રતિક્રિયા આપી.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2022 | 11:37 AM

Rajya Sabha Election Results: ભારતના ચાર રાજ્યોમાં રાજ્યસભાની 16 બેઠકો માટે શુક્રવારે મતદાન થયું હતું. આ બેઠકોની મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જે ચાર રાજ્યોમાં મતદાન થયું તેમાં મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન અને કર્ણાટકનો સમાવેશ થાય છે. આ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો હાથ ઉપર રહ્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપે 6માંથી ત્રણ બેઠકો કબજે કરી છે, જ્યારે કોંગ્રેસ, શિવસેના અને NCP (મહા વિકાસ અઘાડી ગઠબંધન)એ એક-એક બેઠક જીતી છે. તે જ સમયે, કર્ણાટકની ચાર બેઠકોમાંથી ભાજપે ત્રણ બેઠકો જીતી હતી, જ્યારે બીજી બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી.

એ જ રીતે ભાજપના કૃષ્ણલાલ પંવારે હરિયાણામાં રાજ્યસભાની બે બેઠકોમાંથી એક બેઠક જીતી છે. બીજી તરફ બીજેપી સમર્થિત અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્મા બીજી સીટ પર જીત્યા છે. ઉલ્લેખનીય છે કે, કાર્તિકેય શર્માએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અજય માકનને હરાવીને જીત મેળવી છે. રાજસ્થાનની વાત કરીએ તો રાજ્યમાં કોંગ્રેસે ચારમાંથી ત્રણ બેઠકો કબજે કરી છે, જ્યારે ભાજપ અહીં એક બેઠક મેળવવામાં સફળ રહ્યું છે. ચાર રાજ્યોમાંથી આવેલા પરિણામો પર રાજકીય જગતના અનેક નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાની ચૂંટણી જીત્યા બાદ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, “હું આ જીત માટે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, પ્રદેશ પક્ષ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ અને સમગ્ર પાર્ટીનો આભાર માનવા માંગુ છું.” જે રીતે પાર્ટી એક સંપ થઈને ચૂંટણીમાં જોડાઇ. તેણે બતાવ્યું કે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને લોકો દ્વારા ચૂંટવામાં આવી છે. લોકો ભાજપની સાથે છે.

પિયુષ ગોયલે શું કહ્યું?

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, “આજે આપણા બધા માટે ખૂબ જ ખુશીની વાત છે કે મહારાષ્ટ્રની રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણેય ઉમેદવારો સામે આવ્યા છે. પિયુષ ગોયલને સૌથી વધુ 48 વોટ મળ્યા છે. અનિલ બોંડેને પણ 48 વોટ મળ્યા છે.

દેવેન્દ્ર ફડણવીસનું ટ્વીટ

કોંગ્રેસના નેતા ઈમરાન પ્રતાપગઢીએ કહ્યું, ‘મેં શિવસેનાના સંજય રાઉત અને NCPના પ્રફુલ્લ પટેલ સાથે મળીને મહારાષ્ટ્ર જીત્યું છે. હું ધારાસભ્યોનો આભાર માનું છું. અમને દુઃખ છે કે (મહા વિકાસ અઘાડી)ના ચોથા ઉમેદવાર સંજય પવાર જીતી શક્યા નથી.

ઈમરાન પ્રતાપગઢીએ પ્રતિક્રિયા આપી

હરિયાણાથી રાજ્યસભાની ચૂંટણી જીત્યા બાદ ભાજપના ઉમેદવાર ક્રિષ્ન લાલ પંવારે કહ્યું, ‘મારા જેવા નાના કાર્યકરને આ તક આપવા માટે હું રાષ્ટ્રીય નેતૃત્વ અને રાજ્યના નેતૃત્વનો આભાર માનું છું. હું સર્વ અનુસૂચિત જાતિ સમાજ વતી ભાજપ નેતૃત્વનો આભાર માનું છું.

કૃષ્ણલાલ પંવારે ભાજપનો આભાર વ્યક્ત કર્યો હતો

રાજ્યસભા ચૂંટણીના પરિણામો પર હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, અમારા માટે ખુશીની વાત છે કે બીજેપીના ઉમેદવાર ક્રિષ્ન લાલ પંવાર અને અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્મા ચૂંટાયા છે. તેમની તરફેણમાં મતદાન કરનારા તમામ ધારાસભ્યોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.

મનોહર લાલ ખટ્ટરે શું કહ્યું?

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, રાજસ્થાનમાં રાજ્યસભાની ત્રણ બેઠકો પર કોંગ્રેસની જીત લોકશાહીની જીત છે. હું ત્રણ નવા ચૂંટાયેલા સાંસદો પ્રમોદ તિવારી, મુકુલ વાસનિક અને રણદીપ સુરજેવાલાને અભિનંદન આપું છું. મને ખાતરી છે કે ત્રણેય સાંસદો દિલ્હીમાં રાજસ્થાનના અધિકારોની મજબૂતીથી બચાવ કરી શકશે.

અશોક ગેહલોતે ભાજપ પર નિશાન સાધ્યું

ગેહલોતે વધુમાં કહ્યું, ‘શરૂઆતથી જ સ્પષ્ટ હતું કે કોંગ્રેસ પાસે ત્રણેય બેઠકો માટે જરૂરી બહુમતી છે. પરંતુ ભાજપે અપક્ષને મેદાનમાં ઉતારીને હોર્સ ટ્રેડિંગનો પ્રયાસ કર્યો હતો. અમારા ધારાસભ્યોની એકતાએ આ પ્રયાસને યોગ્ય જવાબ આપ્યો છે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">