લો બોલો ! પંજાબમાં પોલીસે હિન્દુ નેતાઓને કહ્યું- ઘરની બહાર ન નીકળો

|

Nov 06, 2022 | 7:57 AM

શિવસેનાના નેતા સુધીર સૂરીની (Sudhir Suri) શુક્રવારે એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતી વખતે પોલીસની હાજરીમાં જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં પોલીસે 31 વર્ષીય આરોપી સંદીપ સિંહ ઉર્ફે સનીની ધરપકડ કરી છે.

લો બોલો ! પંજાબમાં પોલીસે હિન્દુ નેતાઓને કહ્યું- ઘરની બહાર ન નીકળો
Punjab Police (file photo)

Follow us on

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા શિવસેનાના નેતા સુધીર સૂરીની હત્યા બાદ પંજાબના અમૃતસરમાં તણાવનું વાતાવરણ છે. વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતી વખતે સુધીર સૂરીને દિવસે દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હવે સૂરીની હત્યાને લઈને વિવિધ પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે. પાકિસ્તાન અને તેની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની ભૂમિકાની પણ વાત કરવામાં આવી રહી છે. સુરીની હત્યા બાદ પાકિસ્તાનમાં છુપાયેલા ખાલિસ્તાન સમર્થક નેતા ગોપાલ સિંહ ચાવલાના વિવાદાસ્પદ વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં તેણે સુધીરના હત્યારાઓની પ્રશંસા કરી છે. ચાવલાની ધમકીઓ સામે આવ્યા પછી તરત જ, લુધિયાણા પોલીસે સાવચેતીનાં પગલાં લીધાં અને હિંદુ સંગઠનના કેટલાક નેતાઓને ઘરની બહાર નીકળતા અટકાવ્યા.

અમિત અરોરા, યોગેશ બક્ષી અને ગુરસિમરન સિંહ મંડ હિન્દુ સંગઠનના નેતાઓમાં સામેલ છે જેમને પોલીસે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. ગોપાલ સિંહ ચાવલાએ પોતાના ધમકીભર્યા વીડિયોમાં અમિત અરોરા અને ગુરસિમરન સિંહ મંડ સહિત અનેક હિન્દુ નેતાઓને મારી નાખવાની ધમકી આપી છે. અરોરા પહેલાથી જ આતંકી સંગઠનોના નિશાના પર છે. તે વર્ષ 2016માં થયેલા હુમલામાં બચી ગયા હતા. પરંતુ ફરી એકવાર તેમનો જીવ જોખમમાં છે. અરોરાએ શનિવારે સૂરીના અંતિમ સંસ્કારમાં હાજરી આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને સુરક્ષાના કારણોસર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી હતી. તેમની સાથે અનેક નેતાઓને પણ ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.

અરોરાએ કહ્યું- SFJ તરફથી મળે છે ધમકીઓ

અરોરાએ કહ્યું કે તેમને પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસના હરદીપ સિંહ નિજ્જર તરફથી પણ ધમકીઓ મળી છે. અખિલ ભારતીય સનાતન ધર્મ રક્ષા અખાડાના મુકેશ ખુરાના અને શિવસેના પંજાબના સંદીપ વર્મા સહિત વધુ બે હિન્દુ નેતાઓને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું. તે અરોરાના સાથી છે. ગોપાલ સિંહ ચાવલાએ સુધીર સૂરીની હત્યા બાદ પોતાનો ધમકીભર્યો વીડિયો જાહેર કરતા કહ્યું કે, “સમગ્ર શીખ અને મુસ્લિમ સમુદાય અને સ્વતંત્રતા અને શાંતિ શોધનારા દરેકને અભિનંદન. અમૃતસરમાં એક યુવકે સુધીર સૂરી પર ગોળી મારી છે, જેને હું ડુક્કર કહીશ. એક ડુક્કર ગયો. હવે અન્ય ડુક્કરોએ પણ આ જ રીતે દુનિયા છોડી દેવી પડશે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

સુરીની ધોળા દિવસે પોલીસની હાજરીમાં ગોળી મારીને હત્યા કરાઈ

શુક્રવારે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતી વખતે સૂરીને ધોળા દિવસે પોલીસની હાજરીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. શહેરના સૌથી વ્યસ્ત સ્થળો પૈકીના એક મજીઠા રોડ પર આવેલા ગોપાલ મંદિરના સંચાલન સામે વિરોધ કરી રહ્યા હતા. હકીકતમાં, રસ્તાના કિનારે કેટલાક હિંદુ દેવી-દેવતાઓની તૂટેલી મૂર્તિઓ મળી આવી હતી, જેને સુરીએ અપવિત્ર ગણાવ્યું હતું. આ હત્યા કેસમાં પોલીસે 31 વર્ષીય આરોપી સંદીપ સિંહ ઉર્ફે સનીની ધરપકડ કરી છે. શિવસેના નેતાના ઘરની આસપાસ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. શહેરમાં અનેક સ્થળોએ પોલીસે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

Next Article