
દુનિયાના નકશા પર અત્યારે મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો છવાયેલા છે, પરંતુ તેની સીધી અસર ભારતના સામાન્ય માણસના રસોડા પર પડી રહી છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે ઘરેલુ ગેસના પુરવઠા પર સંકટ ન આવે તે માટે ભારત સરકારે હવે એક મોટો માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે. સરકાર હવે લોકોને LPG (સિલિન્ડર) ના બદલે PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) તરફ વાળવા માટે આક્રમક રીતે આગળ વધી રહી છે.
ઘણા લોકોને પ્રશ્ન થાય કે અચાનક પાઈપલાઈન ગેસની આટલી ચર્ચા કેમ? તેનું કારણ એ છે કે PNG એ LPG કરતા સસ્તું છે અને તેમાં સિલિન્ડર લાવવા-લઈ જવાની કે રિફિલ કરાવવાની કોઈ ઝંઝટ નથી. આ સિવાય, વિદેશથી આવતા LNG ને સીધું ગેસમાં રૂપાંતરિત કરીને પાઈપલાઈન દ્વારા સીધું તમારા ઘર સુધી પહોંચાડી શકાય છે, જે યુદ્ધ જેવી સ્થિતિમાં પણ વધુ સુરક્ષિત અને ભરોસાપાત્ર માનવામાં આવે છે.
દેશના આંકડા જોઈએ તો ચોંકાવનારી વિગતો સામે આવી છે. દેશના કુલ PNG કનેક્શનમાંથી અડધાથી વધુ તો માત્ર બે જ રાજ્યોમાં છે:
જ્યારે પશ્ચિમ અને ઉત્તર ભારત ગેસ પાઈપલાઈનમાં આગળ છે, ત્યારે દક્ષિણ અને પૂર્વી ભારતમાં હજુ ઘણું કામ બાકી છે:
ભારત માટે સૌથી મોટી ચિંતા એ છે કે દેશમાં ગેસનું ઉત્પાદન જરૂરિયાત કરતા ઓછું છે. ગયા વર્ષે 36 BCM ગેસનું ઉત્પાદન થયું હતું, જ્યારે આપણી જરૂરિયાત 71 BCM છે. એટલે કે અડધોઅડધ ગેસ આપણે વિદેશથી મંગાવવો પડે છે. આ જ કારણ છે કે સરકાર હવે નેશનલ ગેસ ગ્રિડ બનાવી રહી છે, જેથી કરીને દરેક રાજ્યમાં સસ્તો અને સુરક્ષિત ગેસ પહોંચાડી શકાય.
હવે જોવાનું એ રહેશે કે શું આગામી સમયમાં બિહાર અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં પણ ગુજરાતની જેમ ઘરે-ઘરે પાઈપલાઈન પહોંચશે? અને શું ખરેખર LPG સિલિન્ડર હંમેશા માટે વિદાય લેશે?